Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
હનુમાનજી જન્મોત્સવ
હનુમાનજી જન્મોત્સવ

રામાયણનાં વિવિધ પાત્રોમાં શ્રીરામ અને સીતામાતા જેટલું જ લોકપ્રિય પાત્ર હોય તો તે છે હનુમાનજી. તેમને જિતેન્દ્રિય બુદ્ધિમાનોમાં વરિષ્ઠ, પવનપુત્ર જેવાં વિશેષણોથી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ આબાલવૃદ્ધ સૌને સમાન રીતે આકર્ષે છે. ચિત્ર માસની પૂર્ણિમાનો દિવસ એ તેમના જન્મોત્સવનો દિવસ ગણવામાં આવે છે. ભાવિક ભક્તો આ દિવસે હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે સાથે તેમના પરાક્રમોનું સંકીર્તન કરી પ્રેરણા મેળવે છે. હનુમાનજીના જન્મની કથા રોચક છે. દશરથ રાજાએ પુત્રપ્રાપ્તિ માટે કરેલા યજ્ઞમાંથી પ્રસાદી સ્વરૂપે મળેલ થોડી ખીર પવનના કારણે અંજનીમાતાને મળી. આ પ્રસાદ આરોગવાને કારણે હનુમાનજીનો જન્મ થયો. બાળવયે સૂર્યને મધુર ફળ સમજી તેનું ભક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો. આ કથાઓ માત્ર મનોરંજન માટે નથી પણ હનુમાનજીની પ્રચંડ શક્તિની દ્યોતક છે. સુગ્રીવના સચિવ તરીકેની તેમની ભૂમિકામાં ઉત્તમ સંચાલક હોવાનો ખ્યાલ મળે છે. શ્રીરામનું કામ તેમના માટે જીવનનું મૂળ ધ્યેય હતું. સીતામાતાની શોધ માટે સમુદ્રને ઓળંગી જવો, અશોકવાટિકાનું નિકંદન, લકાદહન ઉપરાંત રાવણ સાથેના યુદ્ધમાં તેમની અદ્વિતીય શક્તિ આ બધી જાણીતી હકીકતો છે. લક્ષ્મણની મૂર્છા દૂર કરવા આખો પર્વત ઉપાડી લાવવો એ અનુપમ પરાક્રમ છે. આ વિવિધ કથાઓમાં તેમની પ્રચંડ શક્તિ, પ્રખર બુદ્ધિમતા, કાર્યદક્ષતા. લંકામાં પણ વિભિષણને ઓળખવા તે વ્યક્તિને પારખવાની ક્ષમતા. હંમેશાં સત્યને પડખે રહેવાની નિષ્ઠા, વિનમ્રતા, સેવક તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરવી આમ એક-એક બાબત તેમના માટે પૂજ્યભાવ ઉત્પન્ન કરે છે. શ્રીરામના વનવાસ દરમિયાન સંપર્કમાં આવ્યા પછી પોતાનું જીવન તેમના ચરણોમાં સમર્પિત કર્યું અને કાયમ તેમની સાથે રહ્યા. આમ છતાં ક્યારેય શ્રીરામ પાસેથી કશું જ મેળવવાની અપેક્ષા ન રાખી તેમના જીવનની આ ઓળખે તેમને એટલા પૂજ્ય સ્થાને મૂક્યા છે કે ભાગ્યે જ કોઈ દેવતાનું મંદિર કે તીર્થ એવું જોવા મળશે. કે જ્યાં રામભક્ત હનુમાનજી'ની મૂર્તિ ન હોય. સાત ચિરંજીવીઓમાં સ્થાન પામનાર હનુમાનજી આજે પણ વિદ્યમાન છે એમ માનવામાં આવે છે. આપણા લાડીલા કવિ કાગે યોગ્ય રીતે ગાયું છે કે, "જગતમાં એક જ જન્મ્યો કે જેણે રામને ઋણી રાખ્યા."

02nd April

Read more
હનુમાનજી જન્મોત્સવ
02nd April
રામાયણનાં વિવિધ પાત્રોમાં શ્રીરામ અને સીતામાતા જેટલું જ લોકપ્રિય પાત્ર હોય તો તે છે હનુમાનજી. તેમને જિતેન્દ્રિય બુદ્ધિમાનોમાં વરિષ્ઠ, પવનપુત્ર જેવાં વિશેષણોથી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ આબાલવૃદ્ધ સૌને સમાન રીતે આકર્ષે છે. ચિત્ર માસની પૂર્ણિમાનો દિવસ એ તેમના જન્મોત્સવનો દિવસ ગણવામાં આવે છે. ભાવિક ભક્તો આ દિવસે હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે સાથે તેમના પરાક્રમોનું સંકીર્તન કરી પ્રેરણા મેળવે છે. હનુમાનજીના જન્મની કથા રોચક છે. દશરથ રાજાએ પુત્રપ્રાપ્તિ માટે કરેલા યજ્ઞમાંથી પ્રસાદી સ્વરૂપે મળેલ થોડી ખીર પવનના કારણે અંજનીમાતાને મળી. આ પ્રસાદ આરોગવાને કારણે હનુમાનજીનો જન્મ થયો. બાળવયે સૂર્યને મધુર ફળ સમજી તેનું ભક્ષણ કરવાનો પ્રયત્ન...
Read more
વિશ્વ આરોગ્ય દિન
વિશ્વ આરોગ્ય દિન

