અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ જેલ કેદીના પેરોલના નામે પરિવાર પાસેથી રૂપિયા પડાવ્યા.
અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ જેલ કેદીના પેરોલના નામે પરિવાર પાસેથી રૂપિયા પડાવ્યા.
Published on: 22nd May, 2026

અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં જેલમાં બંધ કેદીઓના પરિવારજનોની લાચારીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા એક કેદીના પેરોલ મંજૂર થઈ ગયા હોવાનું જણાવી, માધવપુરાના એક પરિવાર પાસેથી ઓનલાઈન 45,000 રૂપિયા પડાવી લેવાયા છે. માધવપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઠગાઈમાં જેલ અધિકારી હોવાનું નાટક કરીને રૂપિયા પડાવવામાં આવ્યા હતા.