સુરતમાં ખાડી પૂર બાદ તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ
સુરતમાં ખાડી પૂર બાદ તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ
Published on: 10th July, 2026

સુરતમાં ખાડી પૂરની ભયાવહ ઘટના બાદ હવે લોકો તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. વરિયાવ–કોડીવાડ વિસ્તારમાં વર્ષોથી ખાડીની સફાઈ ન થતાં ગાદ અને કચરો જમા થઈ ગયો છે, જેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે. સ્થાનિકોનો આરોપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાતા નથી. જો તાત્કાલિક ડીસિલ્ટિંગ અને સફાઈ નહીં થાય તો આ વિસ્તાર પણ ખાડી પૂર જેવી ગંભીર પરિસ્થિતિનો ભોગ બની શકે છે.