નિવૃત્ત PIની ભલામણ પર ગેરેજના કારીગરે ગુમાવ્યા 1 લાખ
નિવૃત્ત PIની ભલામણ પર ગેરેજના કારીગરે ગુમાવ્યા 1 લાખ
Published on: 13th September, 2026

વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા અલ્તાફહુસેન મુજફ્ફરભાઇ કાદરી સાથે છેતરપિંડી થઈ છે. સિટિ પોલીસના નિવૃત્ત પી.આઈ. સોસા સાહેબની ભલામણ પર તેમણે બાંધકામના કોન્ટ્રાક્ટર દાના ભાઈ કાનાભાઈ રાઠોડને 1 લાખ રૂપિયા આપ્યા હતા. દાનાભાઈએ 10-12 દિવસમાં પૈસા પરત આપવાનું વચન આપ્યું હતું, પરંતુ મુદત પૂરી થયા બાદ તેઓ ટાળવા લાગ્યા અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. તપાસમાં જાણવા મળ્યું કે તેમણે અન્ય મિત્ર પાસેથી પણ પૈસા પડાવ્યા છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.