ગોધરામાં મા દશામાની શોભાયાત્રા: દસ દિવસના આતિથ્ય બાદ રામસાગર તળાવમાં વિસર્જન કરાયું.
ગોધરામાં મા દશામાની શોભાયાત્રા: દસ દિવસના આતિથ્ય બાદ રામસાગર તળાવમાં વિસર્જન કરાયું.
Published on: 03rd August, 2025

ગોધરા શહેરમાં દશામા વ્રતની સમાપ્તિ નિમિત્તે શોભાયાત્રા નીકળી. DJ અને ઢોલ-નગારા સાથે નગર જયઘોષથી ગુંજી ઉઠ્યું. ભુરાવાવ ચાર રસ્તા સહિત વિસ્તારોમાં શોભાયાત્રા ફરી, રામસાગર તળાવમાં મૂર્તિનું વિસર્જન કરાયું. સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરબત અને દૂધનું વિતરણ થયું. પોલીસ પ્રશાસને શાંતિપૂર્ણ વિસર્જનમાં સહયોગ આપ્યો, જે બદલ ભક્તોએ આભાર માન્યો.