ખોરાકની શોધમાં સાવજો શહેર નજીક, સાઈબાબા મંદિર પાસે બે સિંહણ અને બે બચ્ચાંની લટાર.
ખોરાકની શોધમાં સાવજો શહેર નજીક, સાઈબાબા મંદિર પાસે બે સિંહણ અને બે બચ્ચાંની લટાર.
Published on: 22nd February, 2026

ગીર સોમનાથનું વેરાવળ શહેર સિંહોનું ઘર બની રહ્યું છે. સાઈબાબા મંદિર પાસે ચાર સિંહો દેખાતા ભય ફેલાયો છે. બે સિંહણ અને બે બચ્ચાં જંગલમાંથી ભટકીને શહેરમાં આવી ગયા હતા. સિંહો રસ્તા પર દોડતા જોવા મળ્યા. ખોરાકની શોધમાં સિંહો જંગલ છોડી ગામ અને શહેર તરફ વળ્યા છે, જે ચિંતાજનક છે. એક બાઈક સવારે આ વીડિયો ઉતારી વાયરલ કર્યો.