
Banaskantha: થરાદની બહેનો 40 વર્ષથી ભાઈને રાખડી બાંધી શકતી નથી.
Published on: 09th August, 2025
ભારત-પાકિસ્તાનના ભાગલા અને 1971ના યુદ્ધ બાદ, ઘણા હિન્દુ પરિવારોએ પાકિસ્તાન છોડી ભારતને વતન ગણી નાગરિકતા સ્વીકારી. થરાદના શિવનગરમાં વસેલા પરિવારોની બહેનો 40 વર્ષથી પાકિસ્તાનમાં રહેતા ભાઈઓને રક્ષાબંધને રાખડી બાંધી શકતી નથી. ગવરીબેન, ગંગાબેન, લીલાબેન જેવી અનેક બહેનોને ભાઈઓની યાદ આવે છે, વિઝા ન મળતા તેઓ રાખડી બાંધવા જઈ શકતા નથી અને ગરીબ હોવાથી તેઓ વિઝા લઈ શકતા નથી. તેઓ દર રક્ષાબંધને ભાઈની યાદમાં થાળીમાં રાખડી અને મીઠાઈ રાખે છે.
Banaskantha: થરાદની બહેનો 40 વર્ષથી ભાઈને રાખડી બાંધી શકતી નથી.

ભારત-પાકિસ્તાનના ભાગલા અને 1971ના યુદ્ધ બાદ, ઘણા હિન્દુ પરિવારોએ પાકિસ્તાન છોડી ભારતને વતન ગણી નાગરિકતા સ્વીકારી. થરાદના શિવનગરમાં વસેલા પરિવારોની બહેનો 40 વર્ષથી પાકિસ્તાનમાં રહેતા ભાઈઓને રક્ષાબંધને રાખડી બાંધી શકતી નથી. ગવરીબેન, ગંગાબેન, લીલાબેન જેવી અનેક બહેનોને ભાઈઓની યાદ આવે છે, વિઝા ન મળતા તેઓ રાખડી બાંધવા જઈ શકતા નથી અને ગરીબ હોવાથી તેઓ વિઝા લઈ શકતા નથી. તેઓ દર રક્ષાબંધને ભાઈની યાદમાં થાળીમાં રાખડી અને મીઠાઈ રાખે છે.
Published on: August 09, 2025