ભરૂચમાં ગણેશ વિસર્જન: ત્રણ કૃત્રિમ કુંડોમાં પાંચ નદીઓના જળથી વિધિ સંપન્ન.
ભરૂચમાં ગણેશ વિસર્જન: ત્રણ કૃત્રિમ કુંડોમાં પાંચ નદીઓના જળથી વિધિ સંપન્ન.
Published on: 06th September, 2025

ભરૂચ નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે ત્રણ કૃત્રિમ જળકુંડ બનાવાયા છે, જે શક્તિનાથ નજીક જે.બી. મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર પાસે છે. અનંત ચતુર્થીના દિવસે ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી નદીના જળથી વધામણાં કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ વહેલી સવારથી જ "ગણપતિ બાપા મોર્યા"ના નારા સાથે પ્રતિમાઓનું વિસર્જન કર્યું.