નેપાળ ફ્લેશ ફ્લડ: ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ, હેલ્પલાઈન જાહેર
નેપાળ ફ્લેશ ફ્લડ: ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ, હેલ્પલાઈન જાહેર
Published on: 27th August, 2026

નેપાળમાં થયેલા ફ્લેશ ફ્લડ બાદ ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. અનેક ભારતીયો ગુમ થવાના અહેવાલો વચ્ચે, ગુજરાતમાંથી નેપાળ ગયેલા પ્રવાસીઓની માહિતી મેળવવા કાર્યવાહી શરૂ કરાઈ છે. રાજ્યના વિવિધ જિલ્લા કચેરીઓએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. કેટલાક ગુજરાતીઓ ફસાયા હોવાની આશંકા છે, તેથી સરકાર દ્વારા તપાસ ચાલી રહી છે. અમદાવાદ કલેક્ટરે એડવાઈઝરી જાહેર કરી, પ્રવાસીઓ કે તેમના પરિવારજનોને તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે.