રાહુલ ગાંધીના વકીલ ફિરોઝ પઠાણે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો; મૃતદેહ ઉભરાટ પાસેથી મળ્યો, તેઓ ડિપ્રેશનમાં હતા.
રાહુલ ગાંધીના વકીલ ફિરોઝ પઠાણે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો; મૃતદેહ ઉભરાટ પાસેથી મળ્યો, તેઓ ડિપ્રેશનમાં હતા.
Published on: 06th September, 2025

એડવોકેટ ફિરોઝ પઠાણે કેબલ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો. તેઓ રાહુલ ગાંધીના વકીલ રહી ચૂક્યા હતા. તેમના જુનિયરને ફોન કરીને જાણ કરી હતી. ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી અને તેમનો મૃતદેહ ઉભરાટના દરિયાકિનારેથી મળી આવ્યો. તેઓ લાંબા સમયથી ડિપ્રેશનમાં હતા અને પારિવારિક ઝઘડાથી ત્રસ્ત હતા. ફિરોઝભાઈએ મિલકત પર લોન લીધી હતી, જે ભરપાઈ કરવામાં પણ તકલીફ હોવાથી આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા હતા. ગયા વર્ષે પણ તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી વકીલોમાં શોકની લાગણી ફેલાઈ છે.