નેપાળમાં ભયાવહ પૂર: 600 થી વધુના મૃત્યુ
નેપાળમાં ભયાવહ પૂર: 600 થી વધુના મૃત્યુ
Published on: 30th August, 2026

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 600 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સતત મળી રહેલા ક્ષત વિક્ષત મૃતદેહોની ઓળખ મુશ્કેલ બની રહી છે. શબઘરો ભરાઈ જતાં અને ચેપ ફેલાવાના જોખમને કારણે, નેપાળ સરકારે અજ્ઞાત મૃતદેહોને સામૂહિક રીતે દફનાવવાની કામગીરી શરૂ કરી છે. DNA પ્રોફાઇલિંગ અને જીઓ-ટેગિંગ જેવી અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ કરીને, દરેક મૃતદેહને વિશિષ્ટ નંબર આપવામાં આવી રહ્યો છે, જેથી ભવિષ્યમાં સ્વજનો ઓળખ કરી શકે.