સુરતીઓ માટે પરિવારનું મિલન જ સાચું મુહૂર્ત
સુરતીઓ માટે પરિવારનું મિલન જ સાચું મુહૂર્ત
Published on: 27th August, 2026

સુરતમાં બળેવ માત્ર એક દિવસનો તહેવાર નથી, પરંતુ પરિવારના સભ્યો એકસાથે મળી સ્નેહ અને લાગણી સાથે ઉજવણી કરે તે ‘સાચું મુહૂર્ત’ છે. સુરતીઓએ તહેવારને પોતાના આગવા અંદાજમાં ‘એડજસ્ટ’ કર્યો છે. રક્ષાબંધનના દિવસે જ રાખડી બાંધવાની પરંપરાને બદલે, પરિવારની અનુકૂળતા મુજબ આગલા-પાછલા દિવસોમાં ઉજવણી થાય છે. NEET-PG પરીક્ષા કે ભાઈ-બહેન અલગ શહેરોમાં રહેતા હોવાથી, ઘણા પરિવારોએ અગાઉથી જ રાખડી બાંધી દીધી છે. આ રીતે, સુરતમાં બળેવની ઉજવણી લગભગ પાંચથી સાત દિવસ સુધી ચાલે છે, જે ભાઈ-બહેનના પ્રેમ અને પરિવારના મિલનની અનોખી ઝલક દર્શાવે છે.