ભાજપના દિગ્ગજ નેતા મૌર્યએ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી, યોગીની ચિંતા વધી
ભાજપના દિગ્ગજ નેતા મૌર્યએ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી, યોગીની ચિંતા વધી
Published on: 30th August, 2026

ઉત્તર પ્રદેશના ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ સ્પષ્ટ કહ્યું કે, આગામી સમયમાં પાર્ટી તેમને મુખ્યમંત્રી બનાવી શકે છે, જોકે અંતિમ નિર્ણય પાર્ટી નેતૃત્વ લેશે. તેમણે જણાવ્યું કે, હાલ તેમનું લક્ષ્ય વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવવાનું છે. મૌર્યએ યોગી આદિત્યનાથ સાથે મળીને કામ કરવાની વાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, આ જ કારણે ભાજપ સતત સત્તામાં છે. તેમણે સપા અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, દેશ વિકસિત બનશે ત્યાં સુધી સત્તા તેમના હાથમાં નહીં જાય. મૌર્યએ અખિલેશ યાદવને પડકાર ફેંક્યો કે, કોઈ એક વ્યક્તિ લાવી બતાવો જે લાંચ આપીને નોકરી મેળવી હોય.