બનાસકાંઠા: જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા ₹2549.69 લાખના 615 કામો મંજૂર કરાયા.
બનાસકાંઠા: જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા ₹2549.69 લાખના 615 કામો મંજૂર કરાયા.
Published on: 09th August, 2025

બનાસકાંઠા જિલ્લામાં, પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ. જેમાં New Gujarat Pattern યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના રૂ. ૨૧૩૫.૨૩ લાખના ૪૯૦ અને છૂટાછવાયા વિસ્તારના રૂ. ૪૧૪.૪૬ લાખના ૧૨૫ કામો મળી, કુલ ₹2549.69 લાખના 615 કામો મંજૂર કરાયા. મંત્રીએ તમામ કામો સમયમર્યાદામાં અને ગાઈડલાઈન મુજબ કરવા જણાવ્યું. દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.