નર્મદાના સાગબારાના ખેડૂતોને ખેતીમાં નવી ટેકનોલોજી અને પ્રોસેસિંગના સાધનો મળશે
નર્મદાના સાગબારાના ખેડૂતોને ખેતીમાં નવી ટેકનોલોજી અને પ્રોસેસિંગના સાધનો મળશે
Published on: 23rd August, 2026

શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ દ્વારા સાગબારા તાલુકાના સ્વ-સહાય જૂથોને ખેતીના શ્રમ ઘટાડવા અને ખેતપેદાશોના પ્રોસેસિંગ માટે મદદરૂપ થવાની પહેલ કરવામાં આવી છે. RRAN નેટવર્ક અને Waasan સંસ્થાના સહયોગથી, હૈદરાબાદથી આવેલી ટીમે ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની જરૂરિયાતો સમજ્યા. હવે નિંદામણ, ઘાસ કાપવા, હળદર, તેલ અને મિલેટ પ્રોસેસિંગ માટેના આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવાશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મહિલા ખેડૂતોને પોતાના ઉત્પાદનોનું પ્રોસેસિંગ કરીને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે.