સાગબારા જંગલ જમીન વિવાદ: મંત્રીઓ શનિવારે ખેડૂતો સાથે કરશે સીધી વાટાઘાટો
સાગબારા જંગલ જમીન વિવાદ: મંત્રીઓ શનિવારે ખેડૂતો સાથે કરશે સીધી વાટાઘાટો
Published on: 27th August, 2026

નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીનનો વિવાદ વણઉકેલાયેલો છે, જ્યાં આદિવાસી ખેડૂતો પોતાના હક્ક અને જમીન ખેડાણ માટે ધરણા કરી રહ્યા છે. આ અંગે ગાંધીનગરમાં થયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. શનિવારે બે મંત્રીઓ સાગબારા પહોંચીને આંદોલનકારી ખેડૂતો સાથે સીધી વાતચીત કરશે અને જમીનના દાવાઓ અંગે તેમની રજૂઆતો સાંભળશે. સાગબારા સહિતના વિસ્તારોમાં લગભગ 80 હજાર જેટલા જંગલ જમીનના દાવાઓ પડતર છે, જે અંગે રૂબરૂ ચર્ચા કરી પુરાવાના આધારે નિકાલ કરાશે.