નેપાળમાં પૂર: 288 ભારતીયો સંપર્કવિહોણા, 21 સુરક્ષિત રીતે બહાર
નેપાળમાં પૂર: 288 ભારતીયો સંપર્કવિહોણા, 21 સુરક્ષિત રીતે બહાર
Published on: 27th August, 2026

નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ ફસાયેલા ભારતીય નાગરિકો અંગે વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં માહિતી આપી. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે કોમ્યુનિકેશન ખોરવાતા 288 ભારતીયોનો સંપર્ક નથી. જોકે, ગુરુવારે બપોર સુધીમાં તમિલનાડુના 21 યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સંપર્કવિહોણા 288 ભારતીયો 5 જૂથોમાં વહેંચાયેલા છે, જેમાં ત્રિશૂલી-1 પાવર પ્રોજેક્ટના કર્મચારીઓ, કૈલાશ માનસરોવર યાત્રાળુઓ અને વિવિધ રાજ્યોના નાગરિકોનો સમાવેશ થાય છે. ભારતે નેપાળને જરૂરી રાહત સામગ્રી મોકલી છે.