સુરતમાં Airtel ના ખોદકામથી ડ્રેનેજ લાઈન તૂટી
સુરતમાં Airtel ના ખોદકામથી ડ્રેનેજ લાઈન તૂટી
Published on: 27th August, 2026

સુરતમાં અડાજણના આહુરાનગર સોસાયટીમાં Airtel કંપનીના ખોદકામ દરમિયાન ડ્રેનેજ લાઈન તૂટી જતાં ગંદુ પાણી વરસાદી પાણીની લાઈનમાં ભળી રહ્યું છે. સ્થાનિકોએ છેલ્લા 45 દિવસથી અનેકવાર રજૂઆત કરી હોવા છતાં નક્કર કાર્યવાહી નહીં થતાં આક્ષેપો થયા છે. આના કારણે દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે, જેનાથી સ્થાનિકો પરેશાન છે. તાત્કાલિક સમારકામ અને બેદરકાર જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આગામી વરસાદમાં સમસ્યા વધુ વકરવાની અને રોગચાળો ફેલાવાની ભીતિ છે.