મુંબઈ સિદ્ધિવિનાયક દાન ચોરી: શિંદેએ ઉદ્ધવ જૂથના 'હિન્દુત્વ' પર ઉઠાવ્યા સવાલો
મુંબઈ સિદ્ધિવિનાયક દાન ચોરી: શિંદેએ ઉદ્ધવ જૂથના 'હિન્દુત્વ' પર ઉઠાવ્યા સવાલો
Published on: 10th July, 2026

મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ 'અસલી વિરુદ્ધ નકલી હિન્દુત્વ' પર આક્રમક પલટવાર કર્યો. ઉદ્ધવ જૂથ દ્વારા અયોધ્યા રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચારના આરોપો બાદ, શિંદેએ જૂની ફાઈલો ખોલી, મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની દાનપેટીમાં થયેલી કથિત ચોરીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે નામ લીધા વિના ઉદ્ધવ જૂથ પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે તેમના સાથીઓએ આ મહાપાપ કર્યું ત્યારે તત્કાલીન સરકારે તપાસ કેમ ન કરાવી? આ આરોપોથી વિપક્ષમાં સન્નાટો છવાઈ ગયો.