દેશમાં ટોચના અમલદારો નોકરી છોડવા તરફ?
દેશમાં ટોચના અમલદારો નોકરી છોડવા તરફ?
Published on: 30th August, 2026

છેલ્લા 14 મહિનામાં 7 યુવાન IPS અધિકારીઓ અને IAS દિવ્યા મિત્તલે નોકરી છોડતાં દેશમાં ટોચના અમલદારોના રાજીનામાના ટ્રેન્ડ અંગે ચર્ચા શરૂ થઈ છે. રાજકીય મહત્વાકાંક્ષા, કોર્પોરેટ અને આંતરરાષ્ટ્રીય તકો, તેમજ અંગત સંતોષ જેવા કારણોસર અધિકારીઓ આ પ્રતિષ્ઠિત નોકરી છોડી રહ્યા છે. જોકે, સંસદીય આંકડા મુજબ, IAS/IPS માં સામૂહિક રાજીનામા જેવી સ્થિતિ નથી, પરંતુ યુવાન અધિકારીઓ હવે લાંબા ગાળાના કારકિર્દી માળખાથી અલગ વિચારણા કરી રહ્યા છે.