કોંગ્રેસનો ભાજપ પર રામ મંદિર ટ્રસ્ટ મુદ્દે આકરો પ્રહાર
કોંગ્રેસનો ભાજપ પર રામ મંદિર ટ્રસ્ટ મુદ્દે આકરો પ્રહાર
Published on: 10th July, 2026

વડોદરામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેન્દ્ર રાજપુતે રામ મંદિર ટ્રસ્ટ અને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ભગવાન રામના નામે રાજકારણ થયું છે અને દાન-જમીન ખરીદીમાં કથિત ગેરરીતિઓ થઈ છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ રચાયેલા ટ્રસ્ટની જવાબદારી વડાપ્રધાન મોદીની છે. મહાકુંભ દરમિયાન થયેલા ચઢાવાની આશરે રૂ. 3,200 કરોડની રકમમાંથી માત્ર રૂ. 84 કરોડ જ બેંકમાં જમા થયા હોવાનો દાવો કરીને તેમણે બાકીની રકમ અંગે જવાબ માંગ્યો છે. ટ્રસ્ટ દ્વારા રૂ. 84 કરોડમાં ખરીદેલી જમીન અને તેના ઉપયોગ પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા. આ સમગ્ર મામલાને "મહાકૌભાંડ" ગણાવી, તેમણે સ્વતંત્ર તપાસ અને નવા ટ્રસ્ટની રચનાની માંગ કરી.