શંખેશ્વરમાં તસ્કરો ત્રાટક્યા: બંધ મકાનમાંથી રૂ. 1.32 લાખની રોકડ અને દાગીનાની ચોરી, પરિવાર અમદાવાદ ગયો હતો.
શંખેશ્વરમાં તસ્કરો ત્રાટક્યા: બંધ મકાનમાંથી રૂ. 1.32 લાખની રોકડ અને દાગીનાની ચોરી, પરિવાર અમદાવાદ ગયો હતો.
Published on: 29th July, 2025

શંખેશ્વરમાં બાબુભાઇ પરમારના બંધ મકાનમાં તા. 27 જુલાઈની રાતથી 28ની સવાર દરમિયાન ચોરી થઈ. તસ્કરોએ રૂ. 80,000 રોકડ સહિત કુલ રૂ. 1,32,400ની ચોરી કરી જેમાં સોનાની ચેન, પગના જેર, સોનાની પોખાની, કડી અને કાનના કેવડાનો સમાવેશ થાય છે. બાબુભાઈ અને તેમના પત્ની અમદાવાદ ગયા હતા. પોલીસે ડોગ સ્ક્વોડ તેમજ FSLની મદદથી તપાસ હાથ ધરી છે.