
લખતરના વિઠ્ઠલાપરામાં ભૂગર્ભ ગટરના કામથી સમસ્યા: રસ્તા બિસમાર, બાળકોને મુશ્કેલી
Published on: 29th July, 2025
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના વિઠ્ઠલાપરામાં ભૂગર્ભ ગટરના કામથી કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે, રસ્તાઓ પર ગંદા પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. સ્કૂલે જતાં બાળકો પરેશાન છે. ભૂગર્ભ ગટરના કામ દરમિયાન ટ્રેક્ટર ફસાયું. રસ્તાઓ પર મોટા ખાડાઓના કારણે અકસ્માતનો ભય છે. ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકો ઈચ્છે છે કે આ સમસ્યાનું નિરાકરણ આવે.
લખતરના વિઠ્ઠલાપરામાં ભૂગર્ભ ગટરના કામથી સમસ્યા: રસ્તા બિસમાર, બાળકોને મુશ્કેલી

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના વિઠ્ઠલાપરામાં ભૂગર્ભ ગટરના કામથી કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે, રસ્તાઓ પર ગંદા પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. સ્કૂલે જતાં બાળકો પરેશાન છે. ભૂગર્ભ ગટરના કામ દરમિયાન ટ્રેક્ટર ફસાયું. રસ્તાઓ પર મોટા ખાડાઓના કારણે અકસ્માતનો ભય છે. ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકો ઈચ્છે છે કે આ સમસ્યાનું નિરાકરણ આવે.
Published on: July 29, 2025