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલ ને 'વિશ્વ આરોગ્ય દિન' જાહેર કરવામાં આવ્યો છે. 7 એપ્રિલ, 1948 ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સ્થાપના થઈ હતી તેથી આ દિવસે 'વર્લ્ડ હેલ્થ ડે' એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરાય છે. પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ, 1950 ના રોજ ઊજવાયો હતો.   આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે વિશ્વની દરેક વ્યક્તિને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને. ઉપરાંત, આ દિવસની ઉજવણીનો હેતુ વૈશ્વિક સ્વાસ્થ્ય અને તેને સંબંધિત સમસ્યાઓ વિશે ચર્ચા કરવાનો પણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વને આરોગ્ય સેવાઓ આપવા માટે દરેક સ્તરે પ્રયાસ કર્યા છે. દરેક જગ્યાએ સારી આરોગ્ય સુવિધાઓ હોવી જોઈએ. તમામ દેશો રોગમુક્ત હોવા જોઈએ અને તેમને સ્વાસ્થ્ય સેવાઓની દૃષ્ટિએ કોઈ પણ પ્રકારની અછત ન રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.   આજે ચિકિત્સાના ક્ષેત્રમાં વિશ્વ ઘણું આગળ વધી ગયું છે. પણ લોકોની આધુનિક જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઈને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે દરેક વ્યક્તિની શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની જાળવણી ખૂબ જ મહત્ત્વની છે. એકવીસમી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી હોવાની સાથે-સાથે સાંપ્રત સમયમાં થઈ રહેલાં શહેરીકરણ, આધુનિકીકરણ, પશ્ચિમીકરણ ના કારણે લોકોનાં ખાનપાન પણ બદલાયાં છે. તેથી, તેની સીધી અસર આરોગ્ય પર પડે છે. સાથે સાથે આજના યુવાનો દેખાદેખીમાં તમાકુ, બીડી, સિગારેટ વગેરે વ્યસનો તરફ વળ્યા છે અને પરિણામે દેશના નાગરિકોનું આરોગ્ય જોખમાયું છે. આવાં કેફી દ્રવ્યોના વ્યસનથી આજના યુવાનો ખૂબ નાની ઉંમરે અસાધ્ય રોગોનો ભોગ બને છે.   તમાકુનું વધુ વેચાણ અને તેનું સેવન આરોગ્ય માટે સૌથી મોટો પડકાર છે. ભારતમાં તમાકુનું સેવન અને તેનું વધતું જતું પ્રમાણ એ આરોગ્યની દૃષ્ટિએ ચિંતાનો વિષય બનતો જાય છે. ભારતમાં યુવા પેઢી અને તેમાંય ખાસ કરીને, બાળકોમાં તમાકુનું સેવન અને તેની આડઅસરોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંગઠનનું 'ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબેકો કંટ્રોલ' ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારત સરકાર દ્વારા 2003 માં આ વ્યસનોને નિયંત્રણમાં લાવવા માટે જાહેરાતના સંદર્ભે એક કાયદો ઘડવામાં આવ્યો હતો.   આજે સતત થઈ રહેલું વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને બદલાતા જતા પર્યાવરણના કારણે વાઈરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જેના કારણે માનવીનું આરોગ્ય ક્ષતિગ્રસ્ત બન્યું છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં પોતાની તંદુરસ્તી જાળવી રાખવી એક મોટો પડકાર બની ગયો છે. વ્યક્તિ જ્યારે શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક રીતે સ્વસ્થ (ફિટ) હોય ત્યારે જ તેનું સ્વાસ્થ્ય સારું માનવામાં આવે છે.

07th April

Read more
વિશ્વ આરોગ્ય દિન
07th April
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલ ને 'વિશ્વ આરોગ્ય દિન' જાહેર કરવામાં આવ્યો છે. 7 એપ્રિલ, 1948 ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સ્થાપના થઈ હતી તેથી આ દિવસે 'વર્લ્ડ હેલ્થ ડે' એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરાય છે. પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ, 1950 ના રોજ ઊજવાયો હતો.   આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે વિશ્વની દરેક વ્યક્તિને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને. ઉપરાંત, આ દિવસની ઉજવણીનો...
Read more
બાબુ ગુલાબરાય પુણ્યતિથિ
બાબુ ગુલાબરાય પુણ્યતિથિ

ભારતના પ્રસિદ્ધ સાહિત્યકાર, નિબંધકાર બાબુ ગુલાબરાયનો જન્મ ૧૭ જાન્યુઆરી,૧૮૮૮ ના રોજ ઉત્તરપ્રદેશના ઇટાવામાં થયો હતો. તેમના પિતા શ્રી ભવાની પ્રસાદ ધાર્મિક વૃત્તિના વ્યક્તિ હતા. તેમની માતા પણ કૃષ્ણની ઉપાસક હતી અને સુર,કબીરના પદોમાં તલ્લીન થઇ ગાતા હતા. માતા-પિતાની આ ધાર્મિક વૃત્તિની અસર બાબુ ગુલાબ રાય પર પણ થઈ હતી. પ્રાથમિક શિક્ષણ મૈનપુરીમાં પૂર્ણ કર્યું. આગ્રા કૉલેજમાં બી.એ પૂર્ણ કર્યા બાદ દર્શનશાસ્ત્રમાં એમ.એ નો અભ્યાસ કરવા છતરપુર ગયા. બાબુ ગુલાબરાયે દાર્શનિક રચનાઓ હિંદની ભાષાઓમાં રજૂ કરી હતી. તેમણે સામાજિક,સાંસ્કૃતિક,મનોવૈજ્ઞાનિક જેવાં અનેક વિષયોને હિંદી ભાષામાં લખી હિંદી ભાષાની અભિવૃદ્ધિ કરી હતી. બાબુ ગુલાબરાયે મૌલિક ગ્રંથોની રચનાની સાથોસાથ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે. તેમની મુખ્ય રચનામાં નવરસ, કર્તવ્ય,તર્કશાસ્ત્ર,પ્રકાર,પ્રભાકર, મારી અસફળતા,ભારતીય સંસ્કૃતિઓની જ્ઞાન વાર્તા, સત્ય હરિશ્ચંદ્ર વગેરે છે. સાહિત્યિક સેવાઓ આપવા બદલ બાબુ ગુલાબરાયને આગ્રા યુનિવર્સિટીએ ડી.લીટની ડિગ્રીથી સન્માનિત કર્યા હતા. બાબુ ગુલાબરાયે અંતિમ શ્વાસ સુધી સાહિત્યક્ષેત્રે સેવા આપી હતી. ૧૩ એપ્રિલ,૧૯૬૩ ના રોજ ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે તેમનું દેહાવસાન થયું. તેમના સન્માનમાં ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા ૧ ઓગસ્ટ,૨૦૦૨ ના રોજ ૫ રૂપિયાના મૂલ્યની એક ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી અને જેના પર બાબુ ગુલાબરાયનું ચિત્ર તેમના ત્રણ મુખ્ય પુસ્તકો સાથે પ્રદર્શિત કરાયું હતું.

13th April

Read more
બાબુ ગુલાબરાય પુણ્યતિથિ
13th April

ભારતના પ્રસિદ્ધ સાહિત્યકાર, નિબંધકાર બાબુ ગુલાબરાયનો જન્મ ૧૭ જાન્યુઆરી,૧૮૮૮ ના રોજ ઉત્તરપ્રદેશના ઇટાવામાં થયો હતો. તેમના પિતા શ્રી ભવાની પ્રસાદ ધાર્મિક વૃત્તિના વ્યક્તિ હતા. તેમની માતા પણ કૃષ્ણની ઉપાસક હતી અને સુર,કબીરના પદોમાં તલ્લીન થઇ ગાતા હતા. માતા-પિતાની આ ધાર્મિક વૃત્તિની અસર બાબુ ગુલાબ રાય પર પણ થઈ હતી. પ્રાથમિક શિક્ષણ મૈનપુરીમાં પૂર્ણ કર્યું. આગ્રા કૉલેજમાં બી.એ પૂર્ણ કર્યા બાદ દર્શનશાસ્ત્રમાં એમ.એ નો અભ્યાસ કરવા છતરપુર ગયા.

