જામનગર લોક અદાલતમાં 3,796 કેસોનો નિકાલ
જામનગર લોક અદાલતમાં 3,796 કેસોનો નિકાલ
Published on: 13th September, 2026

જામનગર જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 11,446 કેસો રજૂ કરાયા હતા, જેમાંથી 3,796 કેસોનો બંને પક્ષોની સંમતિથી સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો. આ પ્રક્રિયામાં કુલ રૂા. 11,67,55,049ની રકમનું સમાધાન થયું. પૂર્વ-મુકદ્દમા પ્રકારના 7,351 કેસોમાંથી 830 કેસોનો નિકાલ કરી રૂા. 1,60,63,930નું સમાધાન થયું. પડતર કેસોમાંથી 1,771 કેસોમાંથી 644 કેસોમાં રૂા. 10,06,91,119ની રકમનું સેટલમેન્ટ થયું. સ્થાયી બેઠક હેઠળ 2,324 કેસોમાંથી 2,322નો નિકાલ થયો, જેનાથી પક્ષકારોને સમય, ખર્ચ અને કચેરીના ધક્કામાંથી રાહત મળી.