આણંદ નગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો નંબર મળતા 75 લાખનું ઇનામ પ્રાપ્ત થયું.
આણંદ નગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો નંબર મળતા 75 લાખનું ઇનામ પ્રાપ્ત થયું.
Published on: 26th September, 2025

રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં આણંદ નગરપાલિકાને 'નિર્મળ ગુજરાત પુરસ્કાર' મળ્યો. અ-વર્ગમાં બીજો ક્રમાંક મેળવી 75 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદ નગરપાલિકાની ટીમને 75 લાખનો ચેક અપાયો. આ પુરસ્કાર સ્વચ્છતા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ મળ્યો છે. 75 લાખના ઇનામનો ઉપયોગ મહાનગરની સ્વચ્છતા વધારવા માટે સફાઈના સાધનોમાં વધારો કરવા માટે કરાશે. આગામી વર્ષોમાં આણંદ મહાનગરપાલિકા રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવે તે દિશામાં સ્વચ્છતાલક્ષી અભિયાન વધુ સઘન બનાવવામાં આવશે.