ગોંડલના ટ્રસ્ટે ચરખડીના 50 વૃદ્ધોને સાળંગપુર દર્શન કરાવ્યા, પાળિયાદ, કુંડળ, ગઢડા મંદિરોની પણ યાત્રા કરાવી.
ગોંડલના ટ્રસ્ટે ચરખડીના 50 વૃદ્ધોને સાળંગપુર દર્શન કરાવ્યા, પાળિયાદ, કુંડળ, ગઢડા મંદિરોની પણ યાત્રા કરાવી.
Published on: 01st March, 2026

ગોંડલના માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચરખડી ગામના 50 વૃદ્ધોને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર, પાળિયાદ, કુંડળ, ગઢડા સ્વામિનારાયણ મંદિરની યાત્રા કરાવી. આ યાત્રા 28 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી, જેમાં ટ્રસ્ટના સભ્યોએ વૃદ્ધોની સગવડતા માટે ખાસ વ્યવસ્થા કરી હતી. ટ્રસ્ટના પ્રમુખ બંટીભાઈ ભુવા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી.