Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
હિરોશીમા દિન
હિરોશીમા દિન

6 ઑગસ્ટ ને માનવજાતના ઇતિહાસના કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1945 ના આ દિવસે અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. જ્યારે 9 ઓગસ્ટે નાગાસાકી શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. વિશ્વના લોકોને અણુબોમ્બની ભયાનકતાનો ખ્યાલ આવે તેમજ આ હુમલાના હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી શકાય તે માટે હિરોશીમા અને નાગાસાકી દિન ઉજવણી કરવામાં આવે છે. જીવનથી ધબકતા આ શહેરોને પળવારમાં ખંડેર બનાવી દેનારી આ ગોઝારી ઘટનાની કારમી અસરો વર્ષોથી માનવજાત ભોગવી રહી છે. આ દુનિયાનો પહેલો પરમાણુ હુમલો હતો. આ ધડાકા બાદ તાપમાન એટલું વધી ગયું હતું કે અનેક લોકો બળીને ખાક થઈ ગયા. મિનિટોમાં હિરોશિમા શહેરનો 80 ટકા ભાગ બળીને તબાહ થઈ ગયો હતો. તબાહી આટલેથી ન અટકતાં જે લોકો બચી ગયા હતા એમાંથી હજારો લોકો પરમાણુ વિકિરણો સાથે જોડાયેલી બીમારીનો ભોગ બન્યાં અને હજુ સુધી પેઢી દર પેઢી આ બીમારીની કારમી અસરો ભોગવી રહ્યા છે. બોમ્બના કારણે કાળો વરસાદ થતાં ઘણા કિમી સુધીનો વિસ્તાર સંપૂર્ણપણે દૂષિત થઈ ગયો હતો. હિરોશિમા પર ફેંકવામાં આવેલા 20 હજાર ટન ની ક્ષમતાવાળા બોમ્બનું નામ લિટલ બોય હતું જ્યારે ત્રણ દિવસ બાદ નાગાસાકી શહેર પર ફેટ મેન નામનો બોમ્બ ઝીંકવામાં આવેલો. તે સમયના અમેરિકાના તત્કાલીન પ્રમુખ હેન્રી ટ્રુમેન દ્વારા બીજા વિશ્વયુદ્ધ માં લેવાયેલ આ નિર્ણયને માનવજાત પરના સૌથી જઘન્ય અને વિવાદાસ્પદ કૃત્ય તરીકે ઓળખવામાં આવે છે ત્યારે વિશ્વશાંતિ અને માનવજાતના કલ્યાણના પરિપ્રેક્ષ્યમાં આવી ઘાતકી ઘટના ચોક્કસ મનોમંથન માંગી લે છે. વર્તમાન સમયમાં અનેક રાષ્ટ્રો પરમાણુ શક્તિ બની ચૂક્યાં છે તેમજ અત્યંત ઘાતકી શસ્ત્રો, રસાયણો અને જૈવિક વિષાણુઓની શોધ થઈ છે જેનો તમામ દેશોએ સંગ્રહ કર્યો છે. આવા સંજોગોમાં જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ શકે તેમ ઘણા ચિંતકો કહે છે. આ માટે વિશ્વશાંતિની દિશામાં કામ કરવાની જરૂર છે.

06th August

Read more
હિરોશીમા દિન
06th August
6 ઑગસ્ટ ને માનવજાતના ઇતિહાસના કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1945 ના આ દિવસે અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. જ્યારે 9 ઓગસ્ટે નાગાસાકી શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. વિશ્વના લોકોને અણુબોમ્બની ભયાનકતાનો ખ્યાલ આવે તેમજ આ હુમલાના હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી શકાય તે માટે હિરોશીમા અને નાગાસાકી દિન ઉજવણી કરવામાં આવે છે.
જીવનથી ધબકતા આ શહેરોને પળવારમાં ખંડેર બનાવી દેનારી આ ગોઝારી ઘટનાની કારમી અસરો વર્ષોથી માનવજાત ભોગવી રહી છે. આ દુનિયાનો પહેલો પરમાણુ...
Read more
મહાગુજરાત આંદોલન
મહાગુજરાત આંદોલન

દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્ય માંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની માંગણી સાથે 1956 માં શરૂ થયેલું રાજકીય આંદોલન એટલે મહાગુજરાત આંદોલન. આ આંદોલન 1 મે, 1960 ના રોજ ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા લોકો માટે અલગ મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું. સામાન્ય રીતે ભાષાવાર પ્રાંતની રચના કરવાની માંગનો સ્વીકાર ન થયો અને દ્વિભાષી મુંબઇ રાજ્ય બનાવવામાં આવ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છને મુંબઇ રાજ્યમાંથી બાકાત રાખવામાં આવ્યાં હતાં. પરિણામે વહીવટની તમામ બાબતોમાં ગુજરાતી ભાષા અને ગુજરાતીઓની અવગણના થતી હોવાનું લોકોને લાગ્યું. હાઇકોર્ટ છેક મુંબઇમાં હોય ત્યારે ઉત્તર ગુજરાતના લાકોને તો ખૂબ જ અસહજ લાગે તે સ્વાભાવિક હતું. આ અસંતોષની જ્વાળાઓ આખરે મહાગુજરાત આંદોલન સ્વરૂપે ભભૂકી ઊઠી હોવાનું સ્પષ્ટ થાય છે. ભારતની આઝાદીની લડત બાદ 'મહાગુજરાત આંદોલન' એ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન ગણાય છે. મહાગુજરાત આંદોલનમાં 1958 માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને 'લે કે રહેંગે મહાગુજરાત' નો નારો બુલંદ બન્યો. 8 ઑગસ્ટ, 1956 ના રોજ અમદાવાદમાં ભદ્ર ખાતે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા. મહિલાઓએ પણ આગળ વધીને આંદોલનમાં ભાગ લીધો હતો અને કેટલીક મહિલાઓએ ધરપકડ વ્હોરી હતી. ટૂંકમાં આ આંદોલનમાં ગુજરાતના લોકો હડતાળો, વિદ્યાર્થીઓનાં દેખાવો, જંગી સરઘસોરૂપે ભાગીદાર બન્યા. પોલીસનો ગોળીબાર, વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને ગુજરાતીભાષી વિસ્તારોમાં અરાજકતાના કારણે આંદોલન વધારે તીવ્ર બન્યું. આખરે ગુજરાતના અલગ રાજ્યની માંગ સ્વીકારાઇ અને 1 મે, 1960 ના દિવસે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો સમાવી નવું રાજ્ય બન્યું. જેનું ઉદ્દઘાટન મૂકસેવક રવિશંકર મહારાજ ના હસ્તે સાબરમતી ગાંધીઆશ્રમમાં કરવામા આવ્યું. પાછળથી તત્કાલીન બૉમ્બે સ્ટેટ (પ્રૉવિન્સ)નો ભાગ રહેલા ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા 1956 થી 1960 સુધી ચાલેલા મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતા ઇન્દુલાલ યાજ્ઞિક ના નેતૃત્વમાં શહીદ સ્મારક બનાવવાની માગણી સાથે લગભગ એક વર્ષ સુધી સત્યાગ્રહ ચાલ્યો હતો. આ સ્મારકનું ઉદ્ઘાટન 19 સપ્ટેમ્બર, 1968 ના દિવસે કરવામાં આવ્યું હતું. અમદાવાદના લાલદરવાજા ખાતે મહાગુજરાત આંદોલનના સાક્ષીરૂપે સ્મારક તૈયાર કરવામાં આવેલું છે. સમયગાળોઃ તારીખ 8 ઑગસ્ટ 1956 થી 1 મે, 1960 સ્થળ: મુંબઈ રાજ્ય, ભારત આંદોલનનું ધ્યેય: દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની માંગણી વિરોધની રીતઃ દેખાવો, શેરી દેખાવો, ભૂખ હડતાલ, હડતાલ પરિણામ: 1 મે, 1960 ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની સ્થાપના.

08th August

Read more
મહાગુજરાત આંદોલન
08th August
દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્ય માંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની માંગણી સાથે 1956 માં શરૂ થયેલું રાજકીય આંદોલન એટલે મહાગુજરાત આંદોલન. આ આંદોલન 1 મે, 1960 ના રોજ ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા લોકો માટે અલગ મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.
સામાન્ય રીતે ભાષાવાર પ્રાંતની રચના કરવાની માંગનો સ્વીકાર ન થયો અને દ્વિભાષી મુંબઇ રાજ્ય બનાવવામાં આવ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છને મુંબઇ રાજ્યમાંથી બાકાત રાખવામાં આવ્યાં હતાં. પરિણામે વહીવટની તમામ બાબતોમાં ગુજરાતી...
Read more
હિંદ છોડો આંદોલન દિન
હિંદ છોડો આંદોલન દિન

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે મહાત્મા ગાંધીજી દ્વારા કરાયેલા આહ્વાન પર 8 મી ઑગસ્ટ, 1942 ના દિને 'હિંદ છોડો આંદોલન' નો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને અંગ્રેજ શાસનની ગુલામીમાંથી તુરંત આઝાદ કરાવવા માટે અંગ્રેજ શાસન વિરુદ્ધ એક ‘નાગરિક અવજ્ઞા આંદોલન' (Civil Disobedience Movement - સવિનય કાનૂનભંગ) હતું. 8 ઑગસ્ટ, 1942 નો દિવસ ભારતીય ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ દિવસ છે. આ દિવસે મુંબઈમાં કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું તેમાં ‘કરો યા મરો' નો નારો આપ્યો. કોંગ્રેસે વિધિવત રીતે અંગ્રેજોને હિન્દ છોડો નું એલાન આપ્યું. ‘હિન્દ છોડો’ એ આઝાદીની લડતનું વધુ તીવ્ર આંદોલન હતું અને ત્યારથી અંગ્રેજો સમજી ગયા કે હવે લાંબો વખત ભારતને ગુલામ રાખી શકાશે નહીં. આંદોલનની હવા વાતાવરણમાં હતી જ અને તેથી સરકારે તેને કચડી નાખવા પૂરતી તૈયારી કરી રાખેલી હતી. જેવી મુંબઈની સભા પૂર્ણ થઈ કે તે જ દિવસથી ધરપકડોની શરૂઆત થઈ. તે રાત્રે મોટાભાગના કારોબારી સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી. ગાંધીજીની અને બીજાઓની પણ ધરપકડ થઈ. ગાંધીજીને આગાખાન મહેલમાં અને અન્ય નેતાઓને છૂપી રીતે અહમદનગરના કિલ્લામાં લઈ જવાયા. બીજી એક અગત્યની બાબત એ હતી કે આંદોલન શરૂ થતાં જ મોટા નેતાઓની ધરપકડો થવા લાગી. ટૂંક સમયમાં જ આંદોલન નેતાગીરીવિહીન બન્યું. તેની અસર એ થઈ કે હવે આ લડત લોકોની લડત બની ગઈ. સ્થાનિક કક્ષાએ લોકોએ પોત- પોતાની રીતે લડત ચલાવી. અગાઉની લડતો કરતાં આ હિંદ છોડો આંદોલન વધુ વ્યાપક હતું અને સ્વરાજ્યની તીવ્ર ઉત્કંઠાથી પ્રજાએ તેમાં ભાગ લીધો. સામે પક્ષે સરકાર પણ વધારે આક્રમક બની અને અગાઉ કરતાં વધારે લાઠી અને બંદૂક નો ઉપયોગ કર્યો. વધુ ધરપકડો થઈ અને મોત પણ વધારે થયાં. હજારો મોત અને લાખો ધરપકડ કરવા છતાં અંતે અંગ્રેજો એ જાણી ગયા કે હવે ભારતમાંથી ઉચાળા ભરવાનો સમય થઈ ગયો છે. આ લડત પછી તરત તો આઝાદી મળી નહીં પણ આઝાદી મળશે અને અંગ્રેજ શાસન સમાપ્ત થશે તેવી સ્થિતિ ચોક્કસ નિર્માણ થઈ ગઈ. આમ, 8 ઑગસ્ટ એ ભારતીય સ્વતંત્ર સંગ્રામનું મહત્વનું સીમાચિહ્ન છે અને તેથી આ આંદોલનમાં પોતાનું તન, મન, ધન ગુમાવી શહીદ થયેલા તમામના આપણે ઋણી છીએ.

08th August

Read more
હિંદ છોડો આંદોલન દિન
08th August
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે મહાત્મા ગાંધીજી દ્વારા કરાયેલા આહ્વાન પર 8 મી ઑગસ્ટ, 1942 ના દિને 'હિંદ છોડો આંદોલન' નો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને અંગ્રેજ શાસનની ગુલામીમાંથી તુરંત આઝાદ કરાવવા માટે અંગ્રેજ શાસન વિરુદ્ધ એક ‘નાગરિક અવજ્ઞા આંદોલન' (Civil Disobedience Movement - સવિનય કાનૂનભંગ) હતું.
8 ઑગસ્ટ, 1942 નો દિવસ ભારતીય ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ દિવસ છે. આ દિવસે મુંબઈમાં કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું તેમાં ‘કરો યા મરો' નો નારો આપ્યો. કોંગ્રેસે વિધિવત રીતે અંગ્રેજોને...
Read more
વિશ્વ આદિવાસી દિન
વિશ્વ આદિવાસી દિન

વિશ્વમાં 9 ઓગસ્ટ ને આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે. 1991 માં બ્રાઝીલના રિયો-ડી-જાનેરો માં ટકાઉ વિકાસ અને પર્યાવરણ પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં દુનિયાના ખૂણે ખૂણેથી આદિવાસીઓ આવ્યા હતા. એમને પોતાના સમુદાયના જંગલ, જમીન, પાણી અને કુદરતી સ્રોત પરના હકની માગણી કરી એમની માંગણીને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી. વિશ્વભરમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાય એટલે કે આદિવાસી સમાજને એમના હક, અધિકારો અને સમ્માન મળે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ 9 ઓગસ્ટ, 1991ને વિશ્વ આદિવાસી દિન જાહેર કરેલ છે. દુનિયાભરના લગભગ તમામ દેશોમાં આદિવાસી પ્રજા વસે છે. આ પ્રજા તમામ ખંડના રણવિસ્તારોમાં, જંગલોમાં, પર્વતોમાં કે ઊંચા ઘાસનાં બિડો માં વસતી જોવા મળે છે. આદિકાળથી ગામ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં આદિવાસી પ્રજાને મૂળ વસાહતીઓ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં આદિવાસીઓની ગણના અનુસૂચિત જનજાતિ માં થાય છે. પહેલાં આ જાતિમાં શિક્ષણ નહીંવતું હતું. પણ આજે ઘણા આદિવાસીઓ ઉચ્ચ અભ્યાસ કરીને વિકાસ કરી રહ્યા છે, તેમ છતાં અંતરિયાળ દુર્ગમ વિસ્તારમાં આદિવાસી પ્રજા સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને નહિવત અક્ષરજ્ઞાન સાથે જીવી રહી છે. 2011 ની વસતીગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં સાક્ષરતાનો દર 62.5% હતો. આ સાક્ષરતા દર વધે, આદિવાસી પ્રજામાં શિક્ષણનું સ્તર ઉત્તરોત્તર વધે અને ઉચ્ચશિક્ષણ મેળવી તેઓ રાષ્ટ્રને ઉપયોગી બને તે ખૂબ જ જરૂરી છે. આદિવાસી પ્રજામાં નીડરતા, સાહસિકતા. ખડતલપણું, સંઘર્ષશક્તિ જેવા નૈસર્ગિક ગુણો સમાયેલા હોય છે. આ ગુણો વિશ્વ માટે ઉપયોગી બને અને તેઓ વિશ્વમાનવી બને તે માટે વિશ્વ આદિવાસી દિન ઉજવવામાં આવે છે. આદિવાસી એક વિરાસત છે. તેમની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે તેમજ સમાજ ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આદિવાસીઓનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવશાળી છે. ભારત સહિત વિશ્વમાં એમની વીરતા અને શહાદતની ગૌરવ ગાથાઓ છે. સોમનાથના રક્ષણ માટે નીકળેલા હમીરસિંહને સાથ આપનાર વોગડો ભીલ, અંગ્રેજ શાસન સામે બગાવત કરનાર તાતીથો ભીલ, સમગ્ર આદિવાસી પ્રજા જેને ગુરુ માને છે તે બિરસા મુંડા, માનગઢમાં શહીદી વહોરાનાર આદિવાસીઓના ગોવિંદગુરુ, મેવાડ ધરા ઉપર સીસોદીયાના વંશને બચાવવા પોતાના દીકરાનું બલિદાન આપનાર પન્ના જેવા અનેક વીર રત્નો એના પુરાવા છે. આદિવાસી પ્રજાની વીરતા, બલિદાન અને ખુમારીની આવી તો અનેક ગાથાઓ છે. આ પ્રજાના આવા નૈસર્ગિક ગુણો અને ક્લા તેમજ તેમની સંસ્કૃતિ જળવાય તે માટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ઉજવવામાં આવે છે. આજે પણ એવા ઘણા આદિવાસી વિસ્તારો છે, કે જ્યાં શિક્ષણ અને સવલતો પહોંચી નથી અથવા નહીંવત પહોંચી છે. આથી આદિવાસી પ્રજા વિશાળ ફલક ઉપર આવે અને તેમની ઓળખ ઉભી કરે તેવા પ્રયત્નો થવા જોઈએ. તેમની ભાષા અને વ્યાકરણ, તેમના પારંપરિક તહેવારો, તેમના દેવી- દેવતાઓ વગેરે વિશે લોકો જાણે અને અપનાવે તેવા હેતુથી પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત દેશમાં આપણા રાજ્યમાં આદિવાસી ઉત્કર્ષના અનેક કાર્યક્રમો અને વિકાસની યોજનાઓ છે. જેની જાણકારી અને લાભ આદિવાસી પ્રજા મેળવે તેવા હેતુથી આદિવાસી દિવસની ઉજવણી આયોજનબદ્ધ રીતે થાય છે. વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખી વનબંધુ કલ્યાણ યોજના, ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડતી યોજનાઓ, એકલવ્ય જેવી નિવાસી શાળાઓ, જંગલની જમીન, જળ અને વનપેદાશોને લગતી ઘણી યોજનાઓ આજે અમલમાં છે. આ તમામ પ્રયત્નો એટલા માટે કરવામાં આવે છે, કે આદિવાસી પ્રજા મૂળ પ્રવાહ સાથે જોડાઈને સૌની સાથે કદમ મિલાવે. આપણે આગળ જોયું તેમ આદિવાસી વિસ્તારમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ પહેલા ખૂબ ઓછું હતું. અનેક પ્રયત્નો છતાં એમાં સંતોષજનક પરિણામ મેળવી શકાયું નથી. સરકારની અનેકવિધ યોજનાઓ અમલીકૃત હોવા છતાં આદિવાસી સમાજમાં જોઇએ તેવી પ્રગતિ જોવા મળેલ નથી. આ પરિસ્થિતિમાં આદિવાસીઓના વિકાસ માટે યુનોએ 1994 થી 2004 સુધી મૂળનિવાસીઓ (આદિવાસી)નો દસકો ઉજવ્યો. પછી 2004 થી 2014 સુધી બીજો દસકો ઉજવ્યો. 2015 નું વર્ષ આદિવાસી અસ્મિતાને ઉજાગર કરવાના હેતુથી ઉજવવામાં આવ્યું હતું. આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો મુખ્ય આધાર ખેતી અને વન્યપેદાશો છે. તેમના તહેવારો ખેતીની મોસમ અનુસાર આવતા હોય છે તેઓ આજે પણ તેમની મૂળભૂત સંસ્કૃતિને સાચવીને બેઠા છે. તેમની સંસ્કૃતિ, તેમના તહેવારો પોશાક, બોલી વગેરે બધાથી અલગ અને અનોખી રીતભાત ધરાવતા હોય છે. વિશ્વભરના મૂળનિવાસી અને પ્રકૃતિપ્રેમી એવા આદિવાસીઓ પોતાના હક્ક, અધિકારો અને સમાજમાં યોગ્ય દરજ્જો મળે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ 9 ઑગસ્ટને “વિશ્વ આદિવાસી દિન' તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. 1994 માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દરમિયાન આદિવાસીઓની સંસ્કૃતિના રીત-રિવાજો, ગીતો, તેમની વીરગાથાઓ તેમજ આઝાદી દરમિયાન કે અન્ય કોઈપણ તેમના મહાન યોગદાનને ઉજાગર કરીને લોકો સમક્ષ લાવવામાં આવે છે. જેથી આદિવાસી પ્રજા લોકોમાં સ્વમાનભેર સ્થાન પામે અને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડાય વિશ્વની વિરાસત એવા આદિવાસી સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે આદિવાસી દિવસની ઉજવણી ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં આદિવાસી સમુદાયના લોકો, આદિવાસી સંગઠનો સરકારી અને સામાજિક સંસ્થાઓ સામુહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે. આપણે સૌએ આદિવાસી સમાજના સામાજિક, શૈક્ષિણિક અને આર્થિક વિકાસ માટે પ્રયાસો કરવા જોઈએ. આવા પ્રયત્નો થાય તો જ આદિવાસી દિવસની ઉજવણી સાર્થક ગણાય.

09th August

Read more
વિશ્વ આદિવાસી દિન
09th August
વિશ્વમાં 9 ઓગસ્ટ ને આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે. 1991 માં બ્રાઝીલના રિયો-ડી-જાનેરો માં ટકાઉ વિકાસ અને પર્યાવરણ પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં દુનિયાના ખૂણે ખૂણેથી આદિવાસીઓ આવ્યા હતા. એમને પોતાના સમુદાયના જંગલ, જમીન, પાણી અને કુદરતી સ્રોત પરના હકની માગણી કરી એમની માંગણીને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી. વિશ્વભરમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાય એટલે કે આદિવાસી સમાજને એમના હક, અધિકારો અને સમ્માન મળે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ 9 ઓગસ્ટ, 1991ને વિશ્વ...
Read more
વિશ્વ સિંહ દિન
વિશ્વ સિંહ દિન

જેમ વિશ્વમાં ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે વગેરે જેવા દિવસો સ્વજન માટે ઉજવાય છે તેમ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક દિવસ એટલે વિશ્વ સિંહ દિન. વિશ્વભરમાં એક માત્ર ગીર અભ્યારણ્ય અને તેની આસપસના વિસ્તારોમાં જોવા મળતા એશિયાઇ સિંહ અને આફ્રિકાનાં જંગલોમાં રહેતા આફ્રિકન સિંહો ના સંવર્ધન અને સંરક્ષણ માટે 10 ઑગસ્ટ ના દિવસે 'World Lion Day' ની ઉજવણી કરવામાં આવે છે. સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક પ્રતીક સ્વરૂપે ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવું મહત્વ ધરાવતું પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનું ખૂબ જ મોટું યોગદાન સમાયેલું છે. સ્થાનિક લોકોના સહકાર, સરકારની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની સખત મહેનતના કારણે છેલ્લા કેટલાંક વર્ષોથી એશિયાઇ સિંહોની વસતીમાં વધારો થયો છે. ગીરના નેસ વિસ્તારમાં વસતા માલધારીઓનો સિંહ સાથેનો સંબંધ અનોખો છે, સિંહના મૃત્યુથી આ લોકો સ્વજનનું મૃત્યુ થયું હોય તેવા શોકની અનુભૂતિ કરે છે. જેના પરિણામ સ્વરૂપ એશિયાઇ સિંહો ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૈારાષ્ટ્રનાં હજારો ચોરસ કીલોમીટરમાં વિહરતા થયા છે. વિશ્વ સિંહ દિનની ઉજવણી વનવિભાગ દ્વારા વર્ષ 2016 થી શરૂ કરવામાં આવી છે. જીવ સમતુલા જાળવવા અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા જાળવી રાખવા સિંહોના અસ્તિત્વને ટકાવી રાખવું જરૂરી છે. હાલ સિંહો સાસણ ગીર ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં જોવા મળે છે. સિંહોની સંખ્યામાં વધારો થતાં બૃહદ્ ગીરની કામગીરી અમલમાં છે. ગુજરાતમાં દર 5 વર્ષે સિંહોની ગણતરી થાય છે. સિંહોની સંખ્યામાં જોઈએ તો છેલ્લી ગણતરી મુજબ 2015 માં આશરે 523 સિંહો સાસણ ગીર ખાતે જોવા મળ્યા હતા. જે 2020 માં આશરે 674 નો આંકડો પાર કરી રહ્યા હોવાનું એક અનુમાન છે. સિંહોની વધતી સંખ્યા તેમના સંવર્ધન અને સંરક્ષણ માટે થઇ રહેલા પ્રયત્નોની સફળતાને આભારી છે. આમ છતાં કુદરતી મૃત્યુ કરતાં માનવસર્જિત પ્રવૃતિઓને કારણે સિંહોના મૃત્યુના આંકડા વધુ છે. ગીરના વિસ્તારમાંથી પસાર થતો રેલવે ટ્રેક, માનવરહિત ફાટક તેમજ ખુલ્લા કૂવાઓ સિંહના અપમૃત્યુનું કારણ બનતા જોવા મળ્યા છે.

10th August

Read more
વિશ્વ સિંહ દિન
10th August
જેમ વિશ્વમાં ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે વગેરે જેવા દિવસો સ્વજન માટે ઉજવાય છે તેમ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક દિવસ એટલે વિશ્વ સિંહ દિન. વિશ્વભરમાં એક માત્ર ગીર અભ્યારણ્ય અને તેની આસપસના વિસ્તારોમાં જોવા મળતા એશિયાઇ સિંહ અને આફ્રિકાનાં જંગલોમાં રહેતા આફ્રિકન સિંહો ના સંવર્ધન અને સંરક્ષણ માટે 10 ઑગસ્ટ ના દિવસે 'World Lion Day' ની ઉજવણી કરવામાં આવે છે.
સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક પ્રતીક સ્વરૂપે ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવું મહત્વ ધરાવતું પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં...
Read more
ખુદીરામ બોઝ પુણ્યતિથિ
ખુદીરામ બોઝ પુણ્યતિથિ

ભારતમાં ઘણા બધા દેશભક્તો અને ક્રાંતિકારીઓ થઈ ગયા. ભારતમાતાની આઝાદી માટેના સંગ્રામમાં રણે ચડેલા નાની ઉંમરના વ્યક્તિ પૈકી એક ખુદીરામ બોઝ હતા. ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889 ના રોજ બંગાળના મેદનીપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રૈલોક્યનાથ અને માતાનું નામ લક્ષ્મીપ્રિયાદેવી હતું. તેમના પિતા નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેઓ 6 વર્ષના હતા ત્યારે તેમની માતા અને બીજા વર્ષે પિતાનું અવસાન થયું હતું. તેઓ તેમની મોટી બહેનને ત્યાં ઉછર્યા હતા. તેઓ ધોરણ 9માંથી અભ્યાસ છોડીને સ્વદેશી ચળવળમાં ભાગ લેવા માંડ્યા. આ દરમિયાન સત્યેન્દ્ર બોઝ ના સંપર્કમાં આવવાથી તેઓ ક્રાંતિકારી જૂથમાં જોડાયા. તેમણે ભગવદ્ ગીતા, મેઝિની અને ગેરિબાલ્ડીનાં જીવનચરિત્રો,ફ્રાંસની ક્રાંતિનો અભ્યાસ કર્યો હતો. ‘સોનાર બાંગલા' નામની અંગ્રેજો સામે વિદ્રોહ પૂરતી પત્રિકા વેચતાં 28 ફેબ્રુઆરી, 1906 ના રોજ પોલીસે મિદનાનપુરમાં તેમની ધરપકડ કરી ત્યારે તેઓ પોલીસને ઘાયલ કરીને ત્યાંથી નાસી ગયા હતા. 6 ડિસેમ્બર, 1907 ના રોજ નારાયણગઢ સ્ટેશન પર બંગાળ ગવર્નર ની સ્પેશિયલ ટ્રેન પર બોમ્બ ફેંક્યો પણ કમનસીબે ગવર્નર બચી ગયો. 1908 માં વોટ્સન અને બેમિફલ્ટ ફુલર નામના બે અંગ્રેજ અધિકારીને મારી નાખવાના પ્રયાસમાં પણ તેઓ સંકળાયેલા હતા. આ બંને કેસમાં ખુદીરામ બોઝની ધરપકડ કરવામાં આવી પણ પુરાવાના અભાવે તેઓ બચી ગયા. ‘યુગાન્તર' નામના ક્રાંતિકારી ગ્રુપે કિંગ્સફોર્ડ ની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને તે કામ ખુદીરામ બોઝ ને અને પ્રફુલ ચાકી ને સોંપવામાં આવ્યું બોમ્બ અને પિસ્તોલ લઇ આ નરબંકાઓ નીકળી પડ્યા. મુઝફરપુર માં બે દિવસ કિંગ્સફોર્ડની હિલચાલ પર નજર રાખી અને 30 એપ્રિલ, 1908 ની રાતે તેમની બગી ઉપર બોમ્બ ફેંક્યો પણ કમનસીબે કિંગ્સફોર્ડના પત્ની કેનેડી અને પુત્રી મરણ પામ્યા અને કિંગ્સફોર્ડ બચી ગયો. ખુદીરામ બોઝ પકડાઈ ગયા અને પ્રફુલ ચાકીએ પોતાને ગોળી મારીને શહીદી વહોરી લીધી. પકડાયેલ ખુદીરામ બોઝને મૃત્યુદંડની સજા કરવામાં આવી. 11 ઑગસ્ટ, 1908 ના રોજ અંગ્રેજ સરકારે ખુદીરામને મુઝફરપુરની જેલમાં ફાંસીની સજા આપી. જ્યારે ફાંસી લટકાવવામાં આવ્યા ત્યારે ખુદીરામ બોઝ હાથમાં ગીતા રાખીને ત્રણવાર 'વંદેમાતરમ્' ના નારા લગાવી ખુશી ખુશી ફાંસીએ ચડ્યા. દેશ માટે શહીદ થનાર ખુદીરામ બોઝ ભારતવાસીઓના હૃદયમાં આજે પણ બિરાજમાન છે.

11th August

Read more
ખુદીરામ બોઝ પુણ્યતિથિ
11th August
ભારતમાં ઘણા બધા દેશભક્તો અને ક્રાંતિકારીઓ થઈ ગયા. ભારતમાતાની આઝાદી માટેના સંગ્રામમાં રણે ચડેલા નાની ઉંમરના વ્યક્તિ પૈકી એક ખુદીરામ બોઝ હતા. ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889 ના રોજ બંગાળના મેદનીપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રૈલોક્યનાથ અને માતાનું નામ લક્ષ્મીપ્રિયાદેવી હતું. તેમના પિતા નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેઓ 6 વર્ષના હતા ત્યારે તેમની માતા અને બીજા વર્ષે પિતાનું અવસાન થયું હતું. તેઓ તેમની મોટી બહેનને ત્યાં ઉછર્યા હતા. તેઓ ધોરણ 9માંથી અભ્યાસ...
Read more
વિશ્વ હાથી દિન
વિશ્વ હાથી દિન

હાથીની મુખ્ય બે જાત છે - એશિયન અને આફ્રિકન. આફ્રિકન હાથીના કાન એશિયન હાથી કરતાં ત્રણ ગણા મોટા હોય છે. "હાથી જીવે ત્યારે લાખનો, મર્યે સવા લાખનો" કહેવત અનુસાર જેમ સમય જાય તેમ હાથી વધુ મૂલ્યવાન બને છે. તેથી જ તો હાથીઓનો વધુ શિકાર અને વેપાર થાય છે. હાથીની દુર્દશા જાણે, સમજે અને જંગલી તેમજ બંદી બનાવેલા હાથીઓની સારી રીતે દેખભાળ કરવામાં આવે તે બાબતે વિશ્વના લોકો જાગૃત બને તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે 12 ઑગસ્ટના રોજ “વિશ્વ હાથી દિન” (World Elephant Day) મનાવવામાં આવે છે. 13 ઓક્ટોબર, 2010 ના રોજ ભારતમાં રાષ્ટ્રીય વન્યપ્રાણી બોર્ડ (National Board for Wild Life - NBWL) ની સ્થાયી સમિતિની બેઠકમાં હાથીને રાષ્ટ્રીય વારસા તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી, પર્યાવરણ મંત્રાલયે 15 ઓક્ટોબર, 2010 ના રોજ આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. હાથીઓ સમગ્ર જીવસૃષ્ટિ અને પ્રકૃતિના સંતુલન માટે ખૂબ મહત્વપૂર્ણ પ્રાણી છે. અન્ય વન્યજીવોની પ્રજાતિઓ તથા નિવસનતંત્ર (Ecosystem) જાળવવામાં પણ હાથી ખૂબ મદદરૂપ છે. 'હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા' જોડકણું સાંભળતાવેંત નાના મોટા સહુ કોઈને સૂંઢ ડોલાવતો હાથી નજરે ચડે છે. બાળકોના પ્રિય પ્રાણી હાથી પર અનેક જોડકણાં, બાળગીતો અને બાળવાર્તાઓ છે ત્યારે 12 ઓગષ્ટે ઉજવવામાં આવતા વિશ્વ હાથી દિનને થોડા રોચક - રસપ્રદ અને માહિતીસભર તથ્યોથી ઉજવી આ દિવસને સમગ્ર વિશ્વમાં હાથીઓના સંરક્ષણ માટે સમર્પિત કરીએ. હાથી વિશે રોચક તથ્યો: હાથીનું આયુષ્ય 100 વર્ષથી પણ વધુ છે. પ્રત્યેક મિનિટે હાથી 2 થી 3 વાર શ્વાસ લે છે અને છોડે છે. હાથી એકમાત્ર પ્રાણી છે જે કૂદી શકતો નથી, પરંતુ તે લાંબા સમય સુધી તરવાની ક્ષમતા ધરાવે છે. હાથી તેના શરીરનું તાપમાન જાળવવા માટે તેના કાન સતત હલાવ્યા કરે છે. હાથીઓ ગાઢ જંગલમાં માર્ગ બનાવે છે જે બીજા પ્રાણીઓ દ્વારા ઉપયોગ કરાય છે. હાથી દિવસના લગભગ 16 કલાક જેવો સમય ખાવામાં જ વિતાવે છે. કીચડ હાથીઓ માટે સનસ્ક્રીનનું કામ કરે છે માટે હાથી કીચડમાં જ આળોટે છે. આફ્રિકન હાથી જમીન ઉપરનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે. હાથીઓ નિવસનતંત્ર અને જૈવવૈવિધ્ય (ઇકોસિસ્ટમ બાયોડાયવર્સિટી) જાળવવામાં મદદ કરે છે. હાથી એક દિવસમાં 300 લીટર સુધી પાણી પી શકે છે. હાથીઓ ભાગ્યે જ જોડીયા બચ્ચાંને જન્મ આપે છે. હાથીઓના બચ્ચાંને પોતાની સૂંઢ ચૂસવાની આદત હોય છે. તાલીમ પામેલ હાથી પોતાની સૂંઢથી ચિત્રો પણ દોરી શકે છે. હાથીનું શરીર નાના-નાના વાળથી ઢંકાયેલું હોય છે, શારીરિક વિકાસની સાથે જ આ વાળની વૃદ્ધિ ઘટી જાય છે. હાથીની ત્વચા જાડી હોવા છતાં બહુ સંવેદનશીલ હોય છે.

12th August

Read more
વિશ્વ હાથી દિન
12th August
હાથીની મુખ્ય બે જાત છે - એશિયન અને આફ્રિકન. આફ્રિકન હાથીના કાન એશિયન હાથી કરતાં ત્રણ ગણા મોટા હોય છે. "હાથી જીવે ત્યારે લાખનો, મર્યે સવા લાખનો" કહેવત અનુસાર જેમ સમય જાય તેમ હાથી વધુ મૂલ્યવાન બને છે. તેથી જ તો હાથીઓનો વધુ શિકાર અને વેપાર થાય છે. હાથીની દુર્દશા જાણે, સમજે અને જંગલી તેમજ બંદી બનાવેલા હાથીઓની સારી રીતે દેખભાળ કરવામાં આવે તે બાબતે વિશ્વના લોકો જાગૃત બને તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે 12 ઑગસ્ટના રોજ “વિશ્વ હાથી દિન” (World Elephant Day) મનાવવામાં આવે છે....
Read more
વિક્રમ સારાભાઈ જન્મ જયંતી
વિક્રમ સારાભાઈ જન્મ જયંતી

અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા. ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઑગસ્ટ, 1919 ના રોજ અમદાવાદ માં થયો હતો. વિક્રમ સારાભાઈનો પરિવાર ભારતનો એક ધનાઢ્ય અને ઔદ્યોગિક પરિવાર હતો. વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઈ શાળામાં અભ્યાસ કર્યો નહોતો. વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતાં નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયાં હતાં. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ- વિજ્ઞાનના પ્રખર હિમાયતી અને પરમાણુ યુગના પુરસ્કર્તા વિજ્ઞાની હતા. વિક્રમ સારાભાઈને નાનપણથી જ યંત્રોમાં રસ હતો. એમના માટે બંગલામાં જ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા ઊભી કરવામાં આવી. તેમને ભાષાઓ, ગણિત અને કળાનું ભરપૂર જ્ઞાન હતું. 1937 માં આર.સી. ટેકનિકલ સ્કૂલ દ્વારા મેટ્રિકની પરીક્ષા પાસ કરી ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર પછી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિર્વિસટીની સેન્ટ જ્હોન્સ કોલેજ માં પ્રવેશ મેળવી તેઓ સ્નાતક થયા. 1941 થી 1946 દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામન ના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગલોરમાં તેઓએ બ્રહ્માંડ કિરણો (કૉસ્મીક રૅઝ) નો અભ્યાસ કર્યો. તેમણે બ્રહ્માંડ કિરણો પર પોતાનો અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો. 1947 માં કેમ્બ્રિજ યુનિર્વિસટીએ વિક્રમ સારાભાઇનો બ્રહ્માંડ કિરણો પરનો શોધ મહાનિબંધ સ્વીકાર્યો અને "કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્સ" વિષય પર Ph.D. ની ડિગ્રી એનાયત કરી અને તેઓ ડૉ.વિક્રમ સારાભાઇ બન્યા. ડૉ. વિક્રમ સારાભાઈએ કાપડ ઉદ્યોગમાં ઉત્તમ ક્વોલિટીની જાતોના સંશોધન માટે ઉદ્યોગપતિ શેઠ શ્રી કસ્તૂરભાઇ ના સાથ સહકારથી AHMEDABAD TEXTILE INDUSTRY'S RESEARCH ASSOCIATION (ATIRA) સ્થાપના કરી. ડૉ. વિક્રમ સારાભાઈ પોતે જ ATIRA ના પહેલા નિયામક બન્યા. બ્રહ્માંડ કિરણો (કોસ્મિક રૅઝ) અને વાતાવરણના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટે 1947 માં અમદાવાદની એમ.જી.સાયન્સ કૉલેજમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની શરૂઆત કરી. જે આજે PRL(PHYSICAL RESEARCH LABORATORY) ના નામે સમગ્ર દેશમાં જાણીતી સંસ્થા છે. ત્યાર બાદ તેમણે નીચે મુજબની સંસ્થાઓ સ્થાપી: ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ અમદાવાદ કમ્યુનિટી સાયન્સ સેન્ટર નેહરુ ફાઉન્ડેશન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન થુમ્બા રોકેટ લોચિંગ સ્ટેશન, ત્રિવેન્દ્રમ્ શ્રી હરિકોટા રોકેટ રેન્જ એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન ઇસરો, અમદાવાદ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિવિઝન સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થસ્ટેશન, અરવી ફાસ્ટ બિડર રિએકટર્સ, કલ્પકમ ન્યુક્લિયર સેન્ટર ફોર એગ્રિકલ્ચર, દિલ્હી ડૉ. વિક્રમ સારાભાઈ એમની વૈજ્ઞાનિક તરીકેની સેવામાં ઈસરોના અધ્યક્ષ તરીકે અને ભારતીય અણુપંચના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ ડૉ. સારાભાઈના માર્ગદર્શન હેઠળ Ph.D. ની પદવી પ્રાપ્ત કરી. ડૉ. વિક્રમ સારાભાઈએ લગભગ 85 જેટલા વૈજ્ઞાનિક અને સંશોધનને લગતા વિવિધ લેખો પણ લખ્યા છે. 30 ડિસેમ્બર, 1971 માં માત્ર બાવન વર્ષની નાની વયે અચાનક એમનું અવસાન થયું. જીવનની છેલ્લી ક્ષણ સુધી અવકાશી સંશોધનમાં વ્યસ્ત રહી ડૉ. વિક્રમ સારાભાઈએ વિજ્ઞાન-જગતની ઉત્તમ સેવા કરી. 1972 માં ભારત સરકારે એમને મરણોત્તર પદ્મવિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. ડૉ. વિક્રમ સારાભાઈના અથાગ પ્રયત્નોથી ભારત દ્વારા 1975 માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો. ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ પણ ડૉ. વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમ અને મિસાઈલ કાર્યક્રમના પિતા ગણાવતા હતા કારણ કે ભારતે પોતાનો મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોઇએ તેવી પહેલી દરખાસ્ત ડૉ. વિક્રમ સારાભાઇએ રજૂ કરી હતી. ઉપગ્રહ દ્વારા દેશના અંતરિયાળ વિસ્તાર સુધી સંદેશાવ્યવહાર અને ટીવી પ્રસારણ એ ડૉ. વિક્રમ સારાભાઈનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું છે.

12th August

Read more
વિક્રમ સારાભાઈ જન્મ જયંતી
12th August
અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા. ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઑગસ્ટ, 1919 ના રોજ અમદાવાદ માં થયો હતો. વિક્રમ સારાભાઈનો પરિવાર ભારતનો એક ધનાઢ્ય અને ઔદ્યોગિક પરિવાર હતો. વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઈ શાળામાં અભ્યાસ કર્યો નહોતો. વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતાં નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયાં હતાં. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ- વિજ્ઞાનના પ્રખર હિમાયતી અને...
Read more
વિશ્વ અંગદાન દિન
વિશ્વ અંગદાન દિન

દર વર્ષે 13 ઓગસ્ટે 'વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે' એટલે કે 'વિશ્વ અંગદાન દિન' ની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં અંગદાન માટેની જાગૃતિ કેળવવા માટે આ દિવસ ઉજવાય છે. આપણા સૌના જીવનમાં રહેલી અનિશ્ચિતતાનો વિચાર કરીને મૃત્યુ પછી પણ આપણાં અંગો અન્ય વ્યક્તિને જીવનદાન આપી શકે તેવી ઉમદા ભાવના આ દિન વિશેષની છે. આજના સમયમાં અંગદાન કદાચ શ્રેષ્ઠ દાન છે. કારણ કે એના દ્વારા આપણને મૃત્યુ પછી પણ બીજી વ્યક્તિને નવજીવન આપવાની તક મળે છે. આપણા અંગદાન દ્વારા મૃત્યુ પછી પણ આપણા અંગોથી કોઈ બીજું જીવી શકે એ વિચાર કેટલો અદ્ભૂત છે! જેમને જીવવા માટે આવા અંગોની જરૂર છે એવા લોકો માટે અંગદાન એક આશીર્વાદ છે. ખાસ કરીને બ્રેઇન ડેડ તરીકે જાહેર થયેલ વ્યક્તિના કિસ્સામાં તેના મૃત્યુ પછી શક્ય એટલી ઝડપથી તેમનાં ઉપયોગી અંગો કાઢીને જરૂરતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે અને તેમના શરીરમાં યોગ્ય રીતે મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા કાયદાકીય દ્દષ્ટિએ માન્યતા પ્રાપ્ત છે અને એ માટે જવાબદાર સંસ્થા અને યોગ્ય કાયદાઓ આ આખી પ્રક્રિયા પર દેખરેખ રાખે છે. શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ કોઈપણ કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇપણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. બ્રેઇન ડેડ થયેલા દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક શસ્ત્રક્રિયા છે. તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે અંતિમ વિધિમાં કોઇપણ પ્રકારની અડચણ થતી નથી. અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે કારણ કે તેનાથી આ દુનિયામાંથી જતાં જતાં પણ કોઈ વ્યક્તિ અન્ય મનુષ્યને નવજીવન આપી શકે છે. અંગદાનને લઈને સમાજમાં કેટલીક ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. ચાલો આવી ખોટી માન્યતાઓ અને સાચી હકીકત વિશે જાણીએ: માન્યતા: હું અંગદાન કરવાનો/કરવાની છું એવી ડૉક્ટર્સને ખબર પડી જશે તો તેઓ મને બચાવશે નહીં અથવા બચાવવાનો પ્રયત્ન નહીં કરે. હકીકત: આ માન્યતા તદ્દન ખોટી છે. ડૉક્ટર્સ હંમેશાં દર્દીનો જીવ બચાવવાનો જ પ્રયત્ન કરશે. તમે અંગદાન કરવાનાં છો તે જાણીને કોઈપણ ડૉક્ટર તમને જાણી જોઈને કે હેતુપૂર્વક મરવા માટે નહીં છોડી દે. માન્યતા: મને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સબંધી સમસ્યા હોય તો હું અંગદાન નહીં કરી શકું. હકીકત: તમારી સમસ્યા જોઇને તમે અંગદાન કરી શકશો કે નહીં તે બાબત ડૉક્ટર નક્કી કરશે. માન્યતા: મોટી ઉંમરનાં લોકો અંગદાન કરી શકે નહીં અથવા અંગદાન કરવું તેમનાં માટે જોખમી છે. હકીકત: અંગદાનને ઉંમર સાથે કોઇ સંબંધ નથી. કોઈપણ ઉંમરની સ્વસ્થ વ્યક્તિ અંગદાન કરી શકે છે. માન્યતા: અંગદાન કરવા માટે મારે પૈસા ચૂકવવા પડશે. હકીકત: પોતાના અંગોનું દાન કરનાર વ્યક્તિ કે તેના પરિવારના સભ્યોને અંગદાન માટે કોઇને પણ પૈસા ચૂકવવા પડતા નથી. માન્યતા: દાન કરેલ અંગોને કોઈ ગેરકાયદેસર રીતે વેચી દે તો? હકીકત: કોઈ હોસ્પિટલ કે સંસ્થા દ્વારા આવી કોઇ પ્રવૃત્તિ થતી હોતી નથી, પરંતુ આવું કૃત્ય કરતા કોઇ પકડાય તો તેની સામે કાયદેસરના પગલા લેવાય છે. દાન કરી શકીએ એવા અંગોમાં કિડની, ફેફસાં, હૃદય, આંખો, લીવર, નાનું આંતરડું, ચામડીના કોષો, હાડકાંના કોષો, હૃદયના વાલ્વ વગેરે આવે છે. ભારતમાં અંગદાનના કાયદા મુજબ મૃત્યુ પછી પરિવારના કોઈ સભ્ય અંગદાન માટે તૈયાર થાય ત્યારે તેમના કુટુંબીજનો અને નજીકના સંબંધીઓ સાથે ચર્ચા કરી, તેમની ઈચ્છા મુજબ અંગદાન કરવા માટે સમજણ આપવામાં આવે છે. તમારા મૃત્યુના કિસ્સામાં તમારા અંગો વિશેની અંતિમ નિર્ણય પ્રક્રિયા તેમને પૂછીને તેમની લેખિત સંમતિ પછી જ થતી હોય છે. વ્યક્તિ અંગદાન માટે NOTTO (NATIONAL ORGAN AND TISSUE TRANSPLANT ORGANIZATION), Directorate General of Health Services, Ministry of Health & Family Welfare, Govt. of India ની વેબસાઈટ https://notto.abdm.gov.in/register પર જઈને ફોર્મ ભરી શકે છે.

13th August

Read more
વિશ્વ અંગદાન દિન
13th August
દર વર્ષે 13 ઓગસ્ટે 'વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે' એટલે કે 'વિશ્વ અંગદાન દિન' ની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં અંગદાન માટેની જાગૃતિ કેળવવા માટે આ દિવસ ઉજવાય છે. આપણા સૌના જીવનમાં રહેલી અનિશ્ચિતતાનો વિચાર કરીને મૃત્યુ પછી પણ આપણાં અંગો અન્ય વ્યક્તિને જીવનદાન આપી શકે તેવી ઉમદા ભાવના આ દિન વિશેષની છે. આજના સમયમાં અંગદાન કદાચ શ્રેષ્ઠ દાન છે. કારણ કે એના દ્વારા આપણને મૃત્યુ પછી પણ બીજી વ્યક્તિને નવજીવન આપવાની તક મળે છે. આપણા અંગદાન દ્વારા મૃત્યુ પછી પણ આપણા અંગોથી કોઈ બીજું જીવી શકે એ વિચાર કેટલો અદ્ભૂત છે!...
Read more
સ્વતંત્રતા દિન
સ્વતંત્રતા દિન

15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો. ભારત દેશ વર્ષો સુધી અંગ્રેજ શાસન હેઠળ રહ્યો. સ્વાતંત્ર્ય સેનાનીઓની આગેવાની હેઠળ સત્ય અને અહિંસાની લડત લડીને, હજારો દેશભક્તોની કુરબાનીને કારણે 15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણા દેશમાં સ્વતંત્રતાનો સૂરજ ઉગ્યો. સ્વતંત્રતાનો આનંદ અનેરો હોય છે. આ આનંદ પ્રાપ્ત કરવા માટે અનેક વીરો શહીદ થયા છે. અનેક મહાપુરુષોએ પોતાના જીવનનો ભોગ આપ્યો છે. ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં હજારો ક્રાંતિવીરો, વીર સપૂતો અને વીરાંગનાઓની શૌર્યગાથાઓ છુપાયેલી છે. આઝાદીનો ઈતિહાસ નાનોસૂનો નથી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆતનાં મૂળ તો ઘણાં ઊંડાં છે. સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ તબક્કામાં 1857 ના વિપ્લવ નું મહત્વ છે. ડેલહાઉસી એ અપનાવેલી ખાલસા નીતિ ને પરિણામે સતારા, ઝાંસી, નાગપુર વગેરે અંગ્રેજોની સત્તા નીચે આવ્યાં. આ વિપ્લવમાં નાના સાહેબ પેશ્વા, ઝાંસીની રાણી લક્ષ્મીભાઈ. જગદીશપુરના વયોવૃદ્ધ રાજા કુંવરસિં અને તાત્યા ટોપે તથા બાદશાહ બહાદુરશાહનો સમાવેશ થાય છે. તેમની વીરતા ઈતિહાસના પાનાઓ પર અંકાઈ છે. 1906 માં કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખપદેથી દાદાભાઈ નવરોજી એ "સ્વરાજ" શબ્દનો ઉચ્ચાર કર્યો. 1914 માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. લોકમાન્ય ટિળકે 'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને તે મેળવી ને જ જંપીશ' નો નારો ગુંજતો કર્યો. 1915 માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા. 1917 માં ગાંઘીજીના પ્રમુખપદ નીચે ગુજરાત રાજકીય પરિષદ મળી. કોઈપણ વ્યક્તિને કોર્ટમાં કેસ ચલાવ્યા સિવાય જેલમાં પૂરી દેવાનો કાયદો જેને “રોલેટ એક્ટ” કહેવામાં આવતો હતો. તે 1919 માં આવ્યો. ગાંધીજીએ એને ‘કાળા કાયદા' તરીકે ઓળખાવ્યો. લોકોએ ‘રોલેટ એક્ટ” નો વિરોધ કર્યો. આખા ભારતમાં વિરોધનો વંટોળ જામ્યો. ઠેરઠેર સરઘસો નીકળ્યાં, હડતાલો પાડવામાં આવી. પંજાબના અમૃતસર શહેરમાં જલિયાવાલા બાગમાં લગભગ 20,000 કરતાંયે વધારે લોકોની સભા પર જનરલ ડાયરે આડેધડ ગોળીઓ ચલાવી. આખો દેશ ખળભળી ઉઠ્યો. ગાંધીજીએ અંગ્રેજો સામે અસહકારનું રણશિંગુ ફૂંક્યું. વિદ્યાર્થીઓએ શાળા- કોલેજોનો ત્યાગ કર્યો. વકીલોએ કોર્ટનો ત્યાગ કર્યો. પરદેશી કાપડની હોળી કરવામાં આવી. દેશમાં અહિંસક ક્રાંતિનો જુવાળ પેદા થયો. અસહકારનું આંદોલન, સત્યાગ્રહનું આંદોલન અને 1942 નું ભારતછોડો આંદોલન આ તમામે તમામ આંદોલનોમાં ભારતના યુવાનોએ હોંશભેર ભાગ લીધો હતો. સુભાષચંદ્ર બોઝે “આઝાદ હિંદ ફોજ" ની રચના કરી. “ચલો દિલ્હી" ના નારા સાથે આઝાદી જંગનો જુદો મોરચો રચ્યો. તેમણે સશસ્ત્ર યુદ્ધની જાહેરાત કરી. છેવટે અંગ્રેજ સરકારનાં વળતાં પાણી થવા લાગ્યાં હતાં. આખરે 1947 ની 15મી ઓગસ્ટે આપણો દેશ સ્વતંત્ર થયો. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરના બ્રિટનના યુનિયન જેકના ધ્વજને વાઈસરૉય માઉન્ટબેટને ઉતાર્યો. ત્યાં જવારલાલ નહેરૂએ સ્વતંત્ર ત્રિરંગો ‘રાષ્ટ્રધ્વજ' લહેરાવ્યો. "જયહિંદ" ના નારા સાથે લાલ કિલ્લાનું મેદાન ગુંજી ઊઠ્યું. અખંડ ભારતના બે ટુકડા થયા, ભારત અને પાકિસ્તાન. આઝાદી બાદ ભારત દુનિયાનો મોટામાં મોટો લોકશાહી દેશ બન્યો. સ્વતંત્રતા દિવસની ઉજવણીથી દેશના લોકો આઝાદીનું મહત્વ સમજે, તેમના હૃદયમાં દેશભક્તિ જાગે તેમજ દેશ પ્રત્યે સમ્માનની લાગણી કેળવાય તેમજ લોકો દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન વિશે માહિતી પ્રાપ્ત કરે અને તેઓ એકતા, સ્વચ્છતા, સહકાર, જેવાં મૂલ્યો કેળવી દેશને સાચા અર્થમાં સ્વતંત્ર બનાવે તે હેતુઓ કેન્દ્ર સ્થાને છે. સ્વતંત્રતા દિવસ સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. સ્વાતંત્ર દિનના રોજ વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર ભારતીય ધ્વજ (તિરંગો) ફરકાવે છે. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતાઓને શ્રદ્ધાંજલિ આપે છે . ભારતીય રાષ્ટ્રગીત "જન ગણ મન" ગવાય છે. પરેડ અને ટેબ્લો (પ્રતિકૃતિ) સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાનાં દૃશ્ય દર્શાવે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે. આવી જ ઉજવણી રાજ્યની રાજધાનીઓમાં પણ થાય છે. દેશભરની સરકારી અને બિન-સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાય છે. શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.

15th August

Read more
સ્વતંત્રતા દિન
15th August
15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો. ભારત દેશ વર્ષો સુધી અંગ્રેજ શાસન હેઠળ રહ્યો. સ્વાતંત્ર્ય સેનાનીઓની આગેવાની હેઠળ સત્ય અને અહિંસાની લડત લડીને, હજારો દેશભક્તોની કુરબાનીને કારણે 15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણા દેશમાં સ્વતંત્રતાનો સૂરજ ઉગ્યો. સ્વતંત્રતાનો આનંદ અનેરો હોય છે. આ આનંદ પ્રાપ્ત કરવા માટે અનેક વીરો શહીદ થયા છે. અનેક મહાપુરુષોએ પોતાના જીવનનો ભોગ આપ્યો છે.
ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં હજારો ક્રાંતિવીરો, વીર સપૂતો અને વીરાંગનાઓની શૌર્યગાથાઓ છુપાયેલી છે. આઝાદીનો ઈતિહાસ નાનોસૂનો નથી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆતનાં મૂળ તો ઘણાં ઊંડાં છે.
સ્વાતંત્ર્ય...
Read more
મહાદેવભાઈ દેસાઈ પુણ્યતિથિ
મહાદેવભાઈ દેસાઈ પુણ્યતિથિ

મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક, સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્રલેખક, ડાયરીલેખક અને અનુવાદક મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ ૧ જાન્યુઆરી,૧૮૯૨ ના રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેમનું મૂળ ગામ દિહેણ હતું. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલએલ.બી. માં પણ સારો દેખાવ કર્યો. શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઈ, વકીલાતનો વ્યવસાય છોડીને આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ વહેતું રહ્યું. મહાદેવભાઈનું ભાષાપ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઈ ગાંધીજીએ કહી દીધું કે, ' મહાદેવ ! તમારે હવે બધા કામ મૂકી દઈને મારી જોડે જ રહેવાનું છે. ' તે આજ્ઞાને શિરોમાન્ય ગણી તેઓ બાપુમય બની ગયા.  તેમણે કવિવર ટાગોરના ૨૫ જેટલા સુંદર અનુવાદો આપ્યા છે તો સામે ગાંધીજીની આત્મકથાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરી છે. 'મહાદેવની ડાયરી' ના સંપુટો તેમનું યાદગાર પ્રદાન છે. એ ડાયરીઓ પચીસેક ભાગમાં પ્રગટ થઈ છે. એમાં તેમણે આંખે દેખ્યા હેવાલની જેમ ગાંધીચરિત્ર અને હિન્દુસ્તાનના ઉત્થાનની કથા માટે અમૂલ્ય સામગ્રી મૂકી છે. તેમને સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર અર્પણ થયો હતો. ૫૦ વર્ષની વયે મહાદેવભાઇ દેસાઈ ૧૫ ઑગસ્ટ, ૧૯૪૨ ના રોજ પુણેની આગાખાન પેલેસ જેલમાં હૃદય બંધ પડવાથી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા પણ, પોતાની અડધી જિંદગીમાં આખી જિંદગીનું કામ કરતા ગયા. બાપુના ખોળામાં જ ગયા અને બાપુના હાથે જ તેમને અગ્નિદાહ દેવાયો. બાપુએ તેમને અંજલિ આપતા કહ્યું હતું,' મહાદેવે મારામાં સંપૂર્ણપણે સમાઈ જવાનું પસંદ કર્યું હતું. '૯ ઓગસ્ટ,૧૯૮૩ ના રોજ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી.

15th August

Read more
મહાદેવભાઈ દેસાઈ પુણ્યતિથિ
15th August

મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક, સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્રલેખક, ડાયરીલેખક અને અનુવાદક મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ ૧ જાન્યુઆરી,૧૮૯૨ ના રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેમનું મૂળ ગામ દિહેણ હતું. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલએલ.બી. માં પણ સારો દેખાવ કર્યો.

શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત...

