PM મોદીએ UAE રાષ્ટ્રપતિને ભેટ કરી કચ્છની ‘રોગાન કલા’.
PM મોદીએ UAE ની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને કચ્છની અતિ પ્રાચીન અને વિશ્વ વિખ્યાત ‘રોગાન કલા’ ભેટમાં આપી. આ સાંસ્કૃતિક આદાનપ્રદાન દ્વારા વૈશ્વિક મંચ પર ભારતીય હસ્તકલા વારસાનું સુંદર પ્રદર્શન થયું. રોગાન કલા એરંડાના તેલ અને કુદરતી રંગોથી બનેલી, કચ્છના નિરોણા ગામના ખત્રી પરિવાર દ્વારા સદીઓથી સાચવેલી, સંપૂર્ણપણે હાથથી બનતી કળા છે.
PM મોદીએ UAE રાષ્ટ્રપતિને ભેટ કરી કચ્છની ‘રોગાન કલા’.
દમણને જૂનના પ્રથમ સપ્તાહે મળશે નવી સિવિલ એરપોર્ટ અને હાઇટેક હોસ્પિટલની ભેટ
સંઘપ્રદેશ દમણ હવે પ્રગતિના નવા યુગમાં પ્રવેશવા તૈયાર છે. આગામી જૂનના પ્રથમ સપ્તાહમાં દમણને એકસાથે બે મહત્વપૂર્ણ ભેટ મળનાર છે. જેમાં નવનિર્મિત ભવ્ય સિવિલ એરપોર્ટ અને સેન્ટ્રલાઈઝ્ડ એસી સુવિધા સાથેની અંદાજે રૂ. 250 કરોડની હાઇટેક સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સાથે, દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સાથેની હવાઈ કનેક્ટિવિટી શરૂ થશે, જે સ્થાનિક વેપાર અને પર્યટનને વેગ આપશે.
દમણને જૂનના પ્રથમ સપ્તાહે મળશે નવી સિવિલ એરપોર્ટ અને હાઇટેક હોસ્પિટલની ભેટ
NEET ફિઝિક્સ પેપર લીકની મુખ્ય આરોપી મહિલા પ્રોફેસર CBI દ્વારા પુણેથી ઝડપાઈ.
NEET-UG 2026 પરીક્ષામાં થયેલા પેપર લીક કૌભાંડમાં CBI એ પુણેની એક કોલેજમાં ફરજ બજાવતી મનીષા હવલદાર નામની મહિલા લેક્ચરરની ધરપકડ કરી છે. CBI ના જણાવ્યા અનુસાર, તે ફિઝિક્સ વિષયના પ્રશ્નપત્ર લીક થવાનું મુખ્ય સોર્સ હતી. મનીષા હવલદાર NTA દ્વારા ફિઝિક્સ નિષ્ણાત તરીકે નિયુક્ત હતી, તેથી તેને પેપરની સંપૂર્ણ એક્સેસ હતી. તેણે સહ-આરોપી મનીષા મંધારે સાથે પ્રશ્નો શેર કર્યા હતા. ફોરેન્સિક તપાસમાં આ પ્રશ્નો NEET-UG ના ઓરિજનલ પેપર સાથે મેચ થયા હતા. આ કૌભાંડમાં અત્યાર સુધી 11 લોકોની ધરપકડ થઈ છે.
NEET ફિઝિક્સ પેપર લીકની મુખ્ય આરોપી મહિલા પ્રોફેસર CBI દ્વારા પુણેથી ઝડપાઈ.
રાજ્યસભા સીટ વેચાણ પર હરભજન સિંહનો AAP નેતાગીરી પર મોટો આરોપ.
પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહે આમ આદમી પાર્ટી (AAP) પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમને 'ગદ્દાર' કહેનારા લોકોને જવાબ આપતા, હરભજન સિંહે AAPના ટોચના નેતૃત્વ પર પંજાબને લૂંટવાનો અને રાજ્યસભા સીટો તથા મંત્રી પદ વેચી દેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સમય આવ્યે તેઓ તમામ વાતોનો ખુલાસો કરશે અને પંજાબને લૂંટવા માટે કોને કેટલો લાભ મળ્યો તેની પણ માહિતી આપશે.
રાજ્યસભા સીટ વેચાણ પર હરભજન સિંહનો AAP નેતાગીરી પર મોટો આરોપ.
દુશ્મનાવટ ભૂલી ભારત, ચીન, જાપાન બ્રિટન વિરુદ્ધ WTOમાં એકસાથે, એશિયન દેશોનો મોટો દાવ
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માં ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ બ્રિટનના સ્ટીલ આયાત પર ટૅરિફ વધારવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે. બ્રિટન 50% સુધી ટૅરિફ વધારવાની યોજના ધરાવે છે, જેનાથી ભારતીય સ્ટીલ નિકાસ પર અસર પડી શકે છે. જાપાન અને દક્ષિણ કોરિયાએ સત્તાવાર વાંધો ઉઠાવ્યો, જેને અન્ય દેશોનું સમર્થન મળ્યું. આ પગલાં ભારત-બ્રિટન મુક્ત વ્યાપાર કરાર (FTA)ના અમલીકરણને પણ અસર કરી શકે છે.
દુશ્મનાવટ ભૂલી ભારત, ચીન, જાપાન બ્રિટન વિરુદ્ધ WTOમાં એકસાથે, એશિયન દેશોનો મોટો દાવ
માર્કો રુબિયોએ કહ્યું, "ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો"
United Statesના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી ક્યુબા સામે કડક વલણ અપનાવતાં સૈન્ય કાર્યવાહી અને સત્તાપલટાની અટકળો તેજ થઈ છે. અમેરિકાના વિદેશમંત્રી Marco Rubioએ ક્યુબાને અમેરિકાની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. બીજી તરફ, 1996ના વિમાન કાંડ મામલે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ Raúl Castro સામે હત્યાનો કેસ દાખલ થયો છે. કેરેબિયન સમુદ્રમાં અમેરિકાએ યુદ્ધજહાજ USS Nimitz સહિત સૈન્ય તૈનાત કરતાં તણાવ વધુ વધ્યો છે, જ્યારે ક્યુબાએ તમામ આરોપોને ફગાવ્યા છે.
માર્કો રુબિયોએ કહ્યું, "ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો"
સોમનાથ દરિયા કિનારે મોટી દુર્ઘટના: ઊંચા મોજામાં 3 યાત્રિકો ડૂબ્યા!
સોમનાથ ખાતે પવિત્ર દર્શન બાદ દરિયા કિનારે ફરવા ગયેલા મહારાષ્ટ્રના સોલાપુરના 3 યાત્રિકો અચાનક ઊંચા મોજાની ઝપટમાં આવી ગયા હતા. સમુદ્રમાં ડૂબેલા ત્રણ પૈકી બે યાત્રિકોને સ્થાનિકો અને પોલીસે સમયસર બચાવી લીધા હતા. જોકે, એક યાત્રિક હજુ લાપત્તા છે. તેની શોધખોળ માટે સતત Search Operation ચાલુ છે. આ ઘટનાએ સોમનાથ દરિયા કિનારે પ્રવાસીઓની સુરક્ષા પર ફરી પ્રશ્નાર્થ સર્જ્યો છે, તેમ છતાં લોકો જોખમ વહોરી રહ્યા છે.
સોમનાથ દરિયા કિનારે મોટી દુર્ઘટના: ઊંચા મોજામાં 3 યાત્રિકો ડૂબ્યા!
અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ જેલ કેદીના પેરોલના નામે પરિવાર પાસેથી રૂપિયા પડાવ્યા.
અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં જેલમાં બંધ કેદીઓના પરિવારજનોની લાચારીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા એક કેદીના પેરોલ મંજૂર થઈ ગયા હોવાનું જણાવી, માધવપુરાના એક પરિવાર પાસેથી ઓનલાઈન 45,000 રૂપિયા પડાવી લેવાયા છે. માધવપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઠગાઈમાં જેલ અધિકારી હોવાનું નાટક કરીને રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ જેલ કેદીના પેરોલના નામે પરિવાર પાસેથી રૂપિયા પડાવ્યા.
NEET પેપર લીક: અધિકારીઓ મંત્રીની વાત પણ નથી સાંભળતા?
NEET-UG 2026 પેપર લીક વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. NTAના DG અભિષેક સિંઘે સંસદીય સમિતિ સમક્ષ દાવો કર્યો કે પેપર તેમની ડિજિટલ સિસ્ટમમાંથી લીક થયું નથી. બીજી તરફ ધર્મેન્દ્ર પ્રધાને ચેઈન ઓફ કમાન્ડમાં ખામી સ્વીકારી છે. વિદ્યાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો છાપકામ, ટ્રાન્સપોર્ટ અથવા વિતરણ દરમિયાન લીક થયું હોય તો તેને સિસ્ટમ ફેલ્યોર કેમ ન માનવું? સમગ્ર મામલે NTA અને સરકારના નિવેદનો વચ્ચે વિસંગતતા જોવા મળી રહી છે.
NEET પેપર લીક: અધિકારીઓ મંત્રીની વાત પણ નથી સાંભળતા?
SG હાઈવે મકરબામાં સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ.
અમદાવાદના સૌથી વ્યસ્ત એવા SG Highway પર મકરબાની 'સોલિટેર બિલ્ડિંગ'ના ત્રીજા માળે ભયાનક આગ ફાટી નીકળી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં તેણે ચોથા માળને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે તાત્કાલિક એક્શન લીધા છે. ચીફ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલમાં ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ સ્થળ પર હાજર છે અને આગ પર કાબૂ મેળવવા તેમજ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
SG હાઈવે મકરબામાં સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ.
દુનિયા પર મંડરાઈ રહ્યો છે મોટો આર્થિક ખતરો!
ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધથી હોર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલા સંકટને કારણે વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા પર ગંભીર અસર પડી છે. નિષ્ણાતોના મતે, તણાવ તાત્કાલિક સમાપ્ત થાય તો પણ સંપૂર્ણ સપ્લાય ચેઈન સામાન્ય થવામાં 2027 સુધીનો સમય લાગી શકે છે. દરિયાઈ સુરંગો, જહાજો પર હુમલા અને ઈરાનની નાકાબંધીથી ઇંધણ, LPG અને LNG પુરવઠો ખોરવાયો છે. વધતા ઇંધણ ભાવ અને મોંઘવારીથી વૈશ્વિક અર્થતંત્ર પર દબાણ વધ્યું છે, જ્યારે UAE વૈકલ્પિક પાઇપલાઇન અને AI આધારિત ઊર્જા સુરક્ષા પર કામ કરી રહ્યું છે.
દુનિયા પર મંડરાઈ રહ્યો છે મોટો આર્થિક ખતરો!
અમદાવાદના દાણીલીમડામાં ગેરકાયદે કતલખાના પર બુલડોઝર.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદે પશુ કતલખાનાં સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સ્થાનિક પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રામરહીમના ટેકરા વિસ્તારમાં આરોપી સમીર ઉર્ફે પમો ખોખર અને શાહરૂખ કુરેશી દ્વારા બનાવાયેલા ગેરકાયદે કતલખાનાં પર બુલડોઝર ફેરવી બાંધકામ તોડી પાડવામાં આવ્યું. બંને આરોપીઓ સામે અગાઉ પણ પશુ સંરક્ષણ કાયદા હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલી આ કાર્યવાહીને કારણે વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
અમદાવાદના દાણીલીમડામાં ગેરકાયદે કતલખાના પર બુલડોઝર.
ભાજપ સાંસદનો ખુલાસો: ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-નેતાઓની સાંઠગાંઠ.
ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પોતાની જ સરકાર સામે ગંભીર આક્ષેપો કરતાં હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. પત્રમાં નર્મદા જિલ્લામાં ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓ પોલીસ તથા સ્થાનિક રાજકીય આગેવાનોની મિલીભગતથી ચાલતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મનસુખ વસાવાએ મહારાષ્ટ્ર બોર્ડરથી દારૂની હેરાફેરીના રૂટ અને પોલીસ સ્ટેશનોની સંડોવણીનો પણ ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા શંકાસ્પદ હોવાનું તેમણે જણાવ્યું છે.
ભાજપ સાંસદનો ખુલાસો: ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-નેતાઓની સાંઠગાંઠ.
અમદાવાદ એરપોર્ટ પર 20 કરોડના ગાંજા સાથે મુસાફર ઝડપાયો
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ અને એર ઈન્ટેલિજન્સ યુનિટે અંદાજે ₹20 કરોડથી વધુ કિંમતનો 20 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. બેંગકોકથી Thai Airwaysની ફ્લાઈટમાં આવેલા ઉત્તર પ્રદેશના સહારનપુરના એક ભારતીય મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. Directorate of Revenue Intelligenceને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ આરોપી ડ્રગ્સ ‘કેરિયર’ તરીકે કામ કરતો હતો અને અમદાવાદથી ફરી દિલ્હી જવાનો પ્લાન હતો.