બાબુ ગુલાબરાયે દાર્શનિક રચનાઓ હિંદની ભાષાઓમાં રજૂ કરી હતી. તેમણે સામાજિક,સાંસ્કૃતિક,મનોવૈજ્ઞાનિક જેવાં અનેક વિષયોને હિંદી ભાષામાં લખી હિંદી ભાષાની અભિવૃદ્ધિ કરી હતી.

Read more
રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન
રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન

આપણા દેશમાં દર વર્ષે 14 એપ્રિલ ને 'રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન' (National Fire Service Day) ઊજવવામાં આવે છે. 14 એપ્રિલ, 1944 ના દિવસે મુંબઈ બંદર ખાતે ફોર્ટ સ્ટીકેન નામના માલવાહક જહાજમાં આકસ્મિક રીતે આગ લાગી હતી. આ જહાજમાં રૂની ગાંસડીઓ, વિસ્ફોટક પદાર્થો તેમજ યુદ્ધની સામગ્રી ભરેલી હતી. તેમાં અચાનક આગ લાગતાં અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ બુઝાવવાનું કાર્ય કરતા હતા. જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે આ ઘટનામાં 300 થી વધારે લોકો ભોગ બન્યા હતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોકોની સલામતી માટે અને દેશની માલમિલકતનું રક્ષણ કરવા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ભારત સરકારના આદેશથી દર વર્ષે 14મી એપ્રિલ ને 'રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન' તરીકે ઊજવી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનારા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપરાંત આગથી બચવાના ઉપાયો માટે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર દેશભરમાં આ દિવસ ઊજવવામાં આવે છે.   આપત્તિ એટલે કોઈક એવી પરિસ્થિતિ જે ચેતવણી આપ્યા સિવાય કે ખૂબ ટૂંકાગાળાની ચેતવણી આપીને જ એકદમ ત્રાટકે અને જાનમાલની ખુવારી સર્જી જાય છે. આપત્તિ વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના મુખ્ય બે પ્રકાર પાડયા છે. કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ. પૂર, ભૂકંપ, વાવાઝોડું, ત્સુનામી, દુષ્કાળ, જ્વાળામુખી, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે; જ્યારે આગ, ઔદ્યોગિક અકસ્માત, બૉમ્બ વિસ્ફોટ, હુલ્લડ, ટ્રાફિક-સમસ્યા વગેરે માનવસર્જિત આપત્તિઓ છે. આ બધી આપત્તિઓથી બચવા માટે તથા તેને ટાળવા માટે અગમચેતીનાં પગલાં લેવાં જરૂરી છે. આથી. આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત આગ-સલામતી અંગે જનજાગૃતિ માટે આ દિવસની ઉજવણી થાય છે.   દરેક બિલ્ડિંગ તથા હોસ્પિટલ માટે 'નેશનલ બિલ્ડિંગ કોડ' લાગુ કરવામાં આવ્યા છે અને ફરજિયાતપણે દુર્ઘટના નિવારણ અને સલામતીના નિયમોનું પાલન કરાવવામાં આવે છે. જુદા જુદા વિસ્તારોમાં આગનું જોખમ નિવારવા માટે તેમજ વ્યક્તિના જીવન અને મિલકતની સલામતી તેમજ રક્ષણ માટે સરકાર દ્વારા 'ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ- 2013' બનાવવામાં આવેલ છે, જે હાલ અમલમાં છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકારી દ્વારા ઇમારતો, કાર્યશાળા, તમામ જાહેર જગ્યાઓ, વેરહાઉસ કે બિલ્ડિંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી રાખવાની ફરજ પાડવામાં આવે છે.

14th April

Read more
રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન
14th April
આપણા દેશમાં દર વર્ષે 14 એપ્રિલ ને 'રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન' (National Fire Service Day) ઊજવવામાં આવે છે. 14 એપ્રિલ, 1944 ના દિવસે મુંબઈ બંદર ખાતે ફોર્ટ સ્ટીકેન નામના માલવાહક જહાજમાં આકસ્મિક રીતે આગ લાગી હતી. આ જહાજમાં રૂની ગાંસડીઓ, વિસ્ફોટક પદાર્થો તેમજ યુદ્ધની સામગ્રી ભરેલી હતી. તેમાં અચાનક આગ લાગતાં અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ બુઝાવવાનું કાર્ય કરતા હતા. જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે આ ઘટનામાં 300 થી વધારે લોકો ભોગ બન્યા હતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોકોની સલામતી માટે...
Read more
ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી
ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી

સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે આજીવન અથાક પ્રયત્નો કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર ડૉ. બાબાસાહેબ આંબેડકર સાચા અર્થમાં મહામાનવ હતા. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા, કાયદાના પ્રકાંડ પંડિત હતા. તેઓ અસ્પૃશ્યો અને મહિલાઓની મુક્તિના હિમાયતી હતા. તેમનો જન્મ 14 એપ્રિલ, 1891 માં મહુ (મધ્યપ્રદેશ) મુકામે સામાન્ય અને તે જમાનામાં અછૂત ગણાતા પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ હતું અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેમના જીવનઘડતરમાં મોટો ફાળો આપનાર તેમના શિક્ષક કૃષ્ણજી કેશવ આંબેડકર પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમણે પોતાની અટક આંબેડકર રાખી હતી. પ્રખર સ્મરણશક્તિ, બુદ્ધિમત્તા, નખશિખ પ્રામાણિકતા, સત્યનો આગ્રહ, નિયમિતતા, દ્રઢ નિર્ણયશકિત તેમજ સંગ્રામી સ્વભાવ એ બધું તેમના વ્યક્તિત્વમાં ઝળકતું હતું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમના હીરને પારખી વિદેશમાં જઈ ઉચ્ચશિક્ષણ મેળવવા શિષ્યવૃત્તિ આપી.   અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી તેમણે રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનવવિજ્ઞાન, દર્શનશાસ્ત્ર અને અર્થનીતિનો ઊંડો અભ્યાસ કર્યો. અમેરિકામાં ભારતીય સમાજવ્યવસ્થાથી ભિન્ન સમાજનો પરિચય થયો. ત્યાં એક સેમિનારમાં તેમણે 'ભારતીય જાતિ વિભાજન' અંગેનો પોતાનો શોધપત્ર વાંચ્યો. અભ્યાસના પરિપાકરૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર ડિઝર્ટેશન લખી 1915 માં એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ પીએચ.ડી.ની પદવી માટે 1916 માં બ્રિટિશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થા વિષય ઉપર મહાનિબંધ લખ્યો. આમ તેઓ વિદેશની યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટ કરનાર પ્રથમ ભારતીય બન્યા.   ડૉ. આંબેડકરે અસ્પૃશ્યતાના નિવારણ માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પછાત ગણાતા વર્ગોમાં જાગૃતિ લાવી તેમને અસ્પૃશ્યતા સામેની લડત માટે તૈયાર કર્યા. તેવું જ કામ મહિલા ઉત્થાનના તેમના પ્રયત્નોમાં જોઈ શકાય છે. ભારતના બંધારણના ઘડતરની પ્રક્રિયા ચાલુ હતી તેમાં દરેક બાબતને શબ્દબદ્ધ કરનારી મહત્ત્વની સમિતિ એટલે ખરડા સમિતિ. આ સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે કરેલ કામની સાર્વત્રિક પ્રશંસા પણ થઈ. તેમની આ કામગીરીના ફલસ્વરૂપ તેઓ 'બંધારણના ઘડવૈયા' તરીકેની ઓળખ પામ્યા.   સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદાપ્રધાન તરીકે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું હતું. હિન્દુ કોડ બિલ પસાર ન કરાવી શકવાના કારણે તેમણે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપીને તેમની વૈચારિક દૃઢતાનો પરિચય આપ્યો. 1954 માં કાઠમંડુમાં યોજાયેલ બૌદ્ધસભામાં તેમને 'બોધિસત્વ'ની ઉપાધિ થી નવાજવામાં આવ્યા. 1956 માં તેમણે બૌદ્ધધર્મ અંગીકાર કર્યો. પોતાની તંદુરસ્તીની પરવા કર્યા વિના પોતાનાં કાર્યોમાં સતત વ્યસ્ત રહ્યા. છેવટે 6 ડિસેમ્બર, 1956 ના રોજ તેમનું અવસાન થયું. તેમનાં જીવનકાર્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા 1990 માં તેમને મરણોપરાંત 'ભારતરત્ન' તરીકે સન્માનિત કરવામાં આવ્યા.