Read more
ઈસરો સ્થાપના દિન
ઈસરો સ્થાપના દિન

ઈસરો ની સ્થાપના 15 ઑગસ્ટ, 1969 ના રોજ કરવામાં આવી હતી, તેથી તેની યાદમાં દર વર્ષે 15 ઑગસ્ટના રોજ ઈસરો સ્થાપના દિન ઉજવવામાં આવે છે.   ઈસરો (ISRO)નું પૂરું નામ Indian Space Research Organization (ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન) છે. તેનું મુખ્યમથક બેંગાલુરુ શહેરમાં આવેલુ છે. વર્ષ 2021 મુજબ અહીં અંદાજે 17,099 લોકો કામ કરી રહ્યાં છે. ઇસરો ભારત અને વિદેશોના અવકાશયાન અવકાશમાં મોકલવાનું કાર્ય કરે છે. ઇસરોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી 6 સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે, જેમાં તેની સાથે NASA, Roscosmos, ESA, CNSA, અને JAXA નો પણ સમાવેશ છે. ઇસરોનો મુખ્ય હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો તથા અવકાશ વિજ્ઞાન સંશોધન અને ગ્રહોનાં સંશોધનને અનુસરતાં અવકાશ તકનીકનો ઉપયોગ કરી રાષ્ટ્રનો વિકાસ કરવાનો છે.   ઇસરોએ ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટનું નિર્માણ કર્યું, જેને 1975 માં સોવિયેત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. 1980 માં પ્રથમ ઉપગ્રહ રોહિણી ને સ્વદેશી લોન્ચ વ્હીકલ SLV-3 દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવા માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇસરોએ ત્યારબાદ બે અન્ય રોકેટો PSLV અને GSLV વિકસાવ્યા હતા. ઈસરોએ 2008 માં ભારતના પ્રથમ ચંદ્ર મિશનના ભાગરૂપે ચંદ્રયાન-૧ લોન્ચ કર્યું હતું.   ઈસરોનું સંચાલન ભારત સરકારનો અંતરિક્ષ વિભાગ કરે છે. અંતરીક્ષ વિભાગ અંતરિક્ષ આયોગ હેઠળ આવે છે તે નીચે દર્શાવેલા સંગઠનો અને સંસ્થાનો સંભાળે છે: ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એનટ્રિક્સ કોર્પોરેશન (Antrix) - ઈસરો બેંગ્લોરનું માર્કેટિંગ સહાયક ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL) અમદાવાદ રાષ્ટ્રીય વાયુમંડલીય અનુસંધાન પ્રયોગશાળા (NABL) ગંડાકી, આંધ્રપ્રદેશ ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) ઈસરો બેંગ્લોરનું વ્યાપારિક સહાયક ઉત્તર પૂર્વીય અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર (NE-SAC), ઉમિયમ સેમિકન્ડક્ટર પ્રયોગશાળા (SCL), મોહાલી ભારતીય અંતરીક્ષ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી સંસ્થાન (IST), તિરુવનંથપુરમ – ભારતની અંતરીક્ષ વિશ્વવિદ્યાલય ઈસરો દ્વારા અંતરિક્ષ અંગેના વિવિધ કાર્યક્રમો નીચે દર્શાવેલા જુદાં જુદાં કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવે છે: વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર – ત્રિવેન્દ્રમ્,કેરળ ઈસરો સેટેલાઈટ એપ્લિકેશન સેન્ટર – બેંગાલુરુ, કર્ણાટક શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ રિસર્ચ સેન્ટર – શ્રી હરિકોટા ટાપુ, આંધ્રપ્રદેશ સ્પેસ એપ્લિકેશન સેન્ટર – અમદાવાદ, ગુજરાત ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન કોમ્યુનિકેશન યુનિટ અમદાવાદ, ગુજરાત લિક્વિડ પ્રોપલ્ઝન સિસ્ટમ્સ સેન્ટર – બેંગાલુરુ, કર્ણાટક ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક – બેંગાલુરુ. કર્ણાટક કર્ણાટકના સન ખાતે તૈયાર કરેલ માસ્ટર કંટ્રોલ ફેસિલિટી બેંગાલુરુ, દહેરાદૂન, જોધપુર, ખડગપુર અને નાગપુરનાં રીજિનલ રિમોટ સેન્સિંગ સર્વિસ સેન્ટર તિરુપતિ નજીક ગંડાઢી ખાતે નેશનલ રડાર ફેસિલિટી, હૈદરાબાદ ખાતે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, લખનઉ ખાતે ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક, ઉદેપુર ખાતે સૌર વેધશાળા અને માઉન્ટ આબુ ખાતે ઇન્ફ્રારેડ વેધશાળા કાર્યરત છે. ઈસરોનું હેડક્વાર્ટર બેંગાલુરુમાં છે. તે અંતરિક્ષ વિભાગ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે અને જે સીધા ભારતનાં પ્રધાનમંત્રીને રિપોર્ટ મોકલે છે. ઈસરોની સ્થાપના ડૉ. વિક્રમ સારાભાઈએ 1969 માં સ્વતંત્રતા દિનનાં દિવસે કરી હતી. ડૉ. વિક્રમ સારાભાઈ ને ‘અંતરિક્ષ કાર્યક્રમનાં જનક' પણ માનવામાં આવે છે. અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન, ચીન સહિત ભારત દુનિયાનાં તે 6 દેશોમાં સામેલ છે જે પોતાની ભૂમિ પર સેટેલાઈટ બનાવવા અને તેને લૉન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.   ઈસરોનો પહેલો ઉપગ્રહ 'આર્યભટ્ટ' હતો જે 19 એપ્રિલ, 1975 માં રશિયાની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ SLV-3 ભારત દ્વારા લૉન્ચ કરવામાં આવેલો પહેલો સ્વદેશી ઉપગ્રહ હતો અને તે પ્રોજેક્ટનાં ડાયરેક્ટર ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ હતા. 2008-09 માં ઈસરોએ ચંદ્રયાન-1 લૉન્ચ કર્યું જેનું બજેટ આશરે 350 કરોડ રૂપિયા હતું અને તેણે જ ચંદ્ર પર પાણીની શોધ કરી હતી.   ઈસરો દ્વારા આર્યભટ્ટ, રોહિણી, ઇન્સેટ (INSAT), IRS, ભાસ્કર, એસ્ટ્રોસેટ અને જીસેટ, એપલ, સરોસ ઉપગ્રહ શ્રેણી (SROSS), હેમસેટ, કલ્પના-૧ વગેરે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવેલા છે. ઈસરો દ્વારા Satellite Instructional Television Experiment (SITE), Geosynchronous Satellite Launch Vehicle (GSLV), Polar Satellite Launch Vehicle (PSLV), Space Capsule Recovery Experiment (SCRE), ચંદ્રયાન-૧, ચંદ્રયાન-૨, Satellite Launch Vehicle (SLV), Augmented Satellite Launch Vehicle (ASLV), ઇન્ડીયન સ્પેશ શટલ પ્રોગ્રામ, ઇન્ડીયન એસ્ટ્રોનોમીકલ ઓબ્ઝર્વેટરી (ઊંટી), રેડિયો ટેલીસ્કોપ, National Atmospheric Research Laboratory (NARL) પ્રોજેક્ટ અને રોકેટો લોન્ચ કરવામાં આવેલા છે.   વિક્રમ સારાભાઈ, રાજા રમન્ના, કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન, યુ.આર.રાવ, હોમી ભાભા, બી.એન.સુરેશ, સતિષ ધવન, રાકેશ શર્મા, રવિશ મલ્હોત્રા, ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ, જી.માઘવન નૈયર વગેરે ઈસરોના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો છે.

15th August

Read more
ઈસરો સ્થાપના દિન
15th August
ઈસરો ની સ્થાપના 15 ઑગસ્ટ, 1969 ના રોજ કરવામાં આવી હતી, તેથી તેની યાદમાં દર વર્ષે 15 ઑગસ્ટના રોજ ઈસરો સ્થાપના દિન ઉજવવામાં આવે છે.   ઈસરો (ISRO)નું પૂરું નામ Indian Space Research Organization (ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન) છે. તેનું મુખ્યમથક બેંગાલુરુ શહેરમાં આવેલુ છે. વર્ષ 2021 મુજબ અહીં અંદાજે 17,099 લોકો કામ કરી રહ્યાં છે. ઇસરો ભારત અને વિદેશોના અવકાશયાન અવકાશમાં મોકલવાનું કાર્ય કરે છે. ઇસરોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી 6 સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે, જેમાં...
Read more
નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ
નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ

નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઑડિસાના કટકમાં એક સુખી-સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીદાસ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. નેતાજીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ કટકના રૅવેન્શૉ કૉલેજિએટ સ્કૂલમાં મેળવ્યું. તે પછીનું શિક્ષણ કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં મેળવ્યું. ત્યારબાદ ભારતીય વહીવટી સેવા (ઇન્ડિયન સિવિલ સર્વિસીઝ)ની તૈયારી માટે માતા-પિતાએ તેમને ઇંગ્લેન્ડના કેબ્રિજ વિશ્વ વિદ્યાલયમાં મોકલ્યા. અંગ્રેજી શાસનકાળમાં ભારતીયો માટે સિવિલ સર્વિસમાં જવું ખૂબ જ કઠિન હતું પરંતુ સુભાષચંદ્ર બોઝે સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા સ્થાને પાસ કરી જવલંત સફળતા મેળવી. ભારતમાં થયેલ જલિયાંવાલા બાગ હત્યાકાંડથી સુભાષચંદ્ર બોઝ ખૂબજ દુ:ખી થયા. તેમણે 1921 માં સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપી દીધું અને ભારત પરત ફર્યા. ત્યારબાદ તેઓ ગાંઘીજી ના સંપર્કમાં આવ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાઈ ગયા. ગાંઘીજીના દિશાનિર્દેશો અનુસાર તેમણે ચિતરંજનદાસ દેશબંઘુને પોતાના રાજનૈતિક ગુરુ બનાવી તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. 1928 માં જયારે સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે કાળા ઝંડા બતાવી તેનો વિરોધ કરવામાં આવ્યો. સુભાષચંદ્ર બોઝે કોલકાતામાં આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. 1928 માં કોલકાતામાં મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાયેલા કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ખાખી યુનિફોર્મ પહેરીને મોતીલાલ નેહરુને લશ્કરી રીતે સલામી આપી હતી. 26 જાન્યુઆરી, 1931 ના રોજ સુભાષચંદ્ર બોઝ કોલકાતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને એક વિશાળ મોરચાનું નેતૃત્વ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમના પર લાઠી ચલાવી ઘાયલ કર્યા અને જેલમાં મોકલી દીધા. નેતાજીએ તેમના જીવનકાળમાં 11 વખત જેલવાસ ભોગવ્યો હતો. ગાંધીજી સુભાષચંદ્ર બોઝને નેતાજી કહીને સંબોધતા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે વર્ષ 1937 માં તેમની સેક્રેટરી અને ઓસ્ટ્રિયન યુવતી એમિલી સાથે લગ્ન કર્યા હતા. તેઓને અનિતા નામે એક પુત્રી હતી. 1938 માં હરિપુરા અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રીય યોજના આયોગની રચના કરી 1939 માં ત્રિપુરા અધિવેશનમાં તેઓ ફરીવાર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા ૩ મે, 1939 ના દિવસે સુભાષબાબુએ ફૉરવર્ડ બ્લૉક નામની પાર્ટીની સ્થાપના કરી. થોડા દિવસો બાદ સુભાષબાબુને કોંગ્રેસમાંથી બરતરફ કરવામાં આવ્યા. એ પછી ફોરવર્ડ બ્લોક એક સ્વતંત્ર પાર્ટી બની ગઈ. બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાની તૈયારી હતી. સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોને છ મહિનામાં ભારત છોડી જવાનું અલ્ટીમેટમ આપી દીધું. સુભાષચંદ્ર બોઝના આ નિર્ણયનો વિરોધ ગાંધીજી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ કર્યો. જેથી સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું. બીજા વિશ્વ યુદ્ધમાં અંગેજો દ્વારા ભારતીય સંસાધનોનો ઉપયોગ કરવાનો ઉગ્ર વિરોધ થયો અને તેના વિરોધમાં જનઆંદોલન શરૂ થયું. આ આંદોલનને લોકોનું ખૂબજ સમર્થન મળ્યું એટલે બ્રિટીશ સરકારે નેતાજીને કોલકાતામાં નજરકેદ કરી લીધા. પરંતુ તેમના ભત્રીજા શિશિરકુમાર બોઝની મદદથી તેઓ અફઘાનિસ્તાન અને રશિયા થઈ જર્મની પહોંચી ગયા. જર્મનીમાં સુભાષબાબુ હિટલરને મળ્યા. ત્યાંથી તેમણે બ્રિટિશ શાસનના વિરોધમાં અને દેશની આઝાદી માટે કામ કર્યું. 1943માં તેમણે જર્મની છોડી દીધું, ત્યાંથી તે જાપાન ગયા. જાપાનથી તેઓ સિંગાપુર ગયા. ત્યાં તેઓએ આઝાદ હિંદ ફોજની કમાન સંભાળી અને તેનું પુનઃ ગઠન કરી, 'ચલો દિલ્લી' અને 'તુમ મુજે ખૂ નદો મેં તુમ્હેં આઝાદી દૂંગા'ના નારા આપ્યા. તેમણે મહિલાઓ માટે ઝાંસીની રાણી રેજીમેન્ટની રચના કરી. જેના કેપ્ટન તરીકે લક્ષ્મી સહેગલ ની નિમણૂ ક કરવામાં આવી હતી. 2 ઓક્ટોબર, 1943 ના રોજ તેઓએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી. આ સંગઠનના ઝંડા ઉપર ગર્જના કરતા વાઘનું ચિત્ર પ્રતીક તરીકે હતું. નેતાજી આઝાદ હિંદ ફોજ સાથે 4 જુલાઈ, 1944 ના રોજ બર્મા પહોંચ્યા હતા. ત્યાંથી ઉત્તરપૂર્વનાં રાજ્યો પર અંગ્રેજ શાસન સામે મોરચો માંડ્યો. 18 ઓગસ્ટ, 1945 ના રોજ ટોકિયો જતી વખતે તાઇવાન પાસે કહેવાતી એક હવાઈ દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું પરંતુ તેમનું શરીર ન મળી શક્યું. જેના કારણે તેમના મોત વિશે આજ સુધી કોઈ સચોટ પુરાવા મળ્યા નથી. આવા સ્વાતંત્ર્ય સેનાની અને મહાન દેશભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની ભારત સરકારે 2022 માં જાહેરાત કરી છે.

18th August

Read more
નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ
18th August

નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઑડિસાના કટકમાં એક સુખી-સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીદાસ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. નેતાજીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ કટકના રૅવેન્શૉ કૉલેજિએટ સ્કૂલમાં મેળવ્યું. તે પછીનું શિક્ષણ કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં મેળવ્યું. ત્યારબાદ ભારતીય વહીવટી સેવા (ઇન્ડિયન સિવિલ સર્વિસીઝ)ની તૈયારી માટે માતા-પિતાએ તેમને ઇંગ્લેન્ડના કેબ્રિજ વિશ્વ વિદ્યાલયમાં મોકલ્યા. અંગ્રેજી શાસનકાળમાં ભારતીયો માટે સિવિલ સર્વિસમાં જવું ખૂબ જ કઠિન હતું પરંતુ સુભાષચંદ્ર બોઝે સિવિલ...

Read more
વિશ્વ ગુજરાતી ભાષા દિન
વિશ્વ ગુજરાતી ભાષા દિન

સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી ની આ કાવ્ય પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરેલી છે. ગુજરાતી શબ્દ એ સંસ્કૃત શબ્દ 'ગૂર્જર' અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલ છે. 'ગુજરાત' શબ્દ પરથી વિશેષણ 'ગુજરાતી' પડ્યું. ગુજરાતમાં બોલાતી મુખ્ય ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર એવા શ્રી નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ 24 ઑગસ્ટ, 1833 ના દિવસે સુરત માં થયો હતો. કવિ નર્મદે ગુજરાતી ભાષા માટે 'નર્મકોષ' નામનો પહેલો શબ્દકોષ રચ્યો હતો. તેઓએ ગુજરાતી ભાષાની અસ્મિતા માટે શ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે તેથી તેમના જન્મદિવસને 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. પ્રાચીનકાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. આઠમી સદી થી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને ખડી બોલી, અવધિ, બંગાળી, ગુજરાતી, મરાઠી, તેલુગુ. કન્નડ ભાષા ઉદભવી. 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઉતરી આવેલાં વિવિધ ભાષા સ્વરૂપમાંથી ગુજરાતી ભાષાનાં મૂળ નંખાયાં તેમ કહી શકાય અન્ય ભાષાઓની સાથે આપણી ગુજરાતી ભાષા પણ આ જ સમયગાળામાં જન્મ પામી, વિકસી અને આજના સ્વરૂપને પામી છે. ગુર્જર ભાષાનો શબ્દ પ્રયોગ સૌ પ્રથમ આખ્યાનના પિતા ગણાતા ભાલણે કર્યો હતો. ગુજરાતી ભાષાને ગુજરાતી એવું નામ 17 મી સદીમાં પ્રેમાનંદના સમયમાં મળ્યું. ગુજરાતી સાહિત્યનો પ્રારંભ નરસિંહ મહેતા થી શરૂ કરી મીરાંબાઇ, ભાલણ વગેરેના યોગદાનથી થયો. તેમણે ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. પ્રેમાનંદ જેવા મહાકવિ તો ગુજરાતી ભાષાની "શું શાં પૈસા ચાર" જેવી કિંમતથી વ્યથિત થઈ "પાઘડી ન પહેરવા" ની પ્રતિજ્ઞા કરે એ ઘટના નાની સૂની નથી. કવિ દલપતરામ પણ ગરવી ગુજરાતી વાણીના વકીલ બનવાનું સ્વીકારી ચૂક્યા છે. આ બધા યુગોમાં ગુજરાતી ભાષાનાં મૂળ દૃઢ બન્યાં અને વિસ્તર્યાં પણ ખરાં. ગુજરાતમાં આવેલ વિદેશી પ્રજાઓના સંપર્કથી ગુજરાતી ભાષામાં ઘણા ફેરફારો થયા છે. વિદેશી પ્રજાથી ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ ખૂબ જ વિશાળ બન્યું છે. આજે આપણી ગુજરાતી ભાષામાં કેટલાય વિદેશી ભાષાના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. ગુજરાતી ભાષા પર સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અરબી -ફારસી, અંગ્રેજી, હિન્દી વગેરે ભાષાઓનો પ્રભાવ પડ્યો છે. આમ આપણી અર્વાચીન ગુજરાતી ભાષાનો વિકાસ થતાં ઘણાં વર્ષોનો સમય લાગ્યો છે. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં ગુજરાતી સાહિત્યકારોનો પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. આજે વિશ્વના અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલાતી જોવા મળે છે. વિશ્વમાં ગુજરાતી ભાષાને જાળવવા, વિકસાવવા માટે 24 ઑગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે. આજની નવી પેઢી ગુજરાતી ભાષા માણી શકે. તેના પ્રત્યે આદરભાવ કેળવી શકે તેમજ ગુજરાતી ભાષાના અમૂલ્ય વારસા પ્રત્યે જાગૃત બને તે માટે આજના દિવસે પ્રયત્નો કરવામાં આવે છે. ગુજરાત સરકારે 2023 માં દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1 થી 8માં ગુજરાતી વિષયનું ફરજિયાત શિક્ષણ આપવું તેવું વિધેયક પસાર કર્યું છે. જે ગુજરાતી ભાષાની જાળવણી અને વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ગણાવી શકાય. ચાલો આપણે સૌ પણ આપણી ગુજરાતી ભાષાને જાળવવા, વિકસાવવા માટે અનેક પ્રયત્નો કરીએ.

24th August

Read more
વિશ્વ ગુજરાતી ભાષા દિન
24th August
સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી
આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી ની આ કાવ્ય પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરેલી છે. ગુજરાતી શબ્દ એ સંસ્કૃત શબ્દ 'ગૂર્જર' અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલ છે. 'ગુજરાત' શબ્દ પરથી વિશેષણ 'ગુજરાતી' પડ્યું. ગુજરાતમાં બોલાતી મુખ્ય ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર એવા શ્રી નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ 24 ઑગસ્ટ, 1833 ના દિવસે સુરત...
Read more
રાષ્ટ્રીય ખેલ દિન
રાષ્ટ્રીય ખેલ દિન

દેશના તેજસ્વી હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ ની યાદમાં ભારત દેશમાં દર વર્ષે 29 ઑગસ્ટ ને ‘રાષ્ટ્રીય ખેલ દિન' તરીકે ઉજવવામાં આવે છે. ધ્યાનચંદનો જન્મ 29 ઑગસ્ટ, 1905 ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ) ખાતે થયો હતો. તેમના પિતા આર્મીમાં સૂબેદાર હતા. ધ્યાનચંદને બાળપણથી કુસ્તીબાજ બનવું હતું પણ સોળ વર્ષની ઉંમરે તેઓ આર્મીમાં જોડાઇ ગયા. મેજર તિવારી ની સલાહથી તેઓ હોકી તરફ ખેંચાયા. તેમના કોચ પંકજ ગુપ્તા પાસેથી તેઓ હોકી રમતાં શીખ્યા હતા. ટૂંક સમયમાં જ 'બોલ ડ્રિબલિંગ' અને ‘ગોલ સ્કોરિંગ’ માં નિષ્ણાત બની ગયા અને ભારતીય હોકી ટીમના કેપ્ટન બન્યા. ધ્યાનચંદે તેમની કારકિર્દીમાં પ્રભાવક પ્રદર્શન કરતાં 400 થી પણ વધુ ગોલ નોંધાવી હોકીની રમતમાં સમગ્ર વિશ્વમાં નામના મેળવી. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં 1923, 1932, 1936 માં સળંગ ગોલ્ડન હેટ્રિક નોંધાવી હતી, તેનું શ્રેય ધ્યાનચંદની જાદુઈ રમતને આભારી હતું. તેમની બોલ કંટ્રોલ માસ્ટરીને લીધે તેમને "ધ વિઝાર્ડ" (જાદુગર) એવું ઉપનામ મળ્યું હતું. 1956 માં તેમની વિશિષ્ટ સિદ્ધિ બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ તેમના ફોટોગ્રાફવાળી ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. 'રાષ્ટ્રીય ખેલદિન' નું મહત્વ અનેરું છે. આ દિવસ માત્ર ઉજવણીનો નથી, પરંતુ દેશવ્યાપી રમતો અને રમતગમતની ભાવનાને વિકસાવવાનો છે. આ ઉજવણીનો હેતુ ખેલકૂદને ઉત્તેજન આપવા અને રમતગમત પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો છે. તેના દ્વારા યુવાપેઢીમાંથી શ્રેષ્ઠતા બહાર લાવીને વિવિધ પ્રતિભાશાળી ખેલાડીઓ મેળવી શકાય છે અને યુવાનોને રોજગારી પૂરી પાડી શકાય છે. વળી, રમતગમત શિક્ષણનો પણ મહત્વનો ભાગ છે, તેનાથી શારીરિક અને માનસિક એમ બંને પ્રકારે સ્વસ્થ રહી શકાય છે. ઉપરાંત તેના દ્વારા વ્યક્તિમાં ખેલદિલી, સહકાર, નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થાય છે.

29th August

Read more
રાષ્ટ્રીય ખેલ દિન
29th August
દેશના તેજસ્વી હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ ની યાદમાં ભારત દેશમાં દર વર્ષે 29 ઑગસ્ટ ને ‘રાષ્ટ્રીય ખેલ દિન' તરીકે ઉજવવામાં આવે છે.
ધ્યાનચંદનો જન્મ 29 ઑગસ્ટ, 1905 ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ) ખાતે થયો હતો. તેમના પિતા આર્મીમાં સૂબેદાર હતા. ધ્યાનચંદને બાળપણથી કુસ્તીબાજ બનવું હતું પણ સોળ વર્ષની ઉંમરે તેઓ આર્મીમાં જોડાઇ ગયા. મેજર તિવારી ની સલાહથી તેઓ હોકી તરફ ખેંચાયા. તેમના કોચ પંકજ ગુપ્તા પાસેથી તેઓ હોકી રમતાં શીખ્યા હતા. ટૂંક સમયમાં...
Read more