શુભાંશુ શુક્લા અંતરિક્ષથી ક્યારે પરત ફરશે? નવી તારીખ આવી સામે: Axiom-4 મિશન અપડેટ.
શુભાંશુ શુક્લા અંતરિક્ષથી ક્યારે પરત ફરશે? નવી તારીખ આવી સામે: Axiom-4 મિશન અપડેટ.
Published on: 11th July, 2025

ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની પૃથ્વી પર પાછા ફરવાની તારીખ જાહેર થઈ છે. 25 જૂને ઉડાણ ભર્યા બાદ, તેઓનું Axiom-4 મિશન પૂર્ણ થવાને આરે છે. તેઓ 14 જુલાઈએ સ્પેસ સ્ટેશનથી અનડોક થશે. અગાઉ આ તારીખ 10 જુલાઈ હતી, પરંતુ હવે 14 જુલાઈની સવારે 7.05 કલાકે અનડોક થશે. તેઓ 25 જૂનથી પોતાની ટીમ સાથે અંતરિક્ષમાં છે. અનડોક એટલે સ્પેસ સ્ટેશનથી સ્પેસ કેપ્સ્યુલનું અલગ થવું.