વિજલપોર સરદાર શારદામંદિરમાં વોકેશનલ કોર્સ માટે શૈક્ષણિક કીટ વિતરણ અને છાત્રોને યોગ્ય દિશાસૂચન અપાયું.
વિજલપોર સરદાર શારદામંદિરમાં વોકેશનલ કોર્સ માટે શૈક્ષણિક કીટ વિતરણ અને છાત્રોને યોગ્ય દિશાસૂચન અપાયું.
Published on: 07th August, 2025

વિજલપોર સરદાર શારદામંદિર હાઇસ્કૂલમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો. જેમાં 550 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષક રોહન ટંડેલ સહિતના તજજ્ઞોએ વર્તમાન સમયમાં વોકેશનલ કોર્સનું મહત્વ સમજાવ્યું, ગોલ સેટિંગ અને વોકેશનલ કોર્સની પસંદગી અંગે સમજ આપી. આ પ્રસંગે દરેક છાત્રોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.