NEET અને SET પરીક્ષા માટે યુનિવર્સિટીમાં વિશેષ વ્યાખ્યાન માળાનું આયોજન
NEET અને SET પરીક્ષા માટે યુનિવર્સિટીમાં વિશેષ વ્યાખ્યાન માળાનું આયોજન
Published on: 23rd August, 2026

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અંગ્રેજી ભવન દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતાં વિદ્યાર્થીઓ માટે NEET અને SET પરીક્ષાઓને અનુલક્ષીને એક વિશેષ વ્યાખ્યાનમાળાનું આયોજન કરાયું છે. આ તક ખાસ કરીને જે વિદ્યાર્થીઓ એસિસ્ટન્ટ પ્રોફેસર કે JRF બનવા માગે છે તેમના માટે અમૂલ્ય સાબિત થશે. અંગ્રેજી ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ પરીક્ષાઓ પાસ કરી ચુક્યા છે, તેમના દ્વારા આ વ્યાખ્યાનમાળાનું સંચાલન અને માર્ગદર્શન અપાશે. ૨૪ ઓગસ્ટથી ૨૫ સપ્ટેમ્બર સુધી ચાલનારી આ માળા YouTube પર લાઇવ પ્રસારિત થશે અને તેનું રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ રહેશે, જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકે.