નેપાળમાં કેમ અચાનક આવ્યું પૂર ? 24 કલાક પછી ચીને નવી જ વાત કહી
નેપાળમાં કેમ અચાનક આવ્યું પૂર ? 24 કલાક પછી ચીને નવી જ વાત કહી
Published on: 27th August, 2026

નેપાળમાં આવેલા વિનાશક પૂર અંગે ચીને નવો ખુલાસો કર્યો છે, જેમાં બેઇજિંગને બદલે કાઠમંડુને જવાબદાર ઠેરવ્યું છે. ચીની દૂતાવાસે જણાવ્યું કે, પૂરનું કારણ નેપાળમાં આવેલો ભૂકંપ છે, જેના કારણે લેન્ડે નદીમાં ભૂસ્ખલન થયું અને પાણીનો પ્રવાહ બદલાયો. આનાથી ચીનના ગૈરોંગ ક્ષેત્રમાં પણ ભારે નુકસાન થયું છે અને 250 થી વધુ નાગરિકો ગુમ છે. નેપાળી મીડિયાના અહેવાલો મુજબ, ભૂકંપ પછી હિમનદી તૂટી પડતાં નદીનો કુદરતી બંધ તૂટ્યો અને ભોટે કોશી નદીમાં પૂર આવ્યું. આ કારણે 170 થી વધુ લોકોના મોત થયા છે અને 1,000 થી વધુ ગુમ છે.