વાવ-થરાદમાં દલિત યુવકનું શંકાસ્પદ મોત
વાવ-થરાદમાં દલિત યુવકનું શંકાસ્પદ મોત
Published on: 27th August, 2026

વાવ-થરાદના મોરીખા ગામમાં દલિત યુવક લખમીરામ પરમારના શંકાસ્પદ મોતનો કેસ 84 દિવસ બાદ વધુ ગરમાયો છે. સત્ય સામે લાવવા અને નિષ્પક્ષ તપાસ માટે મૃતદેહને દફન સ્થળેથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે અમદાવાદ મોકલવામાં આવશે. દલિત સમાજના ધરણાં અને રેન્જ આઈજીના આદેશ બાદ નવા તપાસ અધિકારીને કેસ સોંપાયો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન પરિવારજનો અને મીડિયાને રોકવાનો પ્રયાસ થતાં વિવાદ સર્જાયો હતો, જેમાં શંકાસ્પદ આરોપીઓની ધરપકડ ન થતા આક્રોશ વ્યક્ત કરાયો હતો.