હાઈકોર્ટની ટકોર બાદ સુરત પાલિકા એક્શનમાં
હાઈકોર્ટની ટકોર બાદ સુરત પાલિકા એક્શનમાં
Published on: 27th August, 2026

સુરત પાલિકા હાઈકોર્ટની લાલ આંખ બાદ નાસિર નગરના 28 અસરગ્રસ્ત પરિવારો માટે આવાસ ફાળવણીનો ડ્રો યોજી રહી છે. આ પ્રક્રિયા બાદ બેઘર થયેલા પરિવારોમાં આશાનો સંચાર થયો છે. એક પરિવારને અગાઉ જ મકાન ફાળવાયું હોવાથી તેનો સમાવેશ કરાયો નથી. જોકે, હજુ પણ લગભગ 40 પરિવારો કતારગામ કોમ્યુનિટી હોલમાં રહેવા મજબૂર છે. હાઈકોર્ટની આકરી ટકોર બાદ પાલિકા દ્વારા અસરગ્રસ્તોના પુનર્વસનની કવાયત શરૂ થઈ છે.