ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ!
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ!
Published on: 13th September, 2026

સુરતમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે દિલ્હીથી સુરત આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી. આ ફ્લાઈટમાં કુલ 18 મુસાફરો સવાર હતા. સુરત એરપોર્ટ પર લેન્ડિંગ શક્ય ન બનતાં ફ્લાઈટને અમદાવાદ લઈ જવામાં આવી. હવામાન સામાન્ય થયા બાદ ફ્લાઈટને ફરી સુરત લાવવામાં આવશે. એરલાઈન્સ દ્વારા મુસાફરોની આગળની વ્યવસ્થા કરવામાં આવશે.