જામનગર લોક અદાલતમાં PGVCLના 705 કેસોનું સમાધાન
જામનગર લોક અદાલતમાં PGVCLના 705 કેસોનું સમાધાન
Published on: 13th September, 2026

જામનગર સર્કલ હેઠળ તા. 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી લોક અદાલતમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના વીજ બિલ અને વસૂલાત સંબંધિત કુલ 705 કેસોનું સફળતાપૂર્વક નિરાકરણ આવ્યું. પ્રી-લિટિગેશન કેસોમાં રૂ. 182.33 લાખમાંથી રૂ. 117.78 લાખ અને લિટિગેશન કેસોમાં રૂ. 30.80 લાખમાંથી રૂ. 23.69 લાખનું સમાધાન થયું. કુલ રૂ. 213.13 લાખમાંથી રૂ. 141.47 લાખનું સમાધાન થયું અને રૂ. 75.47 લાખ સ્થળ પર વસૂલ થયા, જે ગ્રાહકો અને કંપની બંને માટે ફાયદાકારક રહ્યું.