14th April

Read more
ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી
14th April
સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે આજીવન અથાક પ્રયત્નો કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર ડૉ. બાબાસાહેબ આંબેડકર સાચા અર્થમાં મહામાનવ હતા. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા, કાયદાના પ્રકાંડ પંડિત હતા. તેઓ અસ્પૃશ્યો અને મહિલાઓની મુક્તિના હિમાયતી હતા. તેમનો જન્મ 14 એપ્રિલ, 1891 માં મહુ (મધ્યપ્રદેશ) મુકામે સામાન્ય અને તે જમાનામાં અછૂત ગણાતા પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ હતું અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેમના જીવનઘડતરમાં મોટો ફાળો આપનાર તેમના શિક્ષક કૃષ્ણજી કેશવ આંબેડકર પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમણે પોતાની અટક...
Read more
બારિન્દ્રકુમાર ઘોષ પુણ્યતિથિ
બારિન્દ્રકુમાર ઘોષ પુણ્યતિથિ

૨૦મા સૈકાના પ્રારંભે જ ક્રાંતિકારી આંદોલનોમાં સક્રિય થનાર બારિન્દ્રકુમાર ઘોષ બારિન ઘોષ તરીકે પણ જાણીતા છે. તેમનો જન્મ ૫ જાન્યુઆરી,૧૮૮૦ ના રોજ લંડન પાસેના ક્રોયડન નામના કસ્બામાં થયો હતો.તેમના પિતા કૃષ્ણધન ઘોષ એક જાણીતા ચિકિત્સક અને જિલ્લા સર્જન હતા.તેમની માતા સ્વર્ણલતા દેવી પ્રસિદ્ધ સમાજ સુધારક અને વિદ્વાન રાજનારાયણના પુત્રી હતા. ક્રાંતિકારી અને બાદમાં અધ્યાત્મવાદી શ્રી અરવિંદ તેમના ત્રીજા ક્રમના મોટા ભાઈ હતા. બારિન ઘોષનું પ્રાથમિક શિક્ષણ દેવગઢમાં થયું હતુ. ૧૯૦૧માં તેઓ પ્રવેશ પરીક્ષા પાસ કરી પટના કોલેજમાં દાખલ થયા હતા. તેમણે વડોદરા ખાતેથી સૈન્ય પ્રશિક્ષણ મેળવ્યું હતું. આ સમય દરમિયાન તેઓ શ્રી અરવિંદથી પ્રભાવિત થયા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તરફ વળ્યા અરવિંદના ક્રાંતિકારી વિચારોનો તેમણે પ્રચાર કર્યો.૧૯૦૨માં તેઓ કલકત્તા પાછા કર્યા અને જતિન્દ્રનાથ મુખર્જીની મદદથી બંગાળમાં કેટલાક ક્રાંતિકારી જૂથોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. ૧૯૦૬માં ભુપેન્દ્ર દત્ત સાથે મળીને બંગાળી સામયિક યુગાંતર પ્રકાશિત કર્યું. સમગ્ર બંગાળમાંથી યુવા ક્રાંતિકારીઓની ભરતીમાં બારિન અને જતિનદાસ મુખર્જી ઉર્ફે જતીન બાઘાની મહત્વની ભૂમિકા રહી.૩૦ એપ્રિલ, ૧૯૦૮ના રોજ ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી દ્વારા કિગ્સફોર્ડની હત્યાના પ્રયાસ બાદ પોલીસે તેની તપાસને પગલે ૨ મે, ૧૯૦૮ ના દિવસે બારિન્દ્ર ઘોષ અને અરવિંદ ઘોષ સહિત ૩૪ ક્રાંતિકારીઓને ગિરકતાર કર્યા હતા. આ મુકદ્દમામાં બારિન ઘોષ અને ઉલ્લાસકર દત્તાને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી જે પાછળથી આજીવન કારાવાસમાં રૂપાંતર કરવામાં આવી હતી.૧૯૦૯માં દેશબંધુ ચિતરંજનદાસ અને બારિન ઘોષ સહિત અન્ય દોષિતોને અંદામાનની સેલ્યુલર જેલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. બારિન ઘોષને પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ૧૯૨૦માં આપવામાં આવેલી સામુહિક માફી અંતર્ગત છોડી મૂકવામાં આવ્યા હતા.તેઓ પત્રકારિતાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે કલકત્તા પાછા ફર્યા હતા પરંતુ થોડા જ સમયમાં પત્રકારિતા છોડી કલકત્તા ખાતે એક આશ્રમની સ્થાપના કરી હતી. તેમણે પોતાના સંસ્મરણ ધ ટેલ ઓફ માય એક્ઝાઇલ - ટ્રેલ્વ ઇયર્સ ઇન અંદામાન નામે પ્રકાશિત કર્યા હતા. ૧૯૨૩માં તેઓ તેમના ભાઈ અરવિંદ ઘોષ દ્વારા પોંડિચેરીમાં સ્થાપિત અરવિંદ આશ્રમ ખાતે સ્થળાંતરિત થયા હતા. અહીં શ્રી અરવિંદે તેમને અધ્યાત્મ અને સાધના તરફ પ્રેરિત કર્યા.૧૯૨૯માં તેઓ કરી કલકત્તા પાછા કર્યા અને પત્રકારિતા શરૂ કરી. ૧૯૩૩માં તેમણે ધ ડૉન ઓફ ઇન્ડિયા નામનું એક અંગ્રેજી અખબાર શરૂ કર્યું. ત્યારબાદ તેઓ સ્ટેટસમેન સમાચારપત્ર સાથે જોડાયા. આ જ વર્ષે તેઓ શૈલજા દત્ત નામની વિધવા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતા. ૧૯૫૦માં તેઓ બંગાળી દૈનિક સમાચારપત્ર બાસુમતિના સંપાદક બન્યા. ૧૮ એપ્રિલ, ૧૯૫૯ ના રોજ લાંબી માંદગી બાદ કોલકાતાની શેઠ સુખલાલ કરણાની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.

18th April

Read more
બારિન્દ્રકુમાર ઘોષ પુણ્યતિથિ
18th April

૨૦મા સૈકાના પ્રારંભે જ ક્રાંતિકારી આંદોલનોમાં સક્રિય થનાર બારિન્દ્રકુમાર ઘોષ બારિન ઘોષ તરીકે પણ જાણીતા છે. તેમનો જન્મ ૫ જાન્યુઆરી,૧૮૮૦ ના રોજ લંડન પાસેના ક્રોયડન નામના કસ્બામાં થયો હતો.

તેમના પિતા કૃષ્ણધન ઘોષ એક જાણીતા ચિકિત્સક અને જિલ્લા સર્જન હતા.તેમની માતા સ્વર્ણલતા દેવી પ્રસિદ્ધ સમાજ સુધારક અને વિદ્વાન રાજનારાયણના પુત્રી હતા. ક્રાંતિકારી અને બાદમાં અધ્યાત્મવાદી શ્રી અરવિંદ તેમના ત્રીજા ક્રમના મોટા ભાઈ હતા. બારિન ઘોષનું પ્રાથમિક શિક્ષણ દેવગઢમાં થયું હતુ. ૧૯૦૧માં તેઓ પ્રવેશ પરીક્ષા પાસ કરી પટના કોલેજમાં દાખલ થયા હતા. તેમણે વડોદરા ખાતેથી...

Read more
વિશ્વ વિરાસત દિન (વિશ્વ ધરોહર દિન)
વિશ્વ વિરાસત દિન (વિશ્વ ધરોહર દિન)

1982 માં ICOMOS (INTERNATIONAL COUNCIL ON MONUMENTS AND SITES આંતરરાષ્ટ્રીય પરિષદ સ્મારક અને સ્થળ) દ્વારા પ્રાચીન સંસ્કૃતિ અને તેના ઐતિહાસિક સ્થળોમાં સંરક્ષણ વિશેની જાગૃતિ ફેલાવવા માટે 18 એપ્રિલ ને વિશ્વ વિરાસત દિન તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું. પહેલીવાર આ દિવસની ઉજવણી 1983 માં કરવામાં આવી.   યુનેસ્કોએ હેરિટેજ સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. યુનેસ્કોની વ્યાખ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વનું સ્થાન ધરાવતું કુદરતી કે માનવસર્જિત માળખુંએ એક વારસો છે. પ્રવાસ-પર્યટન સમયે શિલ્પ સ્થાપત્યો પર પોતાનાં નામ લખવા, સ્થાપત્યોને નુકસાન પહોંચાડવું વગેરે જેવી પ્રવૃત્તિઓ લોકો કરતાં હોય છે. જેને કારણે અમૂલ્ય વારસારૂપ સ્થાપત્યને નુકસાન થાય છે. દેશના નાગરિક તરીકે ધરોહર સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે.   ભારતીય સંસ્કૃતિ તેના ભવ્ય ઐતિહાસિક અને પ્રાકૃતિક વારસા માટે વિશ્વમાં જાણીતી છે. અનાદિકાળથી ભારતે વિશ્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપ્યો છે. वसुधैव कुटुुंबकम એ ભારતનો જીવનમંત્ર છે. શિલ્પ, સ્થાપત્ય અને કલાના આ ભવ્ય વારસાનું આપણને ગૌરવ છે. વારસો એ આપણી આગવી ઓળખ છે. આપણી આ ભવ્ય વિરાસતોની જાળવણી અને રક્ષણ કરવું એ આપણા સૌની નાગરિક તરીકેની ફરજ છે. વિશ્વ વિરાસત તરીકે અતિ મહત્ત્વની ધરોહરોને યુનેસ્કો પોતાની યાદીમાં સ્થાન આપી તેની જાળવણી અને સુરક્ષા માટેના પ્રયત્નો કરે છે. યુનેસ્કોની આવી સાંસ્કૃતિક વિરાસત કે પ્રાકૃતિક વિરાસતની યાદીમાં ભારત છઠ્ઠું સ્થાન ધરાવે છે. ભારતમાં 40 જેટલાં સ્થળો ને વિશ્વ વિરાસત તરીકેનું સન્માન મળેલ છે. જેમાં મહારાષ્ટ્રમાં આવેલી ઈલોરાની ગુફાઓ, આગ્રાનો તાજમહલ, દિલ્હીનો લાલકિલ્લો, મહાબલીપુરમના રથમંદિરો, સાંચીનો બૌદ્ધ સ્તૂપ, કોણાર્કનું સૂર્યમંદિર વગેરેનો સમાવેશ થાય છે.   ભારતના વિવિધ રાજ્યોમાંથી 4 વિશ્વ વિરાસત સાથે ગુજરાત બીજું સ્થાન ધરાવે છે. ગુજરાતનાં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો પ્રાપ્ત કરનારા સ્થળો નીચે મુજબ છે. 1. ચાંપાનેરનો કિલ્લો - જિલ્લો પંચમહાલ 2. રાણીની વાવ - જિલ્લો પાટણ 3. અમદાવાદ શહેર - જિલ્લો અમદાવાદ 4. ધોળાવીરા - જિલ્લો કચ્છ

18th April

Read more
વિશ્વ વિરાસત દિન (વિશ્વ ધરોહર દિન)
18th April
1982 માં ICOMOS (INTERNATIONAL COUNCIL ON MONUMENTS AND SITES આંતરરાષ્ટ્રીય પરિષદ સ્મારક અને સ્થળ) દ્વારા પ્રાચીન સંસ્કૃતિ અને તેના ઐતિહાસિક સ્થળોમાં સંરક્ષણ વિશેની જાગૃતિ ફેલાવવા માટે 18 એપ્રિલ ને વિશ્વ વિરાસત દિન તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું. પહેલીવાર આ દિવસની ઉજવણી 1983 માં કરવામાં આવી.   યુનેસ્કોએ હેરિટેજ સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. યુનેસ્કોની વ્યાખ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વનું સ્થાન ધરાવતું કુદરતી કે માનવસર્જિત માળખુંએ એક વારસો છે. પ્રવાસ-પર્યટન સમયે શિલ્પ સ્થાપત્યો પર પોતાનાં નામ લખવા, સ્થાપત્યોને નુકસાન પહોંચાડવું વગેરે જેવી પ્રવૃત્તિઓ લોકો કરતાં હોય છે....
Read more
વિશ્વ પૃથ્વી દિન
વિશ્વ પૃથ્વી દિન

વિશ્વ પૃથ્વી દિન 22 એપ્રિલે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો હેતુ લોકોને પૃથ્વી સંબંધિત પર્યાવરણના પડકારો જેમ કે, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ પ્રદૂષણ અને જૈવ વિવિધતા સંરક્ષણ બાબતે જાગૃત કરવાનો છે. પૃથ્વીને બચાવવા થઈ રહેલા પ્રયત્નોને વેગ મળે એવો એક ઉદ્દેશ પણ આ દિવસની ઉજવણી પાછળ રહેલો છે. ભારતમાં સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ એજ્યુકેશન (CEE) ની સ્થાપના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા સપોર્ટેડ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે કરવામાં આવી હતી. આ સંસ્થા પર્યાવરણ અને ટકાઉ વિકાસ વિશે જાગૃતિ વધારવા માટે કાર્યક્રમો અને સામગ્રી વિકસાવવા તરફ કામ કરે છે. તેનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં આવેલું છે.   આ દિવસને ઊજવવા પાછળ વૈજ્ઞાનિક અને પર્યાવરણ સંબંધી એક ઘટના પણ જોડાયેલી છે. તે ઉત્તર ગોળાર્ધના વસંત અને દક્ષિણ ગોળાર્ધના પાનખરના પ્રતીક તરીકે ઊજવવામાં આવે છે. 1969 માં કેલિફોર્નિયાના સાંતા બાર્બરામાં ઓઇલ લિકેજના કારણે આફત આવી ગઈ હતી. આ ઘટનામાં જાનમાલની હાનિ થઈ અને પર્યાવરણ સુરક્ષાની દિશામાં કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ. ત્યાર બાદ પર્યાવરણપ્રેમી અને અમેરિકન સેનેટર ગેલોર્ડ નેલ્સન ના આહ્વાન પર 22 એપ્રિલ. 1970 નાં રોજ લગભગ 2 કરોડ અમેરિકનોએ પૃથ્વી દિનના પહેલા આયોજનમાં ભાગ લીધો હતો.   વિશ્વ પૃથ્વી દિન ઊજવવાનો હેતુ પૃથ્વી અને પર્યાવરણને બચાવવાનો છે. આપણે બધા કહીએ છીએ પૃથ્વી આપણી માતા છે. પરંતુ કમનસીબે આપણે આપણી માતાની કાળજી લેતા નથી. પ્લાસ્ટિકની થેલીઓ જમીન સહિત, નદીઓ, તળાવો અને દરિયાના પાણીને ગંભીર રીતે પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકમાં હાનિકારક પદાર્થો હોય છે. જે પર્યાવરણ અને પ્રાણીઓ માટે જોખમી બને છે. પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરી તેની જગ્યાએ કાગળ કે કાપડની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ. જમીનમાં વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી તેની પ્રાકૃતિક ગુણવત્તા, ઉપયોગિતા નષ્ટ થાય છે.   ભારતના વિખ્યાત પર્યાવરણવિદ સ્વ. શ્રી સુંદરલાલ બહુગુણા એ પૃથ્વી દિનની ઉજવણી ભારતમાં કેવી રીતે કરવી જોઈએ તે અંગે કેટલાંક ઉપયોગી અને અસરકારક સૂચનો કર્યા છે. . પૃથ્વી દિનની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ તેમજ રેલી, સભાઓ, સરઘસ અને પર્યાવરણ સંબંધિત પ્રદર્શન યોજી શાળાના વિદ્યાર્થીઓને જોડવા જોઈએ. . પૃથ્વી દિને સાઇકલ રેલીનું આયોજન કરવું જોઈએ અને રેલીમાં ભાગ લેતા સહકાર્યકરો ભવિષ્યમાં સાઇકલનો ઉપયોગ કરશે તેવા શપથ લેવડાવવા જોઈએ જેથી પેટ્રોલ બચત સાથે વાયુ પ્રદૂષણની માત્રામાં ઘટાડો નોંધાશે. . પ્રદૂષણ નિયંત્રણ માટે ઘડવામાં આવેલ કાયદાઓનો ચુસ્તપણે અમલ થવો જોઈએ.   પૃથ્વીની સુરક્ષાની જવાબદારી આપણા સૌની છે. ધરતીના ફળદ્રુપ ઉપલા પડને સાચવવાથી માંડીને તે ક્ષારમુક્ત અને પ્રદૂષણમુક્ત રહે તે જોવાની આપણી સૌની ફરજ છે. ધરતીમાતા પ્રત્યેનું ઋણ અદા કરવા માટે વર્ષમાં આવતો આ એક દિવસ પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન માટેનો દિવસ ગણાવો જોઈએ. વિશ્વ પૃથ્વી દિન અંગે યોજાતા વિવિધ કાર્યક્રમોમાં વધુને વધુ લોકો સહભાગી બને તો આપણાં જંગલો વૃક્ષોથી સદા હરિયાળા રહેશે.

22nd April

Read more
વિશ્વ પૃથ્વી દિન
22nd April
વિશ્વ પૃથ્વી દિન 22 એપ્રિલે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો હેતુ લોકોને પૃથ્વી સંબંધિત પર્યાવરણના પડકારો જેમ કે, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ પ્રદૂષણ અને જૈવ વિવિધતા સંરક્ષણ બાબતે જાગૃત કરવાનો છે. પૃથ્વીને બચાવવા થઈ રહેલા પ્રયત્નોને વેગ મળે એવો એક ઉદ્દેશ પણ આ દિવસની ઉજવણી પાછળ રહેલો છે. ભારતમાં સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ એજ્યુકેશન (CEE) ની સ્થાપના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા સપોર્ટેડ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે કરવામાં આવી હતી. આ સંસ્થા પર્યાવરણ અને ટકાઉ વિકાસ વિશે જાગૃતિ વધારવા માટે કાર્યક્રમો અને સામગ્રી વિકસાવવા તરફ કામ કરે...
Read more
વિશ્વ પુસ્તક દિન
વિશ્વ પુસ્તક દિન

23 એપ્રિલ નો દિન દુનિયાના 100 કરતાં પણ વધુ દેશોમાં 'વિશ્વ પુસ્તક દિન' તરીકે ઊજવાય છે. મહાન નાટ્યકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેક્સપિયર અને લેખક ઈન્કા ગાીલસો-ડે-લા-વેગા જેવા વિશ્વવિખ્યાત લેખકોનું અવસાન 23 એપ્રિલ ના દિવસે જ થયું હોવાથી 1995 માં યુનેસ્કોએ 23 એપ્રિલ ને વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિન તરીકે ઊજવવાનું જાહેર કર્યું હતું. શેક્સપિયરના યોગદાનને જોતાં ભારત સરકારે પણ 2001 માં આ દિવસને વિશ્વ પુસ્તક દિન તરીકેની માન્યતા આપી હતી. આ દિવસ ઊજવવાનો હેતુ માનવજાતના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં પુસ્તકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ લાવવાનો અને લોકોને પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવાનો છે.   23 એપ્રિલ ના રોજ સમગ્ર વિશ્વમાં લેખકો, પ્રકાશકો, વિવિધ સંસ્થાઓ, શાળાઓ તથા કૉલેજો ઉત્સાહથી વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કરે છે. પુસ્તકો આપણા સાચા મિત્રો છે. મિત્રોની જેમ પુસ્તકો માનવીના જીવનઘડતરમાં નિર્ણાયક અને અસરકારક ભૂમિકા ભજવે છે. ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર મણિલાલ દ્વિવેદીએ પુસ્તક વાચન વિશે કહ્યું છે કે, "આપણું વાંચન એ આપણા જીવનનું ખરું પ્રતિબિંબ છે."   આજના ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્ત્વ ઓછું થયું નથી. સમયની સાથે સાથે પુસ્તકો પણ ડિજિટલ થઈ ગયા છે. જેને e-book કહેવામાં આવે છે. જે મોબાઇલ, ટેબલેટ કે લેપટોપમાં વાંચી શકાય છે તેમજ સાંભળી પણ શકાય છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો કરે પુસ્તકોની છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે.   વર્તમાન યુગમાં જ્ઞાનના ફેલાવા માટે સારાં પુસ્તકો પણ શક્તિશાળી માધ્યમ બની શકે તેમ છે. ઉદાહરણ તરીકે મહાન સમાજસુધારક અને ભારતમાં કન્યા કેળવણીના પ્રણેતા જ્યોતિબા ફૂલેએ થોમસ પેઈનનું પુસ્તક રાઈટ્સ ઓફ મેન વાંચ્યું જેનાથી પ્રભાવિત થઈને તેમનામાં સામાજિક ન્યાયની ભાવના વિકસિત થઈ હતી. આ પ્રમાણે અનેક મહાનુભાવોના જીવનમાં બનેલું છે. પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાં પણ અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે, જ્યારે પુસ્તક અંત:કરણને ઉજજ્વળ કરે છે.   ડિજિટલ યુગમાં પુસ્તકોને ઓળખવા માટે 10 અંકનો નંબર આપવામાં આવે છે. જે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર (ISBN) વ્યાવસાયિક ઐક્ય કમાંક (માનાંક) છે. આ માનાંકને આધારે પ્રત્યેક નવીન પુસ્તકને તેના મુદ્રણની સાથે સાથે જ ઓળખકમાંક પ્રદાન કરવામાં આવે છે. જેમાં 0 થી 9 સુધીના અંકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.

23rd April

Read more
વિશ્વ પુસ્તક દિન
23rd April
23 એપ્રિલ નો દિન દુનિયાના 100 કરતાં પણ વધુ દેશોમાં 'વિશ્વ પુસ્તક દિન' તરીકે ઊજવાય છે. મહાન નાટ્યકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેક્સપિયર અને લેખક ઈન્કા ગાીલસો-ડે-લા-વેગા જેવા વિશ્વવિખ્યાત લેખકોનું અવસાન 23 એપ્રિલ ના દિવસે જ થયું હોવાથી 1995 માં યુનેસ્કોએ 23 એપ્રિલ ને વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિન તરીકે ઊજવવાનું જાહેર કર્યું હતું. શેક્સપિયરના યોગદાનને જોતાં ભારત સરકારે પણ 2001 માં આ દિવસને વિશ્વ પુસ્તક દિન...
Read more
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન

ભારત દેશમાં દર વર્ષે 24 એપ્રિલ ને 'રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન' તરીકે ઊજવવામાં આવે છે. 24 એપ્રિલ, 2010 ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન ની ઉજવણીની ઘોષણા કરી હતી. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી. કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય અને આવા હેતુ માટે 'ગ્રામસ્વરાજ' એવો શબ્દ પ્રયોજાયો હતો.   જાન્યુઆરી, 1957 માં ભારત સરકારે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવાનાં કાર્યોની તપાસ કરવા અને તેમના વધુ સારાં કાર્ય માટેના પગલા સૂચવવા માટે બળવંતરાય મહેતા સમિતિની રચના કરી હતી. આ સમિતિએ નવેમ્બર, 1957 માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં 'લોકશાહી વિકેન્દ્રીકરણ' યોજના સ્થાપવાની ભલામણ કરી હતી, જેને બાદમાં પંચાયતી રાજ તરીકે ઓળખવામાં આવી. આ સમિતિની ભલામણોને જાન્યુઆરી, 1958 માં રાષ્ટ્રીય વિકાસ પરિષદે સ્વીકારી હતી.   ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર, 1959 થી થઈ હતી. રાજસ્થાન એ દેશનું પહેલું રાજ્ય હતું જ્યાં પંચાયતી રાજનો અમલ કરવામાં આવ્યો હતો. જયારે ગુજરાતમાં 1 એપ્રિલ, 1963 થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો.   પંચાયતી સંસ્થાઓને વધારે કાર્યક્ષમ બનાવવા અને એમને બંધારણીય માન્યતા આપવા 1992 બંધારણમાં 73મો સુધારો કરવામાં આવ્યો હતો.   24મી એપ્રિલ, 1993 થી બંધારણનો આ સુધારો અમલમાં આવતાં પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો મળતો થયો. આ ઘટના ગામડાંઓ સુધી રાજકીય સત્તાના વિકેન્દ્રીકરણની એક ઐતિહાસિક ક્ષણ છે. ભારતનું બંધારણ પંચાયતોને 'સ્વરાજ્યની સંસ્થા' તરીકે માન્યતા આપે છે.   ભારત દેશમાં પંચાયતી રાજનું ત્રણ સ્તરનું માળખું સ્વીકારવામાં આવ્યું છે. 1. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત 2. તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત 3. જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત

24th April

Read more
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન
24th April
ભારત દેશમાં દર વર્ષે 24 એપ્રિલ ને 'રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન' તરીકે ઊજવવામાં આવે છે. 24 એપ્રિલ, 2010 ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન ની ઉજવણીની ઘોષણા કરી હતી. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી. કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય અને આવા હેતુ માટે 'ગ્રામસ્વરાજ' એવો શબ્દ પ્રયોજાયો હતો.   જાન્યુઆરી, 1957 માં ભારત સરકારે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવાનાં કાર્યોની તપાસ કરવા અને તેમના વધુ સારાં...
Read more
શ્રીનિવાસ રામાનુજન પુણ્યતિથિ
શ્રીનિવાસ રામાનુજન પુણ્યતિથિ

શ્રીનિવાસ રામાનુજન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન હોવાથી તેમની યાદમાં ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગણિત દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 22 ડિસેમ્બર, 2012 ના રોજ ચેન્નઈ માં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજન ની 125મી જયંતીના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતાં વર્ષ 2012 ને 'રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજનના જન્મદિવસને 'રાષ્ટ્રીય ગણિત દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 22 ડિસેમ્બરે ભારતના આ મહાન ગણિતશાસ્ત્રીને સન્માન આપવા 'રાષ્ટ્રીય ગણિત દિન' ઉજવવામાં આવે છે.   શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ચેન્નઈથી 400 કિમી દૂર ઈરોડમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા શ્રીનિવાસ આયંગર અને માતા કોમલ તમ્મલ. તેમને બાળપણથી ગણિતનો શોખ હતો. માત્ર 12 વર્ષની ઉંમરે તેઓ ત્રિકોણમિતિમાં નિપુણ બન્યા. 1904 માં ગણિતમાં વિશેષ યોગદાન બદલ તેમને 'રંગનાથ રાવ' પુરસ્કાર મળ્યો.   તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તે મિત્રો પાસેથી પુસ્તકો ઉછીનાં લઈને વાંચતા હતા. પોતાની નાણાકીય જરૂરિયાતો માટે મદ્રાસ ટ્રસ્ટ પોર્ટ ની ઓફિસમાં તેમણે ક્લાર્ક તરીકે કામ કર્યું. નોકરી દરમિયાન તેઓ ફુરસદના સમયમાં ગણિતના પ્રશ્નો ઉકેલતા હતા. ટૂંકા જીવનકાળ દરમિયાન તેમણે આશરે 3900 જેટલા ગાણિતિક કોયડાના ઉકેલો શોધ્યા હતા. રામાનુજનની વૈશ્વિક પ્રતિભાની ઓળખ કરાવવામાં અંગ્રેજ પ્રો. હાર્ડી નો મોટો ફાળો હતો. રામાનુજનથી પ્રભાવિત થઈને બ્રિટનની રોયલ સોસાયટી એ તેમને વર્ષ 1918 માં ફેલોશિપ આપી. રામાનુજન આ સન્માન મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ હતા. નંબર થિયરી પરના તેમના અદ્દભુત કાર્યને કારણે, તેમને 'સંખ્યાના જાદુગર' કહેવામાં આવે છે. રામાનુજન હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે પ્રો. હાર્ડી તેમને મળવા ગયા. વાતવાતમાં તેમણે કહ્યું, 'હું જે વાહનમાં આવ્યો તેનો નંબર 1729 હતો. બીમારીની કહ્યું, 'અરે! બહુ સરસ નંબર છે. એક માત્ર આંકડો જે બે રીતે બે અલગ અલગ સંખ્યાના ઘનનો સરવાળો છે.   (10×10×10) + (9×9×9)=1729 અને (12×12×12) (1×1×1)=1729 ત્યારથી આ નંબર ગણિતમાં રસ ધરાવનારા માટે અગત્યનો બની ગયો.   રામાનુજનના સંશોધનો મુખ્યત્વે સંખ્યા ગણિત, અપૂર્ણાંકો, પ્રમેયો, વિધેયો વગેરે ક્ષેત્રોમાં હતાં. જ્યારે કમ્પ્યૂટરની શોધ થઈ ત્યારે લાખો દશાંશ સ્થાન સુધીની ગણતરી માટે રામાનુજનનાં જ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રામાનુજને કોઈ મદદ વિના હજારો ગાણિતિક પરિણામોનાં સૂત્રોને સમીકરણોનાં સ્વરૂપે સંકલિત કર્યા. જેમાં ઘણાં મૌલિક હતાં, જેમ કે રામાનુજન પ્રાઈમ, રામાનુજન થીટા ફંક્શન, વિભાજન સૂત્ર અને મોક થીટા ફંક્શન વગેરે. તેઓએ ડાઈવરજેન્ટ સિરીઝ પર પોતાનો સિદ્ધાંત પણ આપ્યો. એ સિવાય તેઓએ Riemann series, the elliptic integrals, hyper geometric series and Jeta Functionના કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું. મૃત્યુ પહેલાં પણ માંદગી હોવા છતાં તેઓ ગણિતમાં જ ખૂંપેલા રહ્યા. તે સમયે તેમણે q-series પર કામ કર્યું પણ તેની બહુ મોડેથી ખબર પડી. તેમની એ નોટબુક અચાનક જ મળી અને એનું સંકલન અલગ Lost Notebook ને નામે કરવામાં આવ્યું છે. તેમણે રજૂ કરેલ રહસ્યમય ડેથબેડ થિયરી તેમનાં મૃત્યુનાં 100 વર્ષ બાદ સાચી પડી છે. જેનો ઉપયોગ બ્લેક હોલની થિયરી સમજવા માટે કરવામાં આવ્યો છે. 26 એપ્રિલ, 1920 ના રોજ માત્ર 33 વર્ષ ની વયે કુમ્બનમ ખાતે તેમનું અવસાન થયું હતું.   આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતાના વિકાસ માટે ગણિતના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. દેશની યુવા પેઢીને ગણિત શીખવા માટે પ્રોત્સાહિત કરવા, ઉત્સાહિત કરવા અને તેમનામાં સકારાત્મક વલણ કેળવવા માટે પહેલ કરવામાં આવે છે. આ દિવસે શિબિરો દ્વારા ગણિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવે છે. ગણિત અને સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન માટે શિક્ષણ-પ્રશિક્ષણ સામગ્રી (TLM) ના વિકાસ, ઉત્પાદન અને પ્રસારને પ્રકાશિત કરવામાં આવે છે.

26th April

Read more
શ્રીનિવાસ રામાનુજન પુણ્યતિથિ
26th April
શ્રીનિવાસ રામાનુજન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન હોવાથી તેમની યાદમાં ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગણિત દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 22 ડિસેમ્બર, 2012 ના રોજ ચેન્નઈ માં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજન ની 125મી જયંતીના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતાં વર્ષ 2012 ને 'રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજનના જન્મદિવસને 'રાષ્ટ્રીય ગણિત દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 22 ડિસેમ્બરે ભારતના આ...
Read more