ભવનાથ મંદિરમાં મહંત રિપીટ થશે તો આત્મવિલોપનની ચીમકી: સાધુઓની માંગણી.
Published on: 28th July, 2025

જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત હરીગીરીની મુદત પૂરી થતા, ગુરુ શિષ્ય પરંપરા મુજબ વરણીની માંગ સાથે બે સાધુઓએ આત્મવિલોપનની ચીમકી આપી છે. મુકેશ કેરી ગુરુ કમલાનંદજી અને રાજુ ગીરી ગુરુ કમલાનંદજીએ વિડીયોમાં જણાવ્યું કે હરીગીરી પાસે પૈસા અને પાવર છે, અને તેઓ છેલ્લા દસ વર્ષથી પરેશાન છે. જો તેમના પરિવારમાંથી કોઈની વરણી નહીં થાય તો તેઓ આત્મવિલોપન કરશે.