પોરબંદર માર્કેટયાર્ડમાં ઉનાળુ પાકની મબલક આવક
પોરબંદર માર્કેટયાર્ડમાં ઉનાળુ પાકની મબલક આવક
Published on: 02nd June, 2026

પોરબંદર જિલ્લામાં ઉનાળુ પાક તૈયાર થતાં માર્કેટયાર્ડમાં તેની આવક શરૂ થઈ ગઈ છે. હાલમાં મગ, ઘઉં, અડદ, ચોળી અને તલ જેવા પાકોની સારી એવી આવક નોંધાઈ રહી છે. જેમાં ચોળીની ૧૨,૨૦૦ કિલોની સૌથી વધુ આવક રહી હતી. યાર્ડમાં મગના પ્રતિમણે રૂ. ૧૩૫૦ થી ૧૫૦૫ સુધીના ભાવ બોલાયા હતા. પોરબંદરના માર્કેટયાર્ડમાં તેલીબિયાં વિભાગમાં મુખ્યત્વે જણસીઓની આવક થઈ રહી છે.