નેપાળમાં વિનાશક પૂર: ગુજરાતના 12 લોકો ગુમ
નેપાળમાં વિનાશક પૂર: ગુજરાતના 12 લોકો ગુમ
Published on: 27th August, 2026

નેપાળમાં આવેલી ભયાનક કુદરતી આફતે 207 લોકોનો ભોગ લીધો છે અને અનેક ઘાયલ થયા છે. ગુજરાતના 12 લોકો સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં અમદાવાદ, આણંદ, વલસાડ, રાજકોટ અને સુરતના નાગરિકોનો સમાવેશ થાય છે. ભયાનક પૂર અને ભૂસ્ખલને કારણે મોટી તબાહી સર્જાઈ છે. મૃત્યુઆંક વધી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા ઘણા ભારતીયો લાપતા છે. મોબાઈલ અને ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ઠપ્પ થવાથી પરિસ્થિતિનો અંદાજ લગાવવો મુશ્કેલ બન્યો છે.