ગણેશોત્સવ પાસે આવતાં માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની માંગ વધતાં સ્ટોલ 18થી વધીને 32થી વધુ થયા
ગણેશોત્સવ પાસે આવતાં માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની માંગ વધતાં સ્ટોલ 18થી વધીને 32થી વધુ થયા
Published on: 13th September, 2026

પાલનપુરમાં ગણેશોત્સવ નજીક આવતાં માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલમાં વિવિધ કદ અને ડિઝાઇનની મૂર્તિઓ ખરીદવા લોકો મોટી સંખ્યામાં બજારમાં ઉમટી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 50 હજારથી વધુ મૂર્તિઓની સ્થાપના અને 250થી વધુ પંડાલોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાલનપુરમાં ગણેશ ચતુર્થીને લઈને મૂર્તિ બજારમાં વિશેષ રોનક જોવા મળી રહી છે. છેલ્લા વર્ષોની સરખામણીએ શહેરમાં મૂર્તિના સ્ટોલની સંખ્યા 18 થી વધીને 32 થી વધુ થઈ છે. વેપારીઓ પાસે 300થી વધુ મૂર્તિઓનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓની ખાસ માંગ છે, કારણ કે સ્થાપના બાદ ઘરે જ સરળતાથી વિસર્જન કરી શકાય છે.