અમદાવાદ એરપોર્ટ પર 20 કરોડના ગાંજા સાથે મુસાફર ઝડપાયો
IAS માતા-પિતાના સંતાનોને અનામત કેમ? SC નો સવાલ.
સુપ્રીમ કોર્ટે OBC અનામત અને ક્રીમી લેયર અંગે સુનાવણી કરતાં પૂછ્યું, જો માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામતનો લાભ શા માટે? આ ટિપ્પણીથી ક્રીમી લેયરની મર્યાદા અને અનામતના માપદંડો પર ફરી ચર્ચા તેજ બની છે. અનામતનો હેતુ ખરેખર પછાત, શોષિત અને વંચિત લોકો સુધી પહોંચવાનો છે, ત્યારે ઉચ્ચ વહીવટી સેવાઓમાં પહોંચેલા પરિવારોના બાળકોને લાભ આપવાનું ઔચિત્ય શું, તેવો વેધક સવાલ કોર્ટે કર્યો છે.
IAS માતા-પિતાના સંતાનોને અનામત કેમ? SC નો સવાલ.
એવરેસ્ટ સર કર્યા બાદ બે ભારતીયોના 'ડેથ ઝોન'માં મોત.
માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ ભારતના બે પર્વતારોહકો અરુણ કુમાર તિવારી અને સંદીપ આરેનું નીચે ઉતરતી વખતે કરુણ મોત થયું છે. બંનેએ સફળતાપૂર્વક શિખર સર કરીને તિરંગો લહેરાવ્યો હતો, પરંતુ ‘ડેથ ઝોન’માં ઓક્સિજનની અછત અને અતિશય થાકને કારણે તેઓ સુરક્ષિત પાછા ફરી શક્યા નહોતા. નેપાળના તંત્રએ ઘટનાની પુષ્ટિ કરી છે. સંદીપ આરેએ બુધવારે અને અરુણ તિવારીએ ગુરુવારે શિખર સર કર્યું હતું. શેરપા ગાઇડ્સે બચાવ પ્રયાસ કર્યા છતાં બંનેને બચાવી શકાયા નહોતા.
એવરેસ્ટ સર કર્યા બાદ બે ભારતીયોના 'ડેથ ઝોન'માં મોત.
12 વર્ષે ઝડપાયો બોલિવૂડ એક્ટર, હત્યાનો ફરાર કેદી, વકીલ અને પત્રકાર પણ હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2005ના હત્યા કેસમાં 12 વર્ષથી ફરાર આરોપી હેમંત મોદીને ઝડપી પાડ્યો. પેરોલ પરથી ભાગ્યા બાદ તેણે મુંબઈમાં નવું નામ ધારણ કરી બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું. હત્યા પહેલા વકીલ, જેલમાંથી જજની પરીક્ષા અને પેરોલ પરથી ભાગ્યા બાદ પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. પોલીસે તેની અસલી ઓળખ શારીરિક નિશાનીઓ દ્વારા જાહેર કરી.
12 વર્ષે ઝડપાયો બોલિવૂડ એક્ટર, હત્યાનો ફરાર કેદી, વકીલ અને પત્રકાર પણ હતો.
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં વાઘના હુમલામાં ચાર મહિલાઓના મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ છે. સિંદેવાહી તાલુકાના ગુંજેવાહી વિસ્તારમાં તેંદુપત્તા એકત્ર કરવા ગયેલી મહિલાઓ પર જંગલમાં છુપાયેલા વાઘે અચાનક હુમલો કર્યો હતો. ઘટનામાં ચારેય મહિલાઓનું કરુણ મોત થયું. ઘટનાસ્થળે પોલીસ અને વન વિભાગની ટીમ પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે વધતા વન્યજીવ હુમલાઓ છતાં વન વિભાગ અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે.
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક: થરૂર
Instagram પર ચર્ચામાં આવેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે માત્ર મજાક નહીં પરંતુ યુવાનોના અસંતોષનું પ્રતિક બની ગઈ છે. આ વ્યંગાત્મક મુવમેન્ટના ફોલોઅર્સ દેશની ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ વધુ થયા છે. શશી થરૂરે કહ્યું કે આ આંદોલન યુવાનોની હતાશા વ્યક્ત કરવાનો માર્ગ છે. ખાસ કરીને NEET પરીક્ષા પેપર લીક બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે અને સોશિયલ મીડિયા એક શક્તિશાળી વિરોધનું માધ્યમ બન્યું છે.
યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક: થરૂર
ગુજરાત સહિત 10 રાજ્યોમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત.
ચૂંટણી પંચે ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. આ બેઠકો પર આગામી 18 જૂન 2026 ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવાશે અને રાત સુધીમાં તમામ પરિણામો સ્પષ્ટ થઈ જશે. આ ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ અને એચ.ડી. દેવેગૌડા જેવા દિગ્ગજ નેતાઓની બેઠકો પર પ્રતિનિધિઓ ચૂંટાશે. પારદર્શિતા માટે ખાસ જાંબલી (Purple) રંગની સ્કેચ પેન નો ઉપયોગ ફરજિયાત રહેશે.
ગુજરાત સહિત 10 રાજ્યોમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60મા સ્થાપના દિવસની અનોખી ઉજવણી!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેના 60મા સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરી રહી છે. Ph.D. વિદ્યાર્થીઓ માટે ફેસિલિટેશન સેન્ટર બનશે અને નેશનલ-ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો ખર્ચ યુનિવર્સિટી ઉઠાવશે. 29 ભવનોને નવીનતમ કામ માટે રૂ.3-3 લાખની વધારાની ગ્રાન્ટ મળશે. PM ની ઈંધણ બચત અપીલના કારણે ઉજવણી સાદગીપૂર્ણ રહેશે. કુલ રૂ.235 કરોડના બજેટમાં રૂ.78.99 કરોડની ખાસ જોગવાઈ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60મા સ્થાપના દિવસની અનોખી ઉજવણી!
જ્ઞાન લાઇવ સંચાલક પર વિદ્યાર્થીને માર મારવાની ધમકીનો આરોપ.
ગાંધીનગરની જ્ઞાન લાઇવ એકેડમીના સંચાલક પર રૂ.3.05 લાખ મહેનતાણું માંગતા વિદ્યાર્થીને જાહેરમાં અપમાનિત કરી રૂમમાં પૂરી માર મારવાની ધમકી આપવાનો ગંભીર આરોપ છે. ઇન્ફોસિટી પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ એકેડમીની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે.
જ્ઞાન લાઇવ સંચાલક પર વિદ્યાર્થીને માર મારવાની ધમકીનો આરોપ.
ચારિત્ર પર વહેમ રાખી પતિ બન્યો હેવાન, પત્નીની ઘાતકી હત્યા.
મોરબીમાં પતિએ પત્નીના ચારિત્ર પર શંકા રાખી નિર્મમ હત્યા કરી. મધ્યપ્રદેશના મજૂર પરિવારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આરોપી પતિ લક્ષ્મણ કતિજાએ પત્ની રૂકમા પર ઇંટ અને બોથડ પદાર્થ વડે હુમલો કર્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ચારિત્ર પર વહેમ રાખી પતિ બન્યો હેવાન, પત્નીની ઘાતકી હત્યા.
ડોનાલ્ડ ટ્રમ્પે પુત્રના લગ્નમાં હાજરી અંગે રમૂજી કરી ટિપ્પણી.
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે, પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના આગામી લગ્નને લઈને રમૂજી નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જો તેઓ લગ્નમાં જશે તો મારી નાખવામાં આવશે, અને નહીં જાય તો પરિવાર દ્વારા. આ ટિપ્પણીએ ઓવલ ઓફિસમાં હાસ્ય સર્જ્યું. પિતાની જવાબદારી અને રાષ્ટ્રપતિ પદની ફરજો વચ્ચેના સંઘર્ષને તેમણે હળવાશથી રજૂ કર્યો. લગ્નમાં હાજરી અંગે હજુ સત્તાવાર પુષ્ટિ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે પુત્રના લગ્નમાં હાજરી અંગે રમૂજી કરી ટિપ્પણી.
આવતીકાલે હિંમતનગરના 23 વિસ્તારો અને 5 ગામોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
હિંમતનગર-1 સબસ્ટેશનમાં સમારકામને કારણે આવતીકાલે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી 15 થી વધુ ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે. આ વીજકાપથી હિંમતનગર શહેરના 23 વિસ્તારો અને હાપા, કાટવાડ, તાજપુરી, પોલાજપુર, કુડોલ ગામોમાં અસર થશે. સમારકામ બાદ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.
આવતીકાલે હિંમતનગરના 23 વિસ્તારો અને 5 ગામોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
ડભોલી કિડ્સ સ્ટોરમાં આગ: લાખોનું નુકસાન.
સુરતમાં ડભોલીના તુલસી ચોક પાસે 'વિઆના કિડ્સ સ્ટોર' માં ભયાનક આગ લાગી. ગરમીના કારણે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં બાળકોના કપડાં અને રમકડાં ભરેલી દુકાનમાં જોતજોતામાં આગ ફેલાઈ. ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહીથી મોટી હોનારત ટળી, પરંતુ લાખો રૂપિયાના સામાનનું નુકસાન થયું. સદનસીબે કોઈ જાનહાનિ નથી.
ડભોલી કિડ્સ સ્ટોરમાં આગ: લાખોનું નુકસાન.
સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં વરસાદની આગાહી; તાપમાનમાં આંશિક રાહત.
રાજ્યમાં સતત વધી રહેલા તાપમાન વચ્ચે હવે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 9 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું, પરંતુ હવે તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ગરમીથી આંશિક રાહત મળી રહી છે. આગામી 7 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં રહે તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં વરસાદની આગાહી; તાપમાનમાં આંશિક રાહત.
EDની કાર્યવાહી: તોડબાજી કેસમાં પૂર્વ DCPના ઘરનું તાળું તોડી તપાસ.
પશ્ચિમ બંગાળમાં કથિત તોડબાજી (ખંડણી) રેકેટ સામે EDની મોટી કાર્યવાહી. કોલકાતા અને મુર્શિદાબાદમાં દરોડા. 'સોના પપ્પુ' અને પૂર્વ DCP શાંતનુ સિન્હા બિસ્વાસ સાથે જોડાયેલ નેટવર્કની તપાસ. શાંતનુ સિન્હા EDની કસ્ટડીમાં. તેમના બંધ પૈતૃક ઘરનું તાળું તોડી તપાસ શરૂ. કોલકાતામાં પણ હોટેલ, ઉદ્યોગપતિ અને SIના ઘરે દરોડા. ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને પુરાવા એકત્ર કરવા પર EDનું ધ્યાન.
EDની કાર્યવાહી: તોડબાજી કેસમાં પૂર્વ DCPના ઘરનું તાળું તોડી તપાસ.
સાબરમતી જેલ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી 45000ની છેતરપિંડી.
અમદાવાદમાં સાયબર ઠગોએ જેલ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી, પેરોલ અપાવવાના બહાને 45000 રૂપિયા પડાવી લીધા. ફરિયાદી સગાના પેરોલની ઉતાવળમાં ફસાયા. ઠગે તાત્કાલિક ફીના નામે પૈસા માંગ્યા અને દબાણ કર્યું. નાણાં ટ્રાન્સફર થતાં જ ફોન બંધ. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
સાબરમતી જેલ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી 45000ની છેતરપિંડી.
જામનગર વૃદ્ધાશ્રમમાં દિવંગત વડીલોના સ્મરણાર્થે ભાગવત કથા.
જામનગરના એમ.પી. શાહ વૃદ્ધાશ્રમમાં દિવંગત વડીલોની શાંતિ માટે પુરુષોત્તમ માસ નિમિત્તે ભાગવત કથાનું આયોજન. તા. 17/5/26 થી 23/5/26 દરમિયાન શાસ્ત્રી કે.આર. ભટ્ટ (ફિશન મહારાજ) કથા કહેશે. કપિલ, રામ, કૃષ્ણ જન્મ, રુક્ષ્મણી વિવાહ સહિત ધાર્મિક પ્રસંગોની ઉજવણી. 1968 થી કાર્યરત વૃદ્ધાશ્રમમાં 114 વડીલો નિઃશુલ્ક રહે છે. 'સ્પર્શ બાયોટેક' દ્વારા 'સિનિયર કેર સેન્ટર' પણ ઉપલબ્ધ. ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ.