ગુજરાતી મરીન એન્જિનિયર બન્યા અમેરિકન ક્રૂ માટે 'દેવદૂત'
ગુજરાતી મરીન એન્જિનિયર બન્યા અમેરિકન ક્રૂ માટે 'દેવદૂત'
Published on: 23rd August, 2026

પ્રશાંત મહાસાગરમાં એક ડૂબતા અમેરિકન કાર્ગો જહાજ 'એસએલએનસી યોર્ક' પર ૧૮ અમેરિકન ક્રૂ ફસાયા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં, અમદાવાદના મરીન એન્જિનિયર પાર્થ પટેલ, જેઓ 'પેસિફિક યાન્તાઈ' જહાજ પર હતા, તેઓ દેવદૂત સમાન બન્યા. તેમણે તોફાની દરિયામાં ૧૨ કલાકનો પ્રવાસ ખેડી ઘટનાસ્થળે પહોંચી, ૧૮ ક્રૂને સુરક્ષિત રીતે બચાવ્યા અને જહાજને પણ કિનારે ખેંચી લાવવામાં મદદ કરી. આ રેસ્ક્યુ ઓપરેશન કોઈ હોલિવૂડ ફિલ્મને શરમાવે તેવું હતું.