સુરેન્દ્રનગરના સાયલામાં વીજળી સમસ્યાથી ખેડૂતો રોષે ભરાયા
સુરેન્દ્રનગરના સાયલામાં વીજળી સમસ્યાથી ખેડૂતો રોષે ભરાયા
Published on: 27th August, 2026

સુરેન્દ્રનગરના સાયલામાં વીજ પુરવઠાના ધાંધિયાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતોએ PGVCL કચેરીનો ઘેરાવ કર્યો. ડોળીયા ફીડરમાં વારંવાર વીજળી ખોરવાતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે. વરસાદ ખેંચાતા સિંચાઈ માટે નિયમિત વીજળી મળતી ન હોવાથી કપાસ, મગફળી, તલ, એરંડા જેવા પાકોને નુકસાન થવાનો ભય છે. ખેડૂતોનો આરોપ છે કે PGVCL અધિકારીઓ રજૂઆતોની અવગણના કરે છે. સરકારી ૧૦ કલાક વીજળીના દાવા છતાં સાયલામાં સ્થિતિ અત્યંત દયનીય છે.