સોનમ વાંગચુકનું ચોંકાવનારું નિવેદન: દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી
સોનમ વાંગચુકનું ચોંકાવનારું નિવેદન: દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી
Published on: 30th August, 2026

પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે CJPના અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, આ લોકોની રાજકીય મહત્ત્વકાંક્ષા છે અને તેઓ કોઈ સંત નથી કે તેમને કંઈ જોઈતું ન હોય. વાંગચુકે ઉમેર્યું કે, રાજકીય પક્ષમાં જોડાવાની બાબત ખોટી નથી, પરંતુ CJP જેવા પ્લેટફોર્મને રાજકીય રંગ ન આપવો જોઈએ. જો CJP રાજકીય નહીં બને તો લોકો તેના પર વધુ આસ્થા રાખશે, જે વધુ અસરકારક સાબિત થશે.