BAPS અક્ષર ફાર્મમાં રક્ષાબંધનની ઉજવણી: મહંતસ્વામીના સાનિધ્યમાં સંતોએ હરિભક્તોને રક્ષા કવચ રાખડી બાંધી.
BAPS અક્ષર ફાર્મમાં રક્ષાબંધનની ઉજવણી: મહંતસ્વામીના સાનિધ્યમાં સંતોએ હરિભક્તોને રક્ષા કવચ રાખડી બાંધી.
Published on: 09th August, 2025

આણંદના વિદ્યાનગર સ્થિત અક્ષરફાર્મ ખાતે BAPS સંસ્થા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ. મહંતસ્વામીના સાનિધ્યમાં સંતોએ હરિભક્તોને ભગવાનની પ્રાસાદીક રક્ષા કવચ રાખડી બાંધી હતી. હૈદરાબાદથી આવેલા હરિભક્તોએ જણાવ્યું કે અક્ષરફાર્મ ખાતે પૂ. પ્રગટ સત્પુરુષ મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં પવિત્ર તહેવાર રક્ષાબંધન ઉજવવા માટે આવ્યા છે. મહંતસ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે ભગવાન સર્વ ઇન્દ્રિયો અને અંતઃકરણથી આપણી રક્ષા કરે.