નેપાળ જળપ્રલયમાં 12 ગુજરાતીઓ ફસાયા
નેપાળ જળપ્રલયમાં 12 ગુજરાતીઓ ફસાયા
Published on: 27th August, 2026

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનના કારણે કૈલાશ માનસરોવર યાત્રા તથા પ્રવાસ અર્થે ગયેલા ગુજરાતના 12 નાગરિકો ફસાયા હોવાની અને સંપર્કવિહોણા બન્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંકલન સાધીને બચાવ કામગીરી શરૂ કરાવી છે. ફસાયેલા 12 ગુજરાતીઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, રાજકોટ અને વલસાડના નાગરિકોનો સમાવેશ થાય છે.