ભાવનગર-અયોધ્યા ટ્રેનને રાણપુરમાં સ્ટોપ આપવા માંગ: વેપારી મંડળનું આવેદન, સ્ટોપેજ ન મળે તો આંદોલનની ચીમકી.
ભાવનગર-અયોધ્યા ટ્રેનને રાણપુરમાં સ્ટોપ આપવા માંગ: વેપારી મંડળનું આવેદન, સ્ટોપેજ ન મળે તો આંદોલનની ચીમકી.
Published on: 03rd August, 2025

બોટાદ જિલ્લાના રાણપુરમાં ભાવનગર-અયોધ્યા ટ્રેનને સ્ટોપેજ આપવાની માંગ સાથે વેપારી મંડળે રેલ્વે વિભાગને આવેદન આપ્યું છે. 30,000થી વધુ વસ્તી ધરાવતા રાણપુર તાલુકામાં આસપાસના 70 ગામો જોડાયેલા છે. રાણપુર ઉદ્યોગ ક્ષેત્રે જાણીતું હોવાથી અને અયોધ્યા તથા અજમેર જવા માટે આ ટ્રેન ઉપયોગી થશે. સ્ટોપેજ ન મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.