5G નેટવર્ક કવરેજ સમસ્યાને ખતમ કરવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
5G નેટવર્ક કવરેજ સમસ્યાને ખતમ કરવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Published on: 30th August, 2026

5G નેટવર્કના નબળા કવરેજને સુધારવા કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષો જૂના રેડિયેશન નિયમોમાં છૂટછાટ આપીને, 5G બેઝ સ્ટેશનની પાવર ડેન્સિટી 5 વોટ પ્રતિ ચોરસ મીટરથી વધારીને 10 વોટ પ્રતિ ચોરસ મીટર કરવામાં આવી છે. આ ફેરફાર આવતા મહિનાથી લાગુ થશે. આ નિર્ણયથી 5G સિગ્નલની રેન્જ બમણી થશે, જેનાથી ટેલિકોમ કંપનીઓને ઓછા ટાવર સાથે વિશાળ વિસ્તારને કવર કરવામાં મદદ મળશે. આનાથી ખર્ચ ઘટશે અને 5G સર્વિસની ગુણવત્તા સુધરશે. ભારતે હવે ICNIRPના વૈશ્વિક ધોરણો અપનાવ્યા છે, જે 137 દેશો સાથે સુસંગત છે.