ગીર પંથકમાં કમોસમી વરસાદથી કેરી અને ઉનાળુ પાકને નુકસાનની ભીતિ.
ગીર પંથકમાં કમોસમી વરસાદથી કેરી અને ઉનાળુ પાકને નુકસાનની ભીતિ.
Published on: 03rd April, 2026

આજે વહેલી સવારે તાલાલા સહિત ગીર પંથકના ગામોમાં કમોસમી વરસાદ થયો. સવારે 5:30 આસપાસ શરૂ થયેલા વરસાદથી કેસર કેરી અને ઉનાળુ પાકોને નુકસાનની ભીતિ છે. શરૂઆતમાં ધીમી ધારે છાંટા પડ્યા, પછી વરસાદે જોર પકડ્યું. આશરે 30 મિનિટ સુધી વરસાદ વરસ્યો. રસ્તાઓ અને ખેતરોના માર્ગો પર કાદવ-કિચડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ વરસાદથી અડદ, મગ અને તલ જેવા ઉનાળુ પાકોને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે, જેનાથી ખેડૂતો ચિંતિત છે.