સોમનાથ દરિયા કિનારે મોટી દુર્ઘટના: ઊંચા મોજામાં 3 યાત્રિકો ડૂબ્યા!
સોમનાથ દરિયા કિનારે મોટી દુર્ઘટના: ઊંચા મોજામાં 3 યાત્રિકો ડૂબ્યા!
Published on: 22nd May, 2026

સોમનાથ ખાતે પવિત્ર દર્શન બાદ દરિયા કિનારે ફરવા ગયેલા મહારાષ્ટ્રના સોલાપુરના 3 યાત્રિકો અચાનક ઊંચા મોજાની ઝપટમાં આવી ગયા હતા. સમુદ્રમાં ડૂબેલા ત્રણ પૈકી બે યાત્રિકોને સ્થાનિકો અને પોલીસે સમયસર બચાવી લીધા હતા. જોકે, એક યાત્રિક હજુ લાપત્તા છે. તેની શોધખોળ માટે સતત Search Operation ચાલુ છે. આ ઘટનાએ સોમનાથ દરિયા કિનારે પ્રવાસીઓની સુરક્ષા પર ફરી પ્રશ્નાર્થ સર્જ્યો છે, તેમ છતાં લોકો જોખમ વહોરી રહ્યા છે.