સગીરા શોષણ કેસમાં ઉદ્યોગપતિ વીરમણી સહિત 3ની ધરપકડ
સગીરા શોષણ કેસમાં ઉદ્યોગપતિ વીરમણી સહિત 3ની ધરપકડ
Published on: 30th August, 2026

ચેન્નઈમાં સગીરા સાથે કથિત યૌન શોષણના ગંભીર કેસમાં જાણીતા ઉદ્યોગપતિ વીરમણી, તેમની સહયોગી શાંતિ અને શાંતિના પતિ મહેન્દ્રની પોલીસે ધરપકડ કરી છે. એક અજાણી પેન ડ્રાઈવ દ્વારા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં વૃદ્ધ વ્યક્તિ સગીરા સાથે દુષ્કર્મ આચરતો દેખાયો હતો. તપાસમાં આ વૃદ્ધ વ્યક્તિ ઉદ્યોગપતિ વીરમણી હોવાનું બહાર આવ્યું. પોલીસે teyanampet વિસ્તારમાંથી ભાડે રાખેલા મકાન પર દરોડો પાડ્યો, જ્યાં સગીરાઓને લાવવામાં આવતી હતી. પોલીસે આરોપીઓને Judicial custody માં મોકલી આપ્યા છે અને વધુ તપાસ ચાલી રહી